Tuesday, August 23, 2016

પ્રમુખ સ્વામી રહ્યા હતા, તે મિલ્કત મુસ્લીમોએ પાછી આપી દીધી...

ગુજરાત વિધાનસભા ચલાવવાના નિયમો હોવા છતાં, ધારાસભ્યો પોતાના વ્યકિગત સ્વાર્થ માટે નિયમો બદલતા રહે છે, વિધાનસભાના નિયમો પ્રમાણે વિધાનસભ્ય અથવા પુર્વ વિધાનસભ્યનું મૃત્યુ થાય ત્યારે વિધાનસભા ગૃહમાં શોક વ્યકત કરતો પ્રસ્તાવ આવી શકે, પણ પ્રમુખ સ્વામીના અવસાન બાદ જયારે બે દિવસ માટે મળેલી વિધાનસભામાં પ્રમુખ સ્વામી અંગે શોક પ્રસ્તાવ આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયુ, પણ આ મામલે તમામ પક્ષ એક હતા, કારણ કે પ્રમુખ સ્વામીની પાછળ એક મોટો અનુયાયી વર્ગ છે, જેની હાજરીને નકારી શકાય તો નહીં પણ તેમને રાજી રાખવાની પણ તમામ રાજકિયપક્ષો માટે અનિર્વાય છે. એટલે જયારે શોક પ્રસ્તાવ રજુ થયો ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પ્રમુખ સ્વામીને શ્રંધ્ધાજલી આપવાની હોડ લાગી હતી, ખરેખર કોણ બાપાના જવાને કારણે દુખી હતું, તે કહેવુ મુશ્કેલ હતું પણ બધાની વચ્ચે મારૂ ધ્યાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તરફ ગયુ જયારે તે બાપાની વાત કહેવા ઉભા થયા હતા.

ગ્યાસુઉદ્દીન શેખ મારા જુના મીત્ર છે, તેઓ અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી ચુંટાય છે જયા બહુમતી મતદારો મુસ્લીમ છે, મને આશ્ચર્ય થયુ કારણ ગ્યાસુદ્દીન જેને અમે ગ્યાસુભાઈના નામે સંબોધીએ છીએ તેમને પ્રમુખ સ્વામીને શ્રધ્ધાંજલી આપવાન રાજકિય કોઈ લાભ ન્હોતો, તેઓ મુસ્લીમ છે અને કોંગ્રેસના છે તેના કારણે તેમને કોઈ હિન્દુ મત આપે તે વાતમાં માલ ન્હોતો, કોઈ પણ રાજકિય લાભ વગર ગ્યાસુઉદ્દીન શુ કહે છે તે સાંભળવામાં મને રસ હતો,. તેમણે વિધાનસભામાં જે કહ્યુ તે સાંભળી મને લાગ્યુ કે ગ્યાસુની વાતમાં કોઈ દંભ અને રાજકિય વાત ન્હોતી, પણ મને આધાત લાગ્યો જયારે બીજા દિવસે અખબારોમાં વિધાનસભાની રીપોર્ટીંગમાં બધા જ અંગે ખુબ લખાયુ હતું, પણ ગ્યાસુઉદ્દીને પ્રમુખ સ્વામી સાથેના પોતાના અનુભવ કહ્યા હતા, તેને મોટા ભાગના અખબારે સ્થાન આપ્યુ ન્હોતુ અને જેમણે આપ્યુ હતું તેમણે માત્ર નોંધ લીધી હતી આવુ કેમ થયુ હશે તે અંગે મારા અંદર દિવસ દરમિયાન વિચાર ચાલતો રહ્યો હતો.

મને લાગ્યુ કે મોટા ભાગના પત્રકાર પણ હિન્દુ છે, તેના કારણે એક સામાન્ય હિન્દુ માણસ જ વિચારે તેવુ જ તે પણ વિચારવાનો કારણ તે પણ સમાજનો એક ભાગ છે, સતત ઈસ્લામીક ત્રાસવાદની પ્રવૃત્તીઓને કારણે મુસ્લીમો તરફ શંકાની દ્રષ્ટીથી જોવાય છે, એટલે જયારે કોઈ મુસ્લીમ કઈક સારૂ કરે અથવા બોલો ત્યારે પણ તેમની વાતને મહત્વનું મળતુ નથી કારણ મુસ્લીમ સારો પણ હોય તે એક કલ્પનાનો વિષય હિન્દુઓ માટે બની ગયો છે, મારી સામે કેટલાંક લોકો કહે છે કે ફલાણો મુસ્લમાન છે છતાં સારો માણસ છે,. એટલે મુસલામ સારો પણ હોય તે સમાચાર બની જાય છે. મોટી દાઢી અને ઉંચા લેંધાની પાછળ એક સારો માણસ પણ હોઈ શકે તે માની શકાવાનું અઘરૂ હોય છે, પણ હવે આપણે મુળ વાત ગ્યાસઉદ્દીન અને પ્રમુખ સ્વામીના સંબંધોની કરી, બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રમુખ સ્વામી 21 વર્ષની ઉમંરે શાહપુરની આંબલીવાળી પોળમાં રહેતા હતા, જયા દિક્ષા બાદ તેમની કેટલીક ધાર્મિકવિધી પણ થઈ હતી.

ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં જણાવ્યુ હતું , સમય બદલાતો ગયો અને પ્રમુખ સ્વામી જયા રહ્યા હતા, તે મિલ્કત થોડા વર્ષ પહેલા એક મુસ્લીમ વ્યકિતએ ખરીદી હતી, પ્રમુખ સ્વામીના અનુયાયીઓને સ્વભાવીક રીતે આ સ્થળ સાથે ધાર્મિક લગાવ હતો, કોઈક દ્વારા આ બાબત ગ્યાસુદ્દીનના ધ્યાન ઉપર મુકવામાં આવી, જેમણે મિલ્કત ખરીદી હતી તે તેમની વ્યકિતગત બાબત, બીજી તરફ કોઈકની ધાર્મિક લાગણીનો સવાલ હતો, ગ્યાસુદ્દીન મીલ્કત ખદીરનાર મુસ્લીમ પરિવારના મળ્યા, તેમને આ સ્થળનું પ્રમુખ સ્વામી માટે મહત્વ સમજાવ્યુ અને પેલા મુસ્લીમ પરિવારે પોતાના દસ્તાવેજ રદ કરાવી દીધો હતો, મારા હ્રદયને આ વાત સ્પર્શી ગઈ કારણ, જેમણે મિલ્કત ખરીદી હતી તેમને પ્રમુખ સ્વામી સાથે કોઈ લેવાદેવા ન્હોતી, કદાચ સ્વામી માટે આદર પણ નહીં હોય છતાં તેમણે હિન્દુઓ જેમને આદર આપી રહ્યા છે, તેમનો અનાદાર થાય નહીં તે માટે મીલ્કતનો અધિકાર જતો કર્યો હતો, મને આ વાત રાજકિય લાગી નહી, કારણ તેવુ જ હોત જયારે આ ઘટના બની ત્યારે તેનો લાભ લેવાનો પ્રયત્ન થયો હોત, પણ તેવુ કોઈ પક્ષે કર્યુ નહીં

ગ્યાસુદ્દીન શેખે અક્ષરધામ ઉપર થયેલા હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ, જયારે અક્ષરધામ ઉર ત્રાસવાદી હુમલો થયો ત્યારે બીજાની સાથે અમદાવાદના મુસ્લીમો પણ સ્તબ્ધ હતા, કારણ ત્રાસવાદીનો ધર્મ ઈસ્લામ હતો, કેટલાંક મુર્ખોને કારણે ઈસ્લામનો ઈમાન દાવ પર  લાગ્યો હતો, એક તરફ અક્ષરઘામ રકતરંજીત થયુ હતું, હવે શુ થઈ શકે તેની અમદાવાદના મુસ્લીમો ચીંતા કરતા હતા, ત્યારે પ્રમુખ સ્વામી સાળંગપુર હતા, ગ્યાસુદ્દીન શેખ સહિત મુસ્લીમોએ તેમને મળવાનો નિર્ણય કર્યો અને તેઓ પ્રમુખ સ્વામી પાસે પહોંચ્યા હતા, એક તરફ અક્ષરધામ ઈસ્લામીક ત્રાસવાદનો ભોગ બન્યુ હતું જયારે બીજી તરફ સ્વામીને મળવા મુસ્લીમો આવ્યા હતા, પણ ગ્યાસુદ્દીના શબ્દોમાં કહીએ તો સ્વામીના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની શાંતી હતી, મુસ્લીમોના ચહેરા ઉપર અફસોસ હતો, પણ પ્રમખ સ્વામીએ તેમને કહ્યુ બધા જ સરખા હોતા નથી, તરત સ્વામીજીએ એક સંતને બોલાવી સુચના આપી આપણા મહેમાન છે, જમ્યા વગર જવા જોઈએ નહીં, અને અમદાવાદના મુસ્લીમ આગેવાનો પ્રમુખ સ્વામીને ત્યાં જમીને આવ્યા હતા.

આ ઘટના વખતે પણ મને યાદ નથી, કે મુસ્લીમો પ્રમુખ સ્વામીને મળવા ગયા હતા તેનો કયાં ઉલ્લેખ થયો હોય, અને ના થયો તે પણ સારૂ હતું કારણ સારા માણસ થવુ અને સારા માણસ તરીકે જીવવુ તે એક સહજ અને પ્રયત્ન વગરની પ્રક્રિયા હોવી જોઈએ, આપણને એક ગ્યાસુઉદ્દીન શેખ અને તેના થોડાક સાથીઓ નહી ચાલે આપણે દેશમાં અનેક ગ્યાસુઓની જરૂર છે, છતાં આપણે એકાદ ગ્યાસુના પ્રયત્નની પ્રસંશા કરીશુ તો , બીજા ગ્યાસુઉદ્દીન ઉભા થશે ,સમયને બદલાતા વાર નહીં લાગે કારણ ખરાબ સમય કાયમ રહેતો નથી.


43 comments:

  1. Dada muslim parivar e paisa lidha vagar haq jato karyo hoy to emna pag dhoi ne pani pivu pade

    ReplyDelete
  2. We mean our whole society have to take note about Mr.Gyasuddinbhai,salute to him.....& Words are less for HDH Pramukhswdmi Maharaj....at the attack on Akshardham when some Muslim brothers were met him and what he told...only and only he can do,really.

    ReplyDelete
  3. Parshant BHAI aabhar Bhagwan Jeevan ma Manav dharm nibhva ni sachi Samaj ape apna Jewa neerbhay senior journalist na blog the maro atmvishvas vadhyo che ane Jeewan bhar sadkryo karvani parerna malse.
    thank you so much sir

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. I love your respect for pramukhswami maharaj, i must say you are pure hearted person no matter community,congress/bhajap....but i really touched....i pray god with your bold image you will teach each n every person that what does religion teches us....salute

      Delete
    3. I love your respect for pramukhswami maharaj, i must say you are pure hearted person no matter community,congress/bhajap....but i really touched....i pray god with your bold image you will teach each n every person that what does religion teches us....salute

      Delete
  4. ગ્યાસુદ્દિનભાઇને અભિનંદન.
    જ્યારે બધા સમાજો દ્વારા આવા પ્રયત્નો થશે ત્યારે ઉત્તમ સમાજનું નિર્માણ થશે.

    ReplyDelete
  5. Realy great job done by G.
    Shaikh

    ReplyDelete
  6. There are so many Gyasiddin in this community.During my life l have seen so many Gyasuddin whose contribution for the country is unforgettable.

    ReplyDelete
  7. Gyasubhai brevo. Tame khub j saru Kaam karyu che. Prashantbhai tame pan patrakar dharma nibhavyo che.

    ReplyDelete
  8. Gyasubhai brevo. Tame khub j saru Kaam karyu che. Prashantbhai tame pan patrakar dharma nibhavyo che.

    ReplyDelete
  9. ખરો માનવી ગ્યાસુદ્દીનભાઈ...આ માહિતી અને સારો વિચાર વહેંચવા બદલ દાદા આપનો આભાર...

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. મજહબ નહી શિખાતા આપસ મેં બૈર રખના...!!

    ReplyDelete
  12. वा सु वात छे Subhanallah

    ReplyDelete
  13. Really Live Humanity works....On Earth...

    ReplyDelete
  14. મુસલમાન શબ્દ જ ઇમાન પર વફાદારી બતાવે છે સાચે જ પૈસા માટે જ વરસો થી કામ કરી રહી મીડીયા ને ભારત દેશ પર અને સત્ય સાથે કોઇ લાગણી નથી....
    બસ એક વાત કહેવાનુ મન થાય છે અંગ્રેજ ગયા પણ તેમનુ કામ આ લોકો કરી રહયા છે ,ભાગલા પાડવાનુુ.....

    ReplyDelete
  15. મુસલમાન શબ્દ જ ઇમાન પર વફાદારી બતાવે છે સાચે જ પૈસા માટે જ વરસો થી કામ કરી રહી મીડીયા ને ભારત દેશ પર અને સત્ય સાથે કોઇ લાગણી નથી....
    બસ એક વાત કહેવાનુ મન થાય છે અંગ્રેજ ગયા પણ તેમનુ કામ આ લોકો કરી રહયા છે ,ભાગલા પાડવાનુુ.....

    ReplyDelete
  16. muslimbhai mate maan vadhi jai evi atisunder vat aape kari,,,,maza avi gai.....

    ReplyDelete
  17. VERY GOOD JOB DONE BY SHAIKH SAHEB

    ReplyDelete
  18. Mr. Prashant Dyal I think you are coward journalist who deleted my reply on above Blog
    Itna kyon darte hain agar sach likha hai face karo debate karo reply do

    ReplyDelete
  19. Once again posting plz donot delete
    पत्रकारिता की भीड़ में गम एक अंजान पत्रकार प्रशांत दयाल ने मुसलमानों को बदनाम करने कि कोशिश की और Congress MLA गयासुद्दीन शेख वाह वाह वाह कर रहे हैं…….

    ‘ સતત ઇસ્લમિક ત્રાસવાદ ની પ્રવ્ર્તીઓ ને કારણે મુસ્લિમો તરફ શંકા ની દ્રિષ્ટિ થી જોવાય છે એટલે જયારે કોઈ મુસ્લિમ કાંઇક સારો કરે અથવા બોલે ત્યારે પણ તેમની વાત ને મહત્વ મળતો નથી કારણ મુસ્લિમ પણ સારો હોયે તે એક કલ્પના નો વિષય હિંદુઓ માટે બની ગયો છે મોટો દાઢી અને ઊંચા લહેંગા ની પાછળ એક સારો માણસ પણ હોઈ શકે તે માની શકવા નું અધરું હોય છે ’

    प्रशांत दयाल ने अपने ब्लॉग में मुसलमानों को आतंकवादी कहा , इस्लामिक त्रासवाद शब्द का उपयोग कर इस्लाम मज़हब को भी दहशत गर्दी के साथ जोड़ने की कोशिश की, मुस्लिम अच्छे होते हैं इस पर भी शंका ज़ाहिर की हिन्दूओ का रेफरेंस देकर हिन्दू मुस्लिम के बीच दीवार खड़ी करने कि कोशिश की . मोटी दाढ़ी ऊंचा लहंगा शब्द प्रयोग कर तब्लीग जमात की ओर इशारा कर के मुस्लिम मज़हब के सबसे मुहज्ज़ब जमात को बुरा कहा, साथ ही यह भी माना कि मोटी दाढ़ी ऊंचा लहंगा वाले अच्छे इंसान भी हो सकते हैं यह मुमकिन नहीं

    हां इन्हों ने दरियापुर के कांग्रेस एम् एल ए गयासुद्दीन शैख़ को बहुत ही अच्छा व्यक्ति होने का सर्टिफिकेट जरूर दे दिया जिस से एम् एल ए श्री गद गद हो गए इतना कि गुजरात टुडे में दयाल को धन्यवाद के लिए पूरे ब्लॉग को विज्ञापन कि शक्ल में छपवा दिया आम तौर पर छोटे मोटे पत्रकारों के ब्लॉग को लोग कम देखते हैं लेकिन दरिया पुर के एम् एल ए श्री कि बुध्धि भृष्ट हो गई जो गुजरात टुडे में एड दे डाली जिस कारण दयाल कि तारीफ उन्हें ही भारी पड़ने लगी है मुस्लिम इस ब्लॉग के कारण प्रशांत दयाल के साथ साथ गयासुद्दीन से भी नाराज़ हो गए हैं तबलीग के काम से जुड़े सैय्यद का कहना है कि हमने विज्ञापन वाला अख़बार संभाल क्र रखा है इस जवाब २०१७ में लेंगे

    इंसाफ टीम के मुज़म्मिल इस मुद्दे पर आन्दोलन की बात कर रहे हैं याद रहे इंसाफ टीम हाल ही में दलित मुस्लिम आन्दोलन से सुर्ख़ियों में आई है यह टीम उना पदयात्रा में भी थी जिसकी मुसलमानों में अच्छी पैठ बनती जा रही है

    एम् एल ए श्री को यह नहीं भूलना चाहिए गुजरात तब्लीग जमात का मरकज़ दरियापुर में ही है जमात भले ही धार्मिक संगठन हो लेकिन इसकी तहरीक को इस सदी का सबसे सफल आन्दोलन कहा जाता है नदवातुल उलूम हो या देवबंद या अलीगढ ... भारत के हर गाँव शहर में इसका असर है मरकज़ के ज़िम्मेदारों का कहना है कि हम धरना प्रदर्शन या सड़क पर विरोध नहीं करते अल्लाह जानता है कौन बेहतर इन्सान है किसी के लिखने या नेताओं को बेहतर कह देने से तब्लीग जमात खराब नहीं हो जाती हम इस मुल्क के बाशिंदे हैं वोट देने का हक हमें भी है हम अल्लाह की राजा के लिए काम करते हैं हम ऐसे लोगों के लिए हिदायत कि दुआ करेंगे

    इस ब्लॉग में प्रमुख श्रध्धान्जली में गयासुद्दीन शेख द्वारा बोले विधानसभा में बोले शब्द को भी कोट किया गया है

    Quote ‘ગયાસુદ્દીન શેખે અક્ષર ધામ ઉપર થયેલ હુમલા ની ઘટના ઉલ્લેખ કરતા કહ્યું જયારે અક્ષરધામ ઉપર ત્રાસવાદી હુમલો થયો ત્યારે બીજા ની સાથે અમદાવાદ ના મુસ્લિમો પણ સ્તબ્ધ હતા ત્રાસવાદી નો ધર્મ ઇસ્લામ હતો’

    Unquote अक्षरधाम हमले के बाद ५ से ६ लोगों को पुलिस ने दरिया पुर शाहपुर से ग्रिफ्तार किया मन गढ़ंत कहानियां बना कर उन्हें ११ साल जेल में बंद रखा गुजरात कि अदालतों ने फंसी और उम्र क़ैद कि सजा भी दी लेकिन इस मुल्क की सब से बड़ी अदालत ने कहा यह लोग बेगुनाह हैं साथ ही कहा सरकारी एजेंसियों ने गलत तरीके से तहकीकात कि है इस के लिए सुप्रीम कोर्ट ने सरकार को लताड़ा भी है बड़े शर्म की बात है कि उसी इलाके से मुस्लिमों के वोट से जीतने वाला एम् एल ए फैसला आ जाने के बाद इस तरह कि बात विधान सभा में बोल रहा है यदि गुजरात के मुसलमानों क पास कांग्रेस के आलावा दूसरा विकल्प नहीं है तो इसका मतलब यह नहीं ये मुसलमान विकल्प नहीं पैदा कर सकते कांग्रेस को यह कहावत याद रखना चाहिए कि ज़रुरत ही आविष्कार कि माँ है

    इस तरह कि बात गयासुद्दीन शेख ही बोल सकते हैं क्योंकि उन का मानना है कि उन्हें मुस्लिम बहुल इलाके में हिन्दू वोट कांग्रेस को देता है तभी वह जीत पाते हैं मुनिस्पल चुनाव में कांग्रेस को मात्र ९ सीट ऐसी हैं जो वह हिन्दू इलाके से जीत पाई है इस से पता चलता हैं कि कितने हिन्दू वोटर हैं जो कोंग्रेस को वोट देते हैं

    विधानसभा में श्रध्धान्जली देने के लिए सभी पक्ष कि सहमती ज़रूरी है क्या कांग्रेस मुसलमानों के बड़े आलिम या दलित आगेवान को विधानसभा में खिराजे अकीदत पेश करने हिम्मत रखती है

    आम तौर पर मै अंग्रेजी या उर्दू में मज़ामीन लिखता हूँ इस मज़मून को हिंदी में इसलिए लिख रहा हूँ ताकि अधिक से अधिक लोग पढ़ सकें इसलिए गुज़ारिश करता हूँ कि अधिक से अधिक शेयर करें

    कलीम सिद्दीकी , अहमदाबाद

    ReplyDelete
    Replies
    1. MLA shree ane tame saheb maafi mangvi joiye karan k banne loko muslim samaj no lagdi dubhavi chhe
      Maafi nahi maangsho to mane court ma javani faraj padshe
      Aa reply ne legal notice consider karo eevi maari vinanti chhe

      Delete