Wednesday, July 27, 2016

મારી માતા ખ્રીસ્તી છે, પણ તે હનુમાન ચાલીસાના પાઠ કરે છે.

એક દિવસ હું એક ગામમાં ગયો, મને મળવા માટે ગામના હરિજનો આવ્યા, તેમણે મને વિનંતી કરી કે ગામના મંદિરમાં તેમને પ્રવેશ મળતો નથી, અમને મંદિરમાં પ્રવેશ અપાવો..મેં તેમને કહ્યુ જે મંદિરમાં તમે જવા માંગો છો, તે મંદિરમાં રહેનાર ઈશ્વર જ તમારી સમસ્યાનું મુળ છે, તેવા મંદિરમાં તમારે શુ કામ જવુ છે..  જે  મંદિરનો પુજારી તમને ધુત્કારે છે, તેની પાસે તમારે કેમ જવુ છે......................... આવા મંદિરો.......... મારી વાત સાંભળી મને તેમણે સવાલ કર્યો. તમે નાસ્તીક છો.. મેં કહ્યુ હા હું નાસ્તીક છુ, અને પેલા લોકો આસ્તીક છે. શબ્દો ઓશો રજનીશના છે.

બે દિવસ પહેલા મને અમદાવાદના એક સિનિયર પોલીસ ઓફિસરે ઓશો રજનીશની ઓડીયો ક્લીપ મોકલાવી હતી, જો કે ઓડીયો ક્લીપ  ખાસ્સી  જુની છે, પણ રજનીશને સાંભળ્યા પછી મને લાગ્યુ કે રજનીશ ઉના પ્રકરણનો જ જવાબ આપી રહ્યા હોય તેવુ લાગે છે. રજનીશની  ઓડીયો ક્લીપ પ્રમાણે   ભાષણમાં કહે છે, મને કોઈએ કહ્યુ હરિજનો ઉપર અત્યાચાર થાય, તેઓ હિજરત કરી રહ્યા છે, તેમની  મકાનો સળગાવી દેવામાં આવે, તેમની બેન-દિકરીઓ સાથે ખરાબ કૃત્ય થાય છે અને તમે કઈ કરતા નથી, મેં જવાબ આપ્યો હું કઈ નહીં કરૂ, કારણ જેમની  સાથે તેમના જ  હિન્દુ ધર્મમાં જ આવો વ્યવહાર થઈ રહ્યો છે, તેમણે  શા માટે હિન્દુ ધર્મમાં રહેવુ જોઈએ. કેમ તેઓ હિન્દુ ધર્મમાંથી બહાર નિકળતા નથી.

રજનીશ આગળ જતા કહે છે વર્ષો પહેલા  તેઓ જયપુરની લીયોનોર્ડ થીયોલોજીકલ કોલેજના પ્રિન્સીપાલ મેકવાનના ઘરે ગયા હતા, મેકવાન ગુજરાતી હતા, મેકવાને પોતાના પિતાની એક જુની તસવીર બતાડી કહ્યુ આ મારા પિતા હરિજન હતા, ભીખ માંગતા હતા, ત્યાર બાદ મેકવાને પોતાની નેવુ વર્ષની માતા સાથે ઓળખાણ કરાવી, રજનીશ કહે છે તે વૃધ્ધ સ્ત્રીના ચહેરા ઉપરની ચામડીઓની કરચલીઓ તેણે વેઠેલી વેદનાઓ કહી રહી હતી, ત્યાર બાદ મેકવાને પોતાની દિકરી સરોજ સાથે ઓળખાણ કરાવી તે એક અમેરીકનને પરણી હતી, રજનીશ કહે છે દુનિયાની સુંદર યુવતીમાં સરોજનો સમાવેશ થાય એટલી તે સુંદર હતી.

મેકવાને પોતાની વાત રજનીશ સામે મુકતા કહ્યુ મારા પિતા ભીખ માંગતા માંગતા મૃત્યુ પામ્યા, અમારી પાસે ગરીબી સિવાય કઈ ન્હોતુ મારી માતાએ ખ્રીસ્તી ધર્મ અંગીકાર કર્યો , જેના કારણે હું સ્કુલમાં જઈ શકયો અને તેમણે  જ મને વિદેશ ભણવા પણ મોકલ્યો, મારી માં ખ્રીસ્તી થઈ ગઈ, પણ આજે પણ હનુમાન ચાલીસા કરે છે. મેકવાન કહે છે મારી પત્ની પણ પ્રોફેસર છે અને મારી દિકરી અમેરીકા ભણી અને ત્યાં જ લગ્ન કર્યા, રજનીશ આ વાતને ટાંકતા કહે છે મેકવાનની માતાએ ખ્રીસ્તી થવાનો નિર્ણય કર્યો તેના કારણે ત્રણ પેઢીઓ વચ્ચે આવેલો ફેર મને દેખાયો.

ત્યાર બાદના ભાષણમાં રજનીશ મનુવાદી પરંપરા, ભગવાન રામ અને તુલસીદાસ સહિતની અનેક ઘટનાઓ ટાંકી દલિતોને કહે છે દેવતાઓ અને શાસ્ત્રો તો માને છે કે દલિત ધુણાને જ પાત્ર છે તો પછી તમારે તેવા દેવતાઓની સ્તુતી શુ કામ કરવી જોઈએ અને તેવા શાસ્ત્રો અને તેવા ધર્મનો ત્યાગ કેમ કરતા નથી. રજનીશ કહે છે કોઈ દલિત ખ્રીસ્તી થઈ જાય તો હિન્દુ તેને પોતાની સામેની ખુરશીમાં બેસાડે છે, તે મુસલીમ થઈ જાય તો તેને મીર સાહેબ કહી ગાદી ઉપર બેસાડે છે પણ જો તે દલિત જ રહે તો તેનું સ્થાન ઘરની બહાર સીડીઓ પાસે જ રહે છે

( ઓડીયો ક્લીપ નાની છે, જેમને મારો બ્લોગ વોટસઅપ ઉપર મળે છે તેમને ક્લીપ મોકલી રહ્યો છુ, પણ અન્ય કોઈને તે સાંભળવી હોય તો મારા મોબાઈલ નંબર 09825047682 ઉપર વોટસએપ ઉપર નામ સાથે એક સંદેશો મુકવો, શકય એટલી જલદી ક્લીપ મોકલવા પ્રયત્ન કરીશ)

13 comments:

  1. ખૂબ સરસ, દાદા

    ReplyDelete
  2. મારા દિલની વાત કરી!

    ReplyDelete
  3. When I was In the job I discussed with my Ketalite Christian colleague about large numbers of converted Christians in Kerala where literary was on number one position.He replied that his forefathers were pure Brahmin but considering the miserable condition of Dalits they asked them to convert themselves in to Christianity.Missionaries also making hard efforts to convert themselves by luring them but Dalits were adamant.Hence some of high cast brahmin came forward and converted them selves into christianity to make Dalits free from the atrocity.I think this instance of Brahmin is somewhat similar to the thinking of Rajnishji

    ReplyDelete
  4. Dear Prassntbhai some time please give feedback on my comments if you like to give because this will more inspire me

    ReplyDelete
  5. Dear Prassntbhai some time please give feedback on my comments if you like to give because this will more inspire me

    ReplyDelete
  6. Nice heart'touching story and audio clip

    ReplyDelete
  7. Nice heart'touching story and audio clip

    ReplyDelete