ઉનાની ઘટનાના પ્રત્યાધાત હજી કેટલાં દિવસ પડશે તે હમણાં કહેવુ મુશ્કેલ છે, હમણાં સુધી કુલ દસ દલીતોએ ઝેર ઘોળ્યુ અને એક પોલીસ કોન્સેબલનું અમરેલીમાં પથ્થરમારામાં મોત નિપજયુ હજી કેટલાં લોકોના જીવ જશે તે કહેવુ મુશ્કેલ છે.પરંતુ આપણે વાસ્વીકતાથી આંખ મીચામણા કરીશુ તો પરિસ્થિતિ હજી બગડશે, આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ગુજરાતમાં ગાયોની કુલ વસ્તી કરતા ગૌરક્ષકોની સંખ્યા વધી ગઈ છે, સાફ શબ્દોમાં કહુ તો મોટા ભાગના રક્ષકોએ હવે ગૌરક્ષાના એક વ્યવસાય બનાવી લીધો છે.પોલીસ કસાઈ અને ગૌરક્ષકોની સાંઠગાંઠને કારણે કહેવાતા ગૌરક્ષકો આ ધંધા તરફ આકર્ષયા છે.
એક જમાનો હતો જયારે ગુજરાતના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પણ ત્રણ બાબતોના પૈસા લેતા ન્હોતા, જેમાં લોહીનો વેપાર અર્થાત વેશ્યાનો, હત્યાનો પૈસો અનેમુંગા જાનવરોનો પૈસા અર્થાત કસાઈના પૈસાને સ્પર્શ પણ કરતા ન્હોતા, પણ આજે પોલીસ પણ સમય સાથે બદલાઈ અને તેમને મન પૈસો એટલે પૈસો છે પછી તે કોઈ પણ રસ્તે આવે તેનો કોઈ ફર્ક પડતો નથી, તેવી જ રીતે કપાળ ઉપર તીલક પોતાને ગૌરક્ષકની ઓળખ આપી શહેરમા પ્રવેશવાના રસ્તાઓ ઉપર ઉભા રહી ટ્રકોમાં આવતા ગૌવંશને રોકી કસાઈઓ સાથે તોડપાણી કરવાનો પણ એક ધંધો થઈ ગયો છે.
હું કોઈના નામોઉલ્લેખ કરતો નથી પરંતુ ગૌરક્ષકના નામે કસાઈઓ સાથે તોડપાણીનો હિસાબ નહીં થતાં માર્યા ગયેલા રક્ષકોને આપણે શહિદનો દરજ્જો આપ્યો છે અને તેમના નામે ચોક પણ થયા છે.પણ આખો મામલો સંવેદનશીલ હોવાને કારણે સાથે પત્રકારાનો મોટો વર્ગ હિન્દુ હોવાને કારણે આ મામલે જાહેરમા ખાસ કઈ લખાયુ નથી. પણ ઉનાની ઘટના આવી જ બાબતોની નજીક હોવાની ગંધ આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાણવવાની જવાબદારી પોલીસની છે ત્યારે ગૌવંશનું રક્ષણ કરવાની જવાબદારી પણ પોલીસને જ છે આમ છતાં દરેક શહેર અને ગામમાં પોતાને ગૌરક્ષક કહેડાવતા લોકોની સંખ્યામાં કેમ વધારો થઈ રહ્યો છે તે અંગે કોઈ વિચારતુ નથી.
ગૌવંશનું માંસ ખાવુ નહી તેવુ કહેનાર કહેવાતા હિન્દુ નેતાઓને લાખો ગરીબ માણસો પાસે જમવાનું નથી તેનો કયારેય વિચાર આવતો નથી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના સુધારાવાદી નેતા ડૉ કૌશીક મહેતા ઉનાની ઘટનાને વખોડી નાખતા કહે છે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દલીતો અને પીડીતોની સાથે છે. ગૌવંશનું રક્ષણ થવુ જોઈએ તે મામલે અમારે કોઈ બેમત નથી, પણ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ગૌરક્ષકો કેવી રીતે ઉભા થયા તે તે એક પ્રશ્ન છે. ગૌવંશની હત્યા કરતા તત્વો સામે પગલાં ભરાય તેવી અમારી માગણી છે પણ કાયદો હાથમાં લેવાની કોઈને પણ છુટ હોવી જોઈએ નહી અને ઉનામાં જે બન્યુ છે તેમાં તમામ જવાબદાર લોકો સામે કડક અને દ્રષ્ટાતરૂપ કાર્યવાહી થવી જોઈએ તેવુ હું માનુ છુ..
ગૌવંશના રક્ષણની માગણી કરતા અને તે દિશામાં કાર્ય કરતા અનેક સારો લોકો પણ છે, પણ કસાઈને ગાય વેચીં દેનાર હિન્દુ કેમ પોતાની ગાય વેંચી નાખે છે તે અંગે પણ વિચાર કરવો પડશે. જે ગાય દુધ આપવાનું બંધ કરે તેને ત્યાર બાદ પણ સાચવવી જોઈએ તે આદર્શ વાત છે પણ માત્ર આદર્શને કારણે ગરીબ ખેડુતનું પેટ ભરાતુ નથી, તેને દુધ આપવાનું બંધ કરી દેતી ગાય વેંચી નવી ગાય ખરીદવી હોય છે. અથવા તો હવે તેને દુધ વગરની ગાયનો ખર્ચ પોસાય તેમ નથી ત્યારે ગાયને ખરીદવા કોઈ ગૌરક્ષક તૈયાર થતો નથી.
એક જમાનો હતો જયારે ગુજરાતના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પણ ત્રણ બાબતોના પૈસા લેતા ન્હોતા, જેમાં લોહીનો વેપાર અર્થાત વેશ્યાનો, હત્યાનો પૈસો અનેમુંગા જાનવરોનો પૈસા અર્થાત કસાઈના પૈસાને સ્પર્શ પણ કરતા ન્હોતા, પણ આજે પોલીસ પણ સમય સાથે બદલાઈ અને તેમને મન પૈસો એટલે પૈસો છે પછી તે કોઈ પણ રસ્તે આવે તેનો કોઈ ફર્ક પડતો નથી, તેવી જ રીતે કપાળ ઉપર તીલક પોતાને ગૌરક્ષકની ઓળખ આપી શહેરમા પ્રવેશવાના રસ્તાઓ ઉપર ઉભા રહી ટ્રકોમાં આવતા ગૌવંશને રોકી કસાઈઓ સાથે તોડપાણી કરવાનો પણ એક ધંધો થઈ ગયો છે.
હું કોઈના નામોઉલ્લેખ કરતો નથી પરંતુ ગૌરક્ષકના નામે કસાઈઓ સાથે તોડપાણીનો હિસાબ નહીં થતાં માર્યા ગયેલા રક્ષકોને આપણે શહિદનો દરજ્જો આપ્યો છે અને તેમના નામે ચોક પણ થયા છે.પણ આખો મામલો સંવેદનશીલ હોવાને કારણે સાથે પત્રકારાનો મોટો વર્ગ હિન્દુ હોવાને કારણે આ મામલે જાહેરમા ખાસ કઈ લખાયુ નથી. પણ ઉનાની ઘટના આવી જ બાબતોની નજીક હોવાની ગંધ આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાણવવાની જવાબદારી પોલીસની છે ત્યારે ગૌવંશનું રક્ષણ કરવાની જવાબદારી પણ પોલીસને જ છે આમ છતાં દરેક શહેર અને ગામમાં પોતાને ગૌરક્ષક કહેડાવતા લોકોની સંખ્યામાં કેમ વધારો થઈ રહ્યો છે તે અંગે કોઈ વિચારતુ નથી.
ગૌવંશનું માંસ ખાવુ નહી તેવુ કહેનાર કહેવાતા હિન્દુ નેતાઓને લાખો ગરીબ માણસો પાસે જમવાનું નથી તેનો કયારેય વિચાર આવતો નથી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના સુધારાવાદી નેતા ડૉ કૌશીક મહેતા ઉનાની ઘટનાને વખોડી નાખતા કહે છે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દલીતો અને પીડીતોની સાથે છે. ગૌવંશનું રક્ષણ થવુ જોઈએ તે મામલે અમારે કોઈ બેમત નથી, પણ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ગૌરક્ષકો કેવી રીતે ઉભા થયા તે તે એક પ્રશ્ન છે. ગૌવંશની હત્યા કરતા તત્વો સામે પગલાં ભરાય તેવી અમારી માગણી છે પણ કાયદો હાથમાં લેવાની કોઈને પણ છુટ હોવી જોઈએ નહી અને ઉનામાં જે બન્યુ છે તેમાં તમામ જવાબદાર લોકો સામે કડક અને દ્રષ્ટાતરૂપ કાર્યવાહી થવી જોઈએ તેવુ હું માનુ છુ..
ગૌવંશના રક્ષણની માગણી કરતા અને તે દિશામાં કાર્ય કરતા અનેક સારો લોકો પણ છે, પણ કસાઈને ગાય વેચીં દેનાર હિન્દુ કેમ પોતાની ગાય વેંચી નાખે છે તે અંગે પણ વિચાર કરવો પડશે. જે ગાય દુધ આપવાનું બંધ કરે તેને ત્યાર બાદ પણ સાચવવી જોઈએ તે આદર્શ વાત છે પણ માત્ર આદર્શને કારણે ગરીબ ખેડુતનું પેટ ભરાતુ નથી, તેને દુધ આપવાનું બંધ કરી દેતી ગાય વેંચી નવી ગાય ખરીદવી હોય છે. અથવા તો હવે તેને દુધ વગરની ગાયનો ખર્ચ પોસાય તેમ નથી ત્યારે ગાયને ખરીદવા કોઈ ગૌરક્ષક તૈયાર થતો નથી.
Perfect case of symbolism growing greater than actual message
ReplyDeletePerfect case of symbolism growing greater than actual message
ReplyDeleteVadhu ma kejriwal 22mi e dalito ni mulakat leva aave che. Congress e pan rahul gandhi ne mulakat leva mate aamantran pathvyu che.
ReplyDeleteVedkal ma rajao pase gayo hoti Mati pase be gayo chhe
ReplyDeleteબિચારી ગાય પણ ચારતી હશે - આ મને ધર્મની માં માનતા અને તેમાના મેજોરીટી - દિકરી અને ગાય દોરે ત્યાં જાય વાળી લાઇનમાં માનતા - સમાજ વ્યવસ્થા જલ્દી બદલાય તો સારૂંં, નહીં તો ગાય ના નામ પર કેટ કેટલા મરશે
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete