Monday, August 29, 2016

સોનલ તુ અમારી દિકરી છે , હવે તુ કયારેય વાડીયા જઈશ નહી તેની ખાતરી આપુ છુ.

સોનલ વાડીયા ગામની છોકરી દેહવિક્રયનો ધંધો કરે તેની જીંદગીમાં અનીલનું આગમન થયુ તે તેની સાથે ગામ છોડી ભાગી નિકળી, તે અમદાવાદ આવી છે અને તેણે અનિલ સાથે લગ્ન કર્યા છે તેવા સમાચાર મળ્યા ત્યારે કોઈ પણ કારણસર મનને એક પ્રકારની ટાઢક થઈ , હું સોનલને મળ્યો ન્હોતો અને ઓળખતો પણ ન્હોતો, છતાં વાડીયા જેવા ગામની છોકરી ગામની બહાર નિકળી લગ્ન કરે અને અનિલ જેવો છોકરો તેની સાથે લગ્ન કરે તે બન્ને બાબત મનને શાંતિ આપનારી હતી. મારા  એક મીત્ર દ્વારા તેમને મળવાનું થયુ   અને તેમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેની રૂપરેખા તૈયાર થઈ.

બીજા દિવસે રવિવારે મારે ત્યાંજ પત્રકારોને બોલાવી, તેમની વાત તેમના મોંઢે  કહેવાનું નક્કી  થયુ, અને  તેવુ જ થયુ પત્રકારો મારા કહેવાને કારણે આવ્યા અને તેમની વાત આખો દિવસ ટીવીમાં ચાલી, સાંજના છ વાગ્યા હતા, ત્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના મારા સાથી રીપોર્ટર પાર્થ શાસ્ત્રીનો ફોન આવ્યો, તેણે મને કહ્યુ તમને ખબર છે અનીલ પરણિત છે, અને તે બે બાળકો છે. આ વાકય સાંભળતા મારા હ્રદયના ધબકાર ચુકી ગયું, હું અંદરથી હલી ગયો. આવુ કેવી રીતે બને, મને તો આ બાબતની ખબર જ ન્હોતી, અનીલ પરણિત હોય તો આખી બદલાઈ જતી હતી, મેં તરત પાર્થનો ફોન મુકી જે મીત્ર દ્વારા મને તેમનો પરિચય થયો હતો તેમને ફોન જોડયો, તેઓ પણ આ બાબતથી અજાણ હતા, મેં કહ્યુ મારી અનીલ સાથે વાત કરાવો.

થોડીવારે તેમણે મને અનીલ સાથે વાત કરાવી , તે રડી રહ્યો હતો, હું મારી વાત કહુ તે પહેલા જ તેણે મને કહ્યુ હું સોનલને પ્રેમ કરૂ છુ, પણ હું પરણિત છુ તે વાત મે તમારાથી અને  સોનલથી છુપાવી હતી, કારણ હું પરણિત છુ તેવુ કહી સોનલને ગુમાવવા માગતો ન્હોતો, મેં લગ્ન કરતા પહેલા મારી પત્ની સાથે વાત કરી હતી, અને તેની મંજુરી બાદ જ મે લગ્ન કર્યા હતા. હું ભાંગી પડયો. એક તરફ હવે સોનલનું શુ થશે તેની ચીંતા મને ઘેરી વળી તેની જીંદગીમાં માંડ થોડા કલાક માટે સુખ આવ્યુ હતું, બીજી તરફ મારી ઉપર ભરોસો કરી જે પત્રકારો મીત્રોએ તેમની વાત રજુ કરી હતી તેમની નજરમાં હું ખોટો સાબીત થઈશ તેવી પીડા પણ થઈ, હું સોફા ઉપર બેસી ગયો, મારૂ મગજ વિચારતુ બંધ થઈ ગયુ

એક પત્રકાર તરીકે મારે આ બધી બાબતો વિચારવાની જરૂર ન્હોતી, પણ મને લાગી રહ્યુ હતું આ મારી સાથે અથવા મારા પરિવારના કોઈ સભ્ય સાથે બની રહ્યુ હતું, હું વિચારતો રહ્યો, અનીલ પરણિત હોય તો તેના સોનલ સાથેના લગ્નના ગેરકાયદે ઠરે, એક તરફ સોનલ હતી , બીજી તરફ અનીલની પત્ની અને બે બાળકો પણ હતા, આ તબ્બકે કોણ સાચુ તે કહેવુ મુશ્કેલ હતું છતાં અનીલે વાડીયા જેવા દેહવિક્રય કરતા ગામમાંથી સોનલ જેવી છોકરીને બહાર કાઢવાની હિમંત કરી હતી, સાથે તેના ઈરાદા પણ નેક હતા કારણ તેણે લગ્ન કરી તેને પત્નીને દરજ્જો પણ આપ્યો હતો. મેં મારી જાતને સમજાવી હું ખોટો સાબીત થયો તેના કરતા મહત્વની બાબત સોનલને કઈ રીતે હવે મદદરૂપ થઈ શકાય તેનું મહત્વ વધારે હતું, હું જાણતો હતો કે હું ખોટો ન્હોતો, કદાચ કોઈની નજરમાં મેં કોઈ વાત છુપાવી તેવો પ્રશ્ન ઉદ્દભવી શકે પણ, તેમની સાથે પછી વાત થઈ શકે તેમ હતી આજે મારે માટે સોનલની જીંદગી મહત્વની હતી. કારણ જો તેને મદદ નહી મળે તો તે પાછી વાડીયાના ધંધામાં પાછી ફરશે.

પણ મામલો ગુચવાઈ રહ્યો હતો, હું કાયદા, સામાજીક બંધનો અને લાગણીઓ વચ્ચે હવે કયો રસ્તો નિકળે તે અંગે વિચારી રહ્યો હતો, આખરે નક્કી થયુ કે અનીલ પોતાના પરિવાર પાસે પાછા જવુ જોઈએ, કારણ તે સોનલને પ્રેમ કરે છે અને તેનો પતિ હોવા છતાં તેને એક પત્ની અને બે બાળકો છે, કારણ વાડીયામાં અનીલ અને સોનલનો પરિવાર ઉપરાંત દલાલો હાથ ધોઈ તેમની પાછળ પડયા હતા, પોલીસ તંત્ર કાયદાની ઓથમાં પોતાનો ધંધો કરી રહ્યુ હતું, તેમને મન સોનલની જીંદગીનું કોઈ મહત્વ ન્હોતુ, અનીલને અનેક વિનંતી બાદ બનાસકાંઠા રવાના કરવામાં આવ્યો, હવે સોનલની સલામતીનો સવાલ હતો, કારણ ગમે ત્યારે વાડીયાના દલાલો અાવી પહોંચે તો તેને પાછી વાડીયા લઈ જાય અને તે ફરી દેહવિક્રયના ધંધામાં ધકેલાઈ જાય.

સોનલને પોલીસની મદદથી નારીસંરક્ષણ ગૃહમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો તે ખુબ રડી રહી હતી પણ તેની જીંદગી બચાવવા માટે કોઈ વિકલ્પ ન્હોતો, કુદરત પણ તેની સાથે આવી ક્રુર મઝાક કરશે તેની ખુદ સોનલને પણ કલ્પના ન્હોતી. સોનલ મારી ઘરેથી પત્રકારોને મળી જઈ રહી હતી ત્યારે મારી પત્નીએ મરાઠી પરંપરા પ્રમાણે તેના કપાળમાં હલદર કંકુ લગાવ્યુ, કારણ તે મારે ત્યાં એક સૌભાગ્યવતી સ્ત્રી તરીકે આવી હતી, તેણે જતી વખતે તે મને અને મારી પત્નીને પગે લાગી હતી, ત્યારે મનમાંથી એક જ પ્રાર્થના થઈ હતી સદા સુખી રહેજો. પણ તેનું સુખ આટલુ જલદી છીનવાઈ જશે તેની ખબર ન્હોતી.

સોનલ નારીસંરક્ષણ ગૃહમાં પહોંચી ગઈ, તે શુ કરતી હશે , તેના વિચાર મનને પરેશાન કરી રહ્યા હતા, મેં મારા પત્રકાર મીત્ર લક્ષ્મી પટેલને ફોન કર્યો, ત્યારે તે પોતાના વતન આક્રુંદ હતી, જે અમદાવાદથી એકસો કીલોમીટર દુર છે. જે મીત્ર દ્વારા સોનલ મને મળી તેને મળવા લક્ષ્મી પોતાના ગામથી આવી અને તેઓ બન્ને સોનલને મળ્યા. તેણે અનીલ સાથે પણ વાત કરી અનીલે તેને ખાતરી આપી છે કે તે પાછો આવશે અને તેને લઈ જશે. અનીલ પાછો આવશો કે નહીં તેની મને ખબર નથી, પણ મે મારી જાતને વચન આપ્યુ છે સોનલ તુ અમારી દિકરી છે હવે તુ વાડીયા પાછી જઈશ નહીં તેની ખાતરી આપુ છુ.તે માટે મારે વ્યકિતગત જે કિમંત ચુકવવી પડે તે માટે હું અને મારો પરિવાર તૈયાર છીએ.

લક્ષ્મી મારી કરતા ખુબ નાની છે્ પણ લડાયક છે, મારા અનેક મીત્રો છે, પણ મારી આ લડાઈમાં મારી પડખે કોણ ઉભુ રહેશે તેવો વિચાર આવ્યો ત્યારે લક્ષ્મીનું નામ પહેલુ યાદ આવ્યુ અને તે મારા એક ફોન ઉપર સો કિલોમીટર દુરથી દોડતી આવી, તેણે મને કહ્યુ દાદા તમે એકલા નથી આપણી સોનલ હવે વાડીયા કયારે પાછી જશે નહીં તેની હું તમને ખાતરી આપુ છુ.

9 comments:

  1. Dada don't worry any time and any how we are all friends with you

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. You do great job! Salute! If any kind of need like me,please contact.




    ReplyDelete
  4. dada ni mahanta koi na aanki shake....miss u dada

    ReplyDelete
  5. સર
    આપણી ક્યારે મૂલાકાત થઇ નથી, પણ 2010 માં પત્રકારત્વ શરુ કર્યું ત્યાર થી તમને વાંચું છું અને ફોલો કરૂ છું... તમે ક્યારે પણ એકલા નથી..

    ReplyDelete
  6. At this crucial juncture Sonal should be given all kinds of help to prevent her to go back to her village.

    ReplyDelete
  7. साहब आप सच्चे है आप के साथ सब लोग है.

    ReplyDelete