Thursday, August 25, 2016

ભ્રષ્ટ પ્રજા કયારેય પ્રમાણિક નેતા પસંદ કરતી નથી.

મેં ગઈકાલે પત્રકારા ઉપર થઈ રહેલા પત્રકારોના હુમલાની વાત કરી , મારા એક મીત્રએ પોતાની કોમેન્ટમાં મારા પ્રયાસની પ્રસંશા કરી પણ લખ્યુ કે પીળુ પત્રકારત્વ વધ્યુ છે. હું આ મીત્રનો આભાર માનવા માગુ છુ કારણ તેમણે મને આ વિષય ઉપર લખવાની તક આપી છે. મને પત્રકાત્વનના લાલ-પીળા રંગની ખબર નથી કારણ મારે મન તો પત્રકારત્વ બ્લેક એન્ડ વાઈટ કરતા વિશેષ કઈ નથી, છતાં પોલીસ ચોર-નેતા ચોર છે અધિકારી ચોર છે અને બધુ જ ખાડે ગયુ છે તેવી એક સામાન્ય ફરિયાદ અને સુર છે તે અંગે હું આજે વાત કરવા માંગુ છુ.

જે આરોપ સરકાર અને વ્યવસ્થા ઉપર મુકાઈ રહ્યો છે તે નકારી શકાય તેમ નથી, પણ પત્રકાર-પોલીસ આપણા નેતા અને અધિકારી કયાંથી આવે છે તેવો એક સામાન્ય પ્રશ્ન છે, તેઓ કોઈ પરગ્રહથી આવતા નથી, તેઓ આપણી વચ્ચેથી જ આવે છે, કોઈ આપણો પિતા છે, કોઈ ભાઈ છે કોઈ પતિ છે તો કોઈ આપણો મીત્ર છે, સરકાર અને વ્યવસ્થામાં જે છે તે આપણા પોતાના જ છે,ત્યારે જેઓ જે વ્યવહાર કરી રહ્યા છે તેનો સીધો અર્થ એવો છે કે આપણે જેવા છીએ તેવા જ તેઓ પણ છે, જેઓ તેઓ કઈ ખોટુ કરે અથવા ભ્રષ્ટાચાર કરે છે તેનો સીધો અર્થ એવો જ થાય છે કે આપણે પણ તેવા જ છીએ માટે તેઓ પણ તેવા જ છે.

એક પત્રકાર તરીકે સરકાર અને વ્યવસ્થાને ગાળો દેવી તે મારૂ કામ છે, નરેન્દ્ર મોદી વિરોધપક્ષમાં હતા ત્યારે સરકારના આકરા ટીકાકાર હતા, કારણ તે તેમનું કામ હતું, પણ આજે તેઓ સરકારમાં છે ત્યારે ખબર પડે કે કેટલા વિશે સો થાય. ટીકા કરવી સહેલી છે, પણ ટીકા કરતી વખતે સામેની વ્યકિતની ખુરશીમાં એક ક્ષણ માનસીક રીતે બેસી જોવાની જરૂર છે, તો કદાચ ટીકા કરતા તેના ઉકેલની દીશામાં કઈક થઈ શકશે. વાત પીળા પત્રકારત્વથી શરૂ કરીએ, પત્રકારો ખોટુ જ લખે છે તેવી માન્યતા હોવા છતાં રોજ સવારે અખબાર હાથમાં પકડયા વગર ચાલતુ પણ નથી, ઘણાની રોજીદો ક્રમ પણ અખબાર આધારીત હોય છે.અખબારની કચેરીમાં રજા હોય તો જુના અખબારનો પણ આશરો લેવો પડે.

મને યાદ છે 2014માં મજેઠીયા પગાર પંચનો અમલ કરવો જોઈએ તેવો સુપ્રીમ કોર્ટને આદેશ હતો, ગુજરાતમાં નાના-મોટા અખબારના એક હજાર કરતા વધુ પત્રકારો હશે, પણ માત્ર દસ પત્રકારોએ પોતાના અખબાર સામે વાંધો ઉઠાવ્યો, જેમાં હું પણ એક હતો, હું દિવ્ય ભાસ્કરમાં હતો, અને મારી સાથે રહેલા દસ પત્રકારોએ પોતાની વાત કહેતા કોઈની રાજસ્થાન તો કોઈની મધ્ય પ્રદેશ અને મારી ઝારખંડ બદલી કરી દેવામાં આવી હતી, અમારી પાસે હાઈકોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. જીંદગીમાં પહેલી વખત એક પક્ષકાર તરીકે કોર્ટના પગથીયા ચઢવાના હતા. જયારે અમે આ પગલુ લીધુ ત્યારે અમારી ઉપર અભિનંદનનો વરસાદ વરસી પડયો હતો, તમે બહુ બહાદુર છો,તમારી હિમંતને દાદ દેવી પડે વગેરે વગેરે, પણ ત્યારે અમારો પગાર બંધ થઈ ગયો હતો, કોર્ટની ફિ કેવી રીતે ભરીશુ તેની ખબર ન્હોતી, મારા ક્ચ્છના પત્રકાર મીત્રોએ વકિલની ફિ આપવા માટે પોતાન દાગીના વેચીં ફિ ભરી હોવાની  મને જાણ છે.

અમને અભિનંદન આપનાર મીત્રોમાંથી બહુ ઓછા લોકોએ અમને મદદ કરવાની તૈયારી બતાડી હતી, હું તેમનો આભાર માનુ છે, પણ અમારી પાસે પૈસા નથી તેવુ કહેવાની હિમંત પણ અમારી પાસે  ન્હોતી. આ વાત હું એટલા માટે લખુ છે કે હું અને મારા સાથીઓ તમારામાંથી આવતા હતા, પણ અમારી સંખ્યા નાની હતી, તેનો અર્થ બહું સ્પષ્ટ હતો કે આપણા સમાજમાં લડનારની સંખ્યા નાની છે,, અને જે લડે તેની દરકાર પણ થતી નથી, કારણ મને બહાદુર કહ્યા પછી પણ મારે બાળકોની ફિ તો મારે ભરવાની જ હતી, મારે કરિયાણુ તો લાવવાનું જ હતું, ત્યારે મારી નૈતિકતા અથવા મારી બહાદુરીની કોઈ કિમંત ન્હોતી કારણ ત્યારે તો પૈસા જ આપવા પડે.

આ સ્થિતિમાં તમે એક સ્વચ્છ પત્રકારની અપેક્ષા રાખો તો તમારી અપેક્ષા વધારે પડતી લાગતી નથી, કારણ પ્રમાણિકતાની જવાબદારી કોઈની માથે ઢોળી દેવી બહુ સહેલી છે, વાત માત્ર પત્રકાર પુરતી સિમીત નથી તે આપણો પોલીસ અધિકારી-સચિવાલયનો કર્મચારી કે પછી એક સામાન્ય કલાર્ક હોય તેઓ તેવા જ છે જેવા આપણે છીએ, જો અાપણને કોઈને ખબર પડયા વગર પૈસા કમાવવા મળતા હોય તો તેમને પણ તેવી જ ઈચ્છા થાય છે કારણ તેઓ આપણી જેવા જ છે.આપણો નેતા ખોટુ બોલે છે કારણ આપણે ખોટા છીએ, આપણા પોલીસ અધિકારી ભ્રષ્ટ છે કારણ આપણને પણ પરવડે ત્યાં સુધી ભ્રષ્ટાચાર કરવો ગમે છે, મુંબઈ જતી ટ્રેનમાં જગ્યા ના હોય ત્યારે ટીકીટ કલેટકરને પૈસા આપી જગ્યા મળી જાય તો આપણે ભ્રષ્ટાચારની વાત કરતા નથી.

આપણી પ્રમાણિકતા સગવડી છે, જયાં સુધી આપણા ખીસ્સામાં પૈસા છે અને આપણુ કામ નિકળે ત્યાં સુધી આપણે સીસ્ટમ સારી લાગે છે,પણ જયારે તેવુ થતુ નથી, ત્યારે ફરિયાદનો સુર નિકળે છે, મારો અનુભવ કહે છે, પ્રમાણિકતાની કોઈ કિમંત હોતી નથી, કારણ સમાજ તમને મુર્ખ માને છે, અપ્રમાણિકતાની શરૂઆત પહેલા જરૂરીયાતથી થાય છે, પછી તે આદત બની જતી હોય છે એક આઈપીએસ અધિકારી મીત્રના કહેવા પ્રમાણે તેમની પોલીસમાં તેમની  છાપ પ્રેકટીલ અધિકારીની છે. જે અધિકારી પૈસા લેતા હોય તેની માટે પ્રેકટીકલ શબ્દ નવો આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે સીસ્ટમમાં પ્રેકટીકલ થયા વગર ચાલે તેમ નથી, પરંતુ જયારે તેઓ પરિવાર સાથે હોટલમાં જાય ત્યારે અચુક બીલ આપે છે, હોટલ માલિક ના પાડે તો પણ કારણ તેમના કહેવા પ્રમાણે તેમનો પુત્ર પ્રેકટીકલ થઈ જાય નહીં તેની તેમને ચીંતા છે.

આમ માણસનું એક મન તેને સતત પ્રમાણિક રહેવાની વાત કરે છે, પણ બીજી તરફ સમાજ તે માણસની પ્રમાણિકતાની કદર કરતુ નથી, બીજા એક આઈપીએસ અધિકારીએ મને કહ્યુ જયારે થોડા વર્ષો પહેલા  કોઈ પ્રમાણિક માણસ સાથે  વાત કરે ત્યારે એવુ કહેતા તમે ખુબ જ સારા છો પણ , અમે તમને અમારી ઓફિસમાં સહન કરી શકીશુ નહી, પણ આજે પ્રમાણિક માણસને તેવુ કહેવામાં આવે છે કે તમને દુનિયાદારીનું ભાન નથી, તમે મુર્ખ છો. જો આ સ્થિતિ જ સમાજની  હોય તો  નેતા-અધિકારી અને પત્રકાર પ્રમાણિક જ હોવો જોઈએ તેવી અપેક્ષા શુ કામ રાખી છીએ.

ટ્રેઈનની ટીકીટ લેવા માટે પૈસા આપી છીએ, આરટીઓમાં લાઈસન્સ લેવા માટે એજન્ટનો સહારો લઈએ છીએ. ઈન્કમ ટેકસ કેવી રીતે બચાવી શકાય તેની વેતરણ કરીએ છીએ, હેલ્મેટ વગર પોલીસ પકડે તો દંડ આપવાને બદલે પતાવટ કરીએ છીએ, ત્યારે આપણા સિવાય બધા જ પ્રમાણિક રહે તેવુ કેવી રીતે બને કારણ સરકાર અને વ્યવસ્થામાં બધા જ આપણા જ છે, કેટલાંક મીત્રો રહે છે હવે ગાંધીયુગ પુરો થયો, હું કહુ છુ આપણા દેશને ગાંધી અને સરદાર જેવા નેતા એટલા માટે મળ્યા કારણ તે યુગની પ્રજા તેવી હતી. આજે આપણે સ્વાર્થી, લાલચુ અને અપ્રમાણિક છીએ માટે સરકાર અને વ્યવસ્થા પણ તેવી જ છે. ત્યારે આપણો નેતા ગાંધી માર્ગે ચાલે તે કેવી રીતે શકય છે. મહુવાના ડૉ કનુ કલસરીયા તેનું ઉત્તમ ઉદાહરણ છે, તેમણે ડૉકટર થયા પછી મોટી હોસ્પિટલમાં કામ કરવાને બદલે ગામડામાં આવી સેવા કરી પણ ચુંટણીમાં ઉભા રહ્યા ત્યારે હારી ગયો, જો પ્રજા પ્રમાણિક હોત તો કલસરીયા હાર્યા જ ના હોત તેનો અર્થ ભ્રષ્ટ પ્રજા પ્રમાણિક નેતાને પસંદ કરતી નથી

પ્રમાણિક શબ્દ બહુ સાપેક્ષ છે, મારા મતે  ખરા અર્થમાં પ્રમાણિકની સંખ્યા નાની છે, છતાં સમાજનો મોટો વર્ગ ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે, કારણ તેઓ ભ્રષ્ટાચાર કરી શકે તેની તક મળી નથી અથવા તક મળી ત્યારે ડરના કારણે તેઓ ભ્રષ્ટાચાર કરી શકયા નથી .આમ કન્યાના અભાવે  પરાણે બ્રહ્મચારી રહેવાની વાત છે.

14 comments:

  1. You draw not only real but factual picture of our society! Great!

    ReplyDelete
  2. Indeed Dada. Rajkarnio ke adhikario pan Aapni vachche na j che etle fakt galo devano koi matlab nathi e loko e samjavu padshe.

    ReplyDelete
  3. Indeed Dada. Rajkarnio ke adhikario pan Aapni vachche na j che etle fakt galo devano koi matlab nathi e loko e samjavu padshe.

    ReplyDelete
  4. પ્રામાણિકતા બીજા પર દાખલો બેસાડવા માટે નહીં, પણ પોતાના માટે, પોતાની પસંદગીથી, 'માણસ તરીકે આમ જ વર્તાય' એવી સમજથી રહે, તો એ ટકાઉ બને--મુશ્કેલીમાં પણ તેની ટકી રહેવાની સંભાવના ઘણી વધી જાય.

    ReplyDelete
    Replies
    1. right ...... બધા સમસ્યાનુંં ચિત્રણ તો કરી શકે છે. પરંતુ સમાધાન કયા ?... લોકો કઇ રીતે પ્રામાણીક બની શકે
      તમે સમજની વાત કરી... પણ તે સમજ કઇ રીતે આવે ? ભારતીય સંસ્કૃતિનાં વૈદિક ગ્રંથોમાં આ સમાધાનના ઉર્ફે સમજણનાં માર્ગો છે... પરંતુ લેખકો આપણા ધર્મની સમજણ ભરી વાતોથી આભડ છેટ રાખી રહ્યા છે.

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. After reading this article I am here disclosing the statement by J.F.Ribero former DGP Gujarat and Punjab on TV why police is corrupt and violent.Police is reflection of society.If you have corrupt society you have corrupt police if violent society violent police.police comes from the society.I think Ribero Sirs statement is applicable to all of us.

    ReplyDelete
  7. આજે પ્રમાણિક માણસને તેવુ કહેવામાં આવે છે કે તમને દુનિયાદારીનું ભાન નથી, તમે મુર્ખ છો.

    ReplyDelete
  8. Great sir.we have to change ourselves first.

    ReplyDelete
  9. Great sir.we have to change ourselves first.

    ReplyDelete
  10. Great sir, badhu ochha loko akhu vachi sakse

    ReplyDelete