જયારે ગુજરાત પોલીસે કરેલા એન્કાઉન્ટરોનો મામલો સામે આવ્યો ત્યારે, એક હોબાળો થયો, ગુજરાત પોલીસ તપાસ બરાબર કામ કરતી નથી, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને શૌરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી, બધા બહુ રાજી થયા. આ પ્રકરણનો હું કમનસીબે અથવા સદ્દનસીબે પ્રત્યક્ષ સાક્ષી બન્યો, રોજે રોજ સીબીઆઈની ઓફિસે જવાનું થતુ હતું, ક્રાઈમ રીપોર્ટર હોવાને કારણે અને વર્ષો સુધી એક જ કામ કર્યુ હોવાને કારણે કયા ગુનાની તપાસ કઈ રીતે થઈ શકે, કયાં પુરાવાઓ લેવા જોઈએ, કઈ રીતે તથ્ય સુધી પહોંચી શકાય તેવી પ્રાથમિક સમજ તો આવી ગઈ હતી, અને ખરેખર તો મોટા ભાગના કિસ્સામાં તપાસમાં મહત્વની ભુમીકા તો કોન્સટેબલ અને હેડકોન્સટેબલોની જ છે.
મે સીબીઆઈના અધિકારીઓને એન્કાઉન્ટર જેવા ગંભીર ગુનાની તપાસ કરતા જોયા તે જોઈ આધાત લાગ્યો, મને લાગ્યુ કે આના કરતા આ તપાસ ગુજરાત પોલીસના કોઈ પણ હેડ કોન્સટેબલે કરી હોત તો પણ વધુ સારી રીતે થઈ શકી હોત. આ ઉપરાંત સીબીઆઈ અત્યંત ધીમી બ્રાન્ચ છે, દરેક કાગળની તપાસ કરતા પહેલા તેમણે દિલ્હી હેડકવાર્ટરને પુછવુ પડે., અને દિલ્હીમાં જ હેડકાવર્ટર હોવાને કારણે રાજકિય હસ્તક્ષેપનો સંપુર્ણ અવકાશ છે. સીબીઆઈની મર્યાદા પણ પહેલી તો સ્થાનિક ભાષાથી તેઓ માહિતગાર હોતા નથી, શૌરાબઉદ્દીન કેસની તપાસ કરી રહેલા ડીએસપી અમીતાભ ઠાકુર ઓરીસ્સાના હતા, અને ડીઆઈજી કંદાસ્વામી તામીલનાડુના હતા,બીજી પણ અનેક મર્યાદાઓ હોય છે, જેમાં પાંચ-સાત માણસો દિલ્હીથી જેમ્સ બોન્ડની જેમ ગુજરાત આવી જાય, જયા તેમને કોઈ ઓળખતુ નથી, સંપર્કો નથી ત્યારે તે શ્રેષ્ઠ પરિણામ આપે તેવી અપેક્ષા પણ વધુ પડતી છે.
સીબીઆઈની જેમ દરેક રાજયો પાસે પોતાની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છે, આ તો ટીવી ઉપર આવતી સીઆઈડી સિરીયલના એસીપી પ્રદ્યુમનનો આભાર માનવો જોઈએ કે તેમણે સાચી સીઆઈડીની આબરૂ બચાવી છે, કારણ કે ખરેખર સિરીયલમાં જે રીતે સીઆઈડી ઓફિસરો કામ કરે છે તેના કરતા વિપરીત સ્થિતિમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કામ કરે છે. જયારે પણ ગુજરાત સીઆઈડી ક્રાઈમની રચના કરવામાં આવી હશે ત્યારના શાસકો અને સંબંધીત અધિકારીઓના ઈરાદોએ નેક હશે પણ આજે તેની જમીની વાસ્વીકતા જુદી છે.
છેલ્લાં કેટલાય વર્ષોથી હું જોઈ રહ્યો છુ, રાજય સરકાર અથવા કોઈ ઉચ્ચ અધિકારીને કોઈ પોલીસ અધિકારી સામે વાંધો પડે એટલે તરત હુકમ છુટે તેમને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં મુકી દો. પ્રજા માટે સીઆઈડી શબ્દ બહુ પ્રભાવશાળી છે, પણ જેમને મુકવામાં આવે છે તે તમામ અધિકારીઓ સીઆઈડીની નોકરીને સજા રૂપે મુકાયા હોવાનું માને છે.સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં બે પ્રકારના અધિકારીઓ મુકાય છે, જેમને અવારનવાર રાજકિય નેતાઓ અને સિનિયરો સાથે બાખડી પડવાની ટેવ છે અને બીજો પ્રકાર છે જેમની સામે ભ્રષ્ટાચાર સહિતના વિવિધ આરોપો થયા છે, તેમને સીઆઈડીમાં મુકી દેવામાં આવે છે. આ બન્ને પ્રકારના અધિકારીઓ મોટા ભાગે અહિયા આવે ત્યારે નિરાશામાં જ હોય છે, સવારે દસના ટકોરે આવે સાંજના છ વાગતા ઓફિસો બંધ કરી જતા રહે. બહુ ઓછા અધિકારીઓને મેં જોયા છે કે સીઆઈડી ક્રાઈમમાં તેમને સજા તરીકે મુકયા હોય તેમ છતાં તેઓ પોતાનું કામ પ્રમાણિકપણે કરે છે.
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને પોલીસનો મોટો વર્ગ સજા કેમ ગણે છે, તેની અહિયા પગાર ઉપરાંતના પૈસા કમાવવાની તક બહુ ઓછી મળે છે, પોલીસ સ્ટેશનની જેમ રોજે રોજ કેસ નોંધાતા નથી, રાજય સરકાર અથવા કોર્ટ આદેશ કરે ત્યારે કેસ સીઆઈડી પાસે આવે છે. ટીવી સિરીયલમાં બતાડે છે તેમ બધા જ ગુનાની જગ્યાએ સીઆઈડી ઓફિસરો જઈ શકે તેવી પરવાનગી પણ તેમને નથી. પણ જે પોલીસ અધિકારીઓને ઉપરના પૈસા કમાવવા નથી , તેઓ પણ અહિયા રાજી નથી તેની પાછળનું કારણ એવુ છે કે ખુદ રાજય સરકાર જ જયારે આ બ્રાન્ચને પનીશમેન્ટ બ્રાન્ચ તરીકે ઉપયોગ કરે છે, ત્યારે જરૂરી સુવીધાઓને પણ અભાવ છે.
હાલમાં ગાંધીનગર ડીજીપી ઓફિસમાં બેસતી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં તમે જશો તો તમે સીઆઈડી અંગે કલ્પના કરેલો તમામ ભ્રમ તુટી જશે, સાબરમતી સેન્ટ્રલ જેલની સાંકડી બેરેકો કરતા પણ નાની પોલીસ ઈન્સપેકટરોની ચેમ્બર છે, લગભગ આઠ બાય આઠની , આ નાનકડી ખોલી જેવી ચેમ્બરમાં ઈન્સપેકટર અને તેના બે કોન્સટેબલો પણ બેસે. એક સીઆઈડી ઈન્સપેકટરની આખી ઓફિસ અને બધો જ સ્ટાફ એક નાનકડી ખોલીમાં આવી જાય, તેમાં વર્ષો જુના ફાઈલોના ઢગલ્લા પણ પડયા હોય. કોઈ પરિચીત ઈન્સપેકટરને તમે મળવા જાવ તો તમને પાણી પીવડાવવા માટે તે જાતે વોટર કુલર ઉપર જઈ પાણી લઈ આવે તેવી સ્થિતિ છે.. સ્ટાફમાં દરેક ઈન્સપેકટર સાથે બે જ માણસો છે, તેની સામે નકલી એસીપી પ્રદ્યુમન પાસે એક ડઝન જેટલો સ્ટાફ રહે છે.
રાજય સરકાર સજા કરવા માગે તો બરાબર જ કરેને.. સીઆઈડી ઈન્સપેકટરો પાસે સરકારી વાહનો પણ પુરતા પ્રમાણમાં નથી, એક ઈન્સપેકટર સરકારી જીપ લઈ કોઈ કામે જાય, તો બીજો ઈન્સપેકટર જીપ પાછી આવે તેની રાહ જોતો બેસી રહે છે. આ વાતમાં અતિશયોકતિ જરા પણ નથી આ વાસ્વીકતા છે. હવે આ સ્થિતિમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કામ કરતી હોય ત્યારે સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઈ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે ત્યારે શ્રેષ્ઠ તપાસની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.
સ્ટાફ નથી, વાહન નથી, જરૂરી સુવીધા નથી અને સૌથી અગત્યની અહિયા કામ કરવાની ઈચ્છાશકિત નથી ત્યારે આ સીઆઈડી ઓફિસરોને તપાસ સોંપી કોને ન્યાય મળશે તે મોટો પ્રશ્ન હોય છે. સામાન્ય પ્રજા માટે અને હાઈકોર્ટને મુરખ બનાવવા માટે રાજય સરકાર કહી દેતી હોય છે કે અમે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી દઈએ છીએ, પણ મારો અનુભવ અને સરકારી આંકડાઓ કહે છે કે જે તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે ગઈ તેમાં બહુ ઓછા કેસમાં કઈક ભલીવાર આવ્યો છે, બાકી ફાઈલોના ઢગલ્લામાં વધુ એક કેસનો ઉમેરો થાય છે, સરવાળે કોઈને કઈ મળતુ નથી, બહેતર છે ન્યાય માંગવા નિકળેલા લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ કોઈ પ્રમાણિકની સાથે કાબેલ અધિકારીઓને મુકવાની માગણી કરી તપાસ તેમની પાસે જ કરવાનો આગ્રહ રાખે તો કદાચ પરિણામ મળશે.
તમામ પ્રમાણિક અધિકારીઓ કાબેલ પણ હોતા નથી, અનેક વખત મેં અપ્રમાણિક અધિકારીઓને પણ પ્રમાણિકપણે કામ કરતા જોય છે ત્યારે તેમના શરિર ઉપર રહેલા ખાખી કપડાની તેમણે લાજ જાળવી છે, વાત જરા વિચિત્ર લાગે તેવી છે. એટલે જ તો ઘણી વખત અપ્રમાણિકો કરતા પ્રમાણિકનો ડર વધારે લાગે છે. કારણ તેમની નિષ્ક્રીયતા અત્યંત ઘાતક હોય છે.
મે સીબીઆઈના અધિકારીઓને એન્કાઉન્ટર જેવા ગંભીર ગુનાની તપાસ કરતા જોયા તે જોઈ આધાત લાગ્યો, મને લાગ્યુ કે આના કરતા આ તપાસ ગુજરાત પોલીસના કોઈ પણ હેડ કોન્સટેબલે કરી હોત તો પણ વધુ સારી રીતે થઈ શકી હોત. આ ઉપરાંત સીબીઆઈ અત્યંત ધીમી બ્રાન્ચ છે, દરેક કાગળની તપાસ કરતા પહેલા તેમણે દિલ્હી હેડકવાર્ટરને પુછવુ પડે., અને દિલ્હીમાં જ હેડકાવર્ટર હોવાને કારણે રાજકિય હસ્તક્ષેપનો સંપુર્ણ અવકાશ છે. સીબીઆઈની મર્યાદા પણ પહેલી તો સ્થાનિક ભાષાથી તેઓ માહિતગાર હોતા નથી, શૌરાબઉદ્દીન કેસની તપાસ કરી રહેલા ડીએસપી અમીતાભ ઠાકુર ઓરીસ્સાના હતા, અને ડીઆઈજી કંદાસ્વામી તામીલનાડુના હતા,બીજી પણ અનેક મર્યાદાઓ હોય છે, જેમાં પાંચ-સાત માણસો દિલ્હીથી જેમ્સ બોન્ડની જેમ ગુજરાત આવી જાય, જયા તેમને કોઈ ઓળખતુ નથી, સંપર્કો નથી ત્યારે તે શ્રેષ્ઠ પરિણામ આપે તેવી અપેક્ષા પણ વધુ પડતી છે.
સીબીઆઈની જેમ દરેક રાજયો પાસે પોતાની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છે, આ તો ટીવી ઉપર આવતી સીઆઈડી સિરીયલના એસીપી પ્રદ્યુમનનો આભાર માનવો જોઈએ કે તેમણે સાચી સીઆઈડીની આબરૂ બચાવી છે, કારણ કે ખરેખર સિરીયલમાં જે રીતે સીઆઈડી ઓફિસરો કામ કરે છે તેના કરતા વિપરીત સ્થિતિમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કામ કરે છે. જયારે પણ ગુજરાત સીઆઈડી ક્રાઈમની રચના કરવામાં આવી હશે ત્યારના શાસકો અને સંબંધીત અધિકારીઓના ઈરાદોએ નેક હશે પણ આજે તેની જમીની વાસ્વીકતા જુદી છે.
છેલ્લાં કેટલાય વર્ષોથી હું જોઈ રહ્યો છુ, રાજય સરકાર અથવા કોઈ ઉચ્ચ અધિકારીને કોઈ પોલીસ અધિકારી સામે વાંધો પડે એટલે તરત હુકમ છુટે તેમને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં મુકી દો. પ્રજા માટે સીઆઈડી શબ્દ બહુ પ્રભાવશાળી છે, પણ જેમને મુકવામાં આવે છે તે તમામ અધિકારીઓ સીઆઈડીની નોકરીને સજા રૂપે મુકાયા હોવાનું માને છે.સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં બે પ્રકારના અધિકારીઓ મુકાય છે, જેમને અવારનવાર રાજકિય નેતાઓ અને સિનિયરો સાથે બાખડી પડવાની ટેવ છે અને બીજો પ્રકાર છે જેમની સામે ભ્રષ્ટાચાર સહિતના વિવિધ આરોપો થયા છે, તેમને સીઆઈડીમાં મુકી દેવામાં આવે છે. આ બન્ને પ્રકારના અધિકારીઓ મોટા ભાગે અહિયા આવે ત્યારે નિરાશામાં જ હોય છે, સવારે દસના ટકોરે આવે સાંજના છ વાગતા ઓફિસો બંધ કરી જતા રહે. બહુ ઓછા અધિકારીઓને મેં જોયા છે કે સીઆઈડી ક્રાઈમમાં તેમને સજા તરીકે મુકયા હોય તેમ છતાં તેઓ પોતાનું કામ પ્રમાણિકપણે કરે છે.
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને પોલીસનો મોટો વર્ગ સજા કેમ ગણે છે, તેની અહિયા પગાર ઉપરાંતના પૈસા કમાવવાની તક બહુ ઓછી મળે છે, પોલીસ સ્ટેશનની જેમ રોજે રોજ કેસ નોંધાતા નથી, રાજય સરકાર અથવા કોર્ટ આદેશ કરે ત્યારે કેસ સીઆઈડી પાસે આવે છે. ટીવી સિરીયલમાં બતાડે છે તેમ બધા જ ગુનાની જગ્યાએ સીઆઈડી ઓફિસરો જઈ શકે તેવી પરવાનગી પણ તેમને નથી. પણ જે પોલીસ અધિકારીઓને ઉપરના પૈસા કમાવવા નથી , તેઓ પણ અહિયા રાજી નથી તેની પાછળનું કારણ એવુ છે કે ખુદ રાજય સરકાર જ જયારે આ બ્રાન્ચને પનીશમેન્ટ બ્રાન્ચ તરીકે ઉપયોગ કરે છે, ત્યારે જરૂરી સુવીધાઓને પણ અભાવ છે.
હાલમાં ગાંધીનગર ડીજીપી ઓફિસમાં બેસતી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં તમે જશો તો તમે સીઆઈડી અંગે કલ્પના કરેલો તમામ ભ્રમ તુટી જશે, સાબરમતી સેન્ટ્રલ જેલની સાંકડી બેરેકો કરતા પણ નાની પોલીસ ઈન્સપેકટરોની ચેમ્બર છે, લગભગ આઠ બાય આઠની , આ નાનકડી ખોલી જેવી ચેમ્બરમાં ઈન્સપેકટર અને તેના બે કોન્સટેબલો પણ બેસે. એક સીઆઈડી ઈન્સપેકટરની આખી ઓફિસ અને બધો જ સ્ટાફ એક નાનકડી ખોલીમાં આવી જાય, તેમાં વર્ષો જુના ફાઈલોના ઢગલ્લા પણ પડયા હોય. કોઈ પરિચીત ઈન્સપેકટરને તમે મળવા જાવ તો તમને પાણી પીવડાવવા માટે તે જાતે વોટર કુલર ઉપર જઈ પાણી લઈ આવે તેવી સ્થિતિ છે.. સ્ટાફમાં દરેક ઈન્સપેકટર સાથે બે જ માણસો છે, તેની સામે નકલી એસીપી પ્રદ્યુમન પાસે એક ડઝન જેટલો સ્ટાફ રહે છે.
રાજય સરકાર સજા કરવા માગે તો બરાબર જ કરેને.. સીઆઈડી ઈન્સપેકટરો પાસે સરકારી વાહનો પણ પુરતા પ્રમાણમાં નથી, એક ઈન્સપેકટર સરકારી જીપ લઈ કોઈ કામે જાય, તો બીજો ઈન્સપેકટર જીપ પાછી આવે તેની રાહ જોતો બેસી રહે છે. આ વાતમાં અતિશયોકતિ જરા પણ નથી આ વાસ્વીકતા છે. હવે આ સ્થિતિમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કામ કરતી હોય ત્યારે સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઈ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે ત્યારે શ્રેષ્ઠ તપાસની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.
સ્ટાફ નથી, વાહન નથી, જરૂરી સુવીધા નથી અને સૌથી અગત્યની અહિયા કામ કરવાની ઈચ્છાશકિત નથી ત્યારે આ સીઆઈડી ઓફિસરોને તપાસ સોંપી કોને ન્યાય મળશે તે મોટો પ્રશ્ન હોય છે. સામાન્ય પ્રજા માટે અને હાઈકોર્ટને મુરખ બનાવવા માટે રાજય સરકાર કહી દેતી હોય છે કે અમે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી દઈએ છીએ, પણ મારો અનુભવ અને સરકારી આંકડાઓ કહે છે કે જે તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે ગઈ તેમાં બહુ ઓછા કેસમાં કઈક ભલીવાર આવ્યો છે, બાકી ફાઈલોના ઢગલ્લામાં વધુ એક કેસનો ઉમેરો થાય છે, સરવાળે કોઈને કઈ મળતુ નથી, બહેતર છે ન્યાય માંગવા નિકળેલા લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ કોઈ પ્રમાણિકની સાથે કાબેલ અધિકારીઓને મુકવાની માગણી કરી તપાસ તેમની પાસે જ કરવાનો આગ્રહ રાખે તો કદાચ પરિણામ મળશે.
તમામ પ્રમાણિક અધિકારીઓ કાબેલ પણ હોતા નથી, અનેક વખત મેં અપ્રમાણિક અધિકારીઓને પણ પ્રમાણિકપણે કામ કરતા જોય છે ત્યારે તેમના શરિર ઉપર રહેલા ખાખી કપડાની તેમણે લાજ જાળવી છે, વાત જરા વિચિત્ર લાગે તેવી છે. એટલે જ તો ઘણી વખત અપ્રમાણિકો કરતા પ્રમાણિકનો ડર વધારે લાગે છે. કારણ તેમની નિષ્ક્રીયતા અત્યંત ઘાતક હોય છે.
Good article
ReplyDeleteVery true and very closer with reality..
ReplyDeleteGood article
ReplyDeleteGood
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete"No Comment".....
ReplyDelete....
....
...
...
...
...but
is itself a big comment.
Dada...i wish u had given details abt how CID failed to do its work in many past cases..such as Dipesh Abhishek murder..and how CID acts as a puppet to cover up important cases.
ReplyDeleteDada...i wish u had given details abt how CID failed to do its work in many past cases..such as Dipesh Abhishek murder..and how CID acts as a puppet to cover up important cases.
ReplyDeleteबहुत जोरदार टिप्पडी की सर जी.
ReplyDeleteबहुत जोरदार टिप्पडी की सर जी.
ReplyDeleteDada Jordar
ReplyDeleteDada Jordar
ReplyDeleteનગ્ન સત્ય ! સુરક્ષા એજસીઓ વિષે હકીકત જાણ્યા વગર લોકોને ગમતી કોમેન્ટ કરતા ધણાને જાણ્યા, પરંતુ ખરેખર જેને સમાજની ચોથી જાગીરનુ બિરુદ છે, તે ટાઈટલ ની સંપૂર્ણ જવાબદારી અદા કરતા આ લેખ બદલ શ્રી પ્રશાંત ને લાખ લાખ અભિનંદન .....
ReplyDeleteનગ્ન સત્ય ! સુરક્ષા એજસીઓ વિષે હકીકત જાણ્યા વગર લોકોને ગમતી કોમેન્ટ કરતા ધણાને જાણ્યા, પરંતુ ખરેખર જેને સમાજની ચોથી જાગીરનુ બિરુદ છે, તે ટાઈટલ ની સંપૂર્ણ જવાબદારી અદા કરતા આ લેખ બદલ શ્રી પ્રશાંત ને લાખ લાખ અભિનંદન .....
ReplyDeleteAlmost all branches are having its own importance whether it may be crime ,
ReplyDeleteLcb,IB Spl Branch Pcb Control Room etc.Those who want to work with honesty and sincerely will work in any branch with full vigour and enthusiasm in any branch
O
CID naam bade darshan khote, Gajjab article lakhyo chhe. CID ni pole bahar padva mate Dhanyavad. Aava department ma nirdosh manas ni shi halat thay, CID naam sambhali ne loko gabharay chhe pan aa bahu sharam janak chhe. Prashantbhai tamaro khub khub aabhar.
ReplyDeleteCID CRIME & CBI એટલે કેસોની કબર, સરકાર આદેશ કરે તો મડદું જીવતું થાય.
ReplyDeleteCID CRIME & CBI એટલે કેસોની કબર, સરકાર આદેશ કરે તો મડદું જીવતું થાય.
ReplyDeleteHakikat sathe rubaru karavto blog.. Lot's to observe..
ReplyDelete