Sunday, July 24, 2016

આંદોલનમાં પોલીસ બીચારી લાચાર કેમ થઈ જાય છે....

 મારી પાસે આજે એક વિડીયો આવ્યો જેમાં રાજરોટ જેતપુરના ધારાસભ્ય અને મંત્રી જયેશ રાદડીયા ડીએસપી અત્રીપ્ત સુદને આદેશાત્મક ભાષામાં જાહેરમાં સુચના આપતા સંભળાય છે, તે ડીસીપી સુદને કહે છે લુખાઓને પાડી દો. સુદ પોતાના સ્ટાફ સાથે ઉભા છે અને મંત્રી રાદડીયા જે ભાષામાં ડીએસપી સાથે વાત કરે છે, તે દર્શ્ય જોઈ પોલીસની દયા આવે છે. અત્રીપ્ત સુદ આઈપીએસ થઈ ગુજરાત આવ્યા ત્યારે તેમના પ્રોબેશન પીરીયડમાં તેમણે બળાત્કાર ગુજારનાર આરોપીઓને જાહેરમાં માર્યા હતા, એક પોલીસ અધિકારી તરીકે ગુસ્સો આવવો સ્વભાવીક હતો, પણ આ ઘટનાને કારણે તેમનો પ્રોબેશન પીરીયડ એક વર્ષ લંબાવી દેવામાં આવ્યો હતો, એક કલ્પના કરો સુદના મન ઉપર આખી ઘટનાની કેવી પીડાકારક યાદો છોડી ગઈ હશે. રાજકોટ જિલ્લાના પોલીસ વડા તરીકે તોફાનીઓ  જેતપુરમાં તોડફોડ કરતા રહ્યા અને રસ્તા જામ કરતા  ગયા પણ સુદ મગજ ઉપર બરફ મુકી શાંત ઉભા હતા આવુ તેમણે કેમ કર્યુ તેના માટે તેમનો ભુતકાળનો અનુભવ કારણભુત હતો

એક આઈપીએસ અધિકારી યુપીએસસીની પરિક્ષા પાસ કરવા માટે કોલેજ પુરી કરી રાત-દિવસ પોતાને એક રૂમમાં બંધ કરી વાંચ્યા કરે, દેશના  લાખો યુવાનો દર વર્ષે તેના માટે મહેનત કરી પરિક્ષા આપે તેમાં દેશના શ્રેષ્ઠ યુવાનોને ભારતીય પોલીસ સેવામાં કામ કરવાની તક મળે અને ટ્રેનીંગ પુરી કરી તેના શરીર ઉપર ખાખી કપડા આવે અને ખભા ઉપર આઈપીએસના હોદ્દા સાથે અશોક સ્તંભનો ભાર મુકવામાં આવે ત્યારે ખબર પડે હવે તેની નોકરી અને જીંદગીનો ફેસલો તેણે પોતે નહીં, પણ દસ-બારમુ ભણેલો તેના વિસ્તારનો ધારાસભ્ય અથવા અનેક વખત જેલમાં જઈ આવેલો અને હવે મંત્રી થઈ બેઠેલો રાજકારણી કરવાનો છે.

2002ના તોફાનોમાં નેતાઓ અને ધારાસભ્યો રસ્તા ઉપર ઉભા હતા, તેના કારણે મોટા ભાગના શહેરોમાં પોલીસ તમાશબીન જોતી રહી, નજીકના જ ભુતકાળની  વાત કરીએ પટેલ આંદોલન વખતે રસ્તાઓ ઉપર ટોળા ઉપરી પડતા, ખાનગી-સરકારી મિલ્કતોને નુકશાન કરતા અને પોલીસ ઉભી રહેતી, અને છેલ્લે ઉનાની ઘટના બાદ પણ નારાજ દલિતોએ ભુતકાળ જેવુ કર્યુ, રાજકોટના એક પોલીસ અધિકારી સાથે થયેલી વાતચીતમાં તેમણે પોતાની નારાજગી વ્યકત કરતા કહ્યુ આપણે જયારે ખાખી કપડા પહેરી  ઉભા હોઈએ ત્યારે કોઈ પણ સમુદાયના લોકો કાયદો હાથમાં લઈ લે, રસ્તે જતા લોકોને ફટકારે, દુકાનો તોડે અને બસોને આગ ચાંપે ત્યારે પોલીસ તરીકે અંદરથી લોહી ઉકળી ઉઠે છે, આ જોઈ મેં મારા સિનિયર અધિકારીને આદેશ આપો તેવુ કહ્યુ તો તેમણે કહ્યુ મેં ઉપર વાત કરી છે ઓર્ડર આવે પછી નક્કી કરીએ શુ કરવાનું.

મસુરીની પોલીસ ટ્રેનીંગ એકેડમી હોય કે ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી હોય ત્યારે ટ્રેનીંગ દરમિયાન કયારેય કોઈ પોલીસ અધિકારીને શીખવાડવામાં આવતુ નથી કે આવી સ્થિતિમાં કોઈ પણ એકશન લેતા પહેલા તમારા વિસ્તારના ધારાસભ્ય-મંત્રી અથવા સિનિયર પોલીસ અધિકારીને શુ ગમશે તે પ્રમાણે તમારે એકશન લેવાના હોય છે. ટ્રેનીંગમાં તો બહાદુરી-કાયદો અને દેશનું બંધારણ શીખવાડવામાં આવે છે. પણ જમીની વાસ્વીકતા તેના કરતા સાવ વિપરીત હોય છે. કયા પોલીસ અધિકારીને કયાં પોસ્ટીંગ આપવુ તે આપણા નેતાઓ ગમા-અણગમાને આધારે નક્કી થતુ હોય છે નહીં કે પોલીસ અધિકારીની કામની કાબેલીયત અને પ્રમાણિકતાને ધ્યાનમાં લઈ, તેના કારણે પોલીસ અધિકારીઓ સતત સારા પોસ્ટીંગ માટે નેતાઓના તળીયા ચાટવાનું જ બાકી રાખે છે.

માની લો કે પોલીસ નેતાઓને નારાજ કરીને એકશનમાં પણ આવી જાય તો ત્યાંથી પોલીસ અધિકારીની એવા દુરના વિસ્તારમાં બદલી થઈ જાય છે કે આ પોલીસ અધિકારી પોતાના પરિવારને પણ મળી શકતો નથી, આવી સ્થિતિ લાંબો સમય ચાલે ત્યારે કડક પોલીસ અમલદારોને પણ મેં પરિવાર ખાતર સમાધાન કરતા જોયા છે. બીજી વાસ્વીકતા એવી પણ છે કે પોલીસ અધિકારી તરીકે તમે ગુંડાગીરી કરતા કોઈ નેતાને તમે કાયદાની મર્યાદામાં રહી પાઠ ભણાવ્યો હોય તો પાંચ વર્ષ પછી તે જ મંત્રી થઈ જાય તો તમારે તેને સલામ કરવી પડે, આ બધી બાબતો પોલીસને કઠતી હોય છે અને આંદોલનકારીઓને રાજય સરકાર સાથે સમાધાન થઈ જાય તો સરકાર તમામ કેસ પાછા ખેંચી લેતી હોય છે, આવુ તાજેતરમાં જ પટેલ આંદોલન દરમિયાન થયુ હતું.

હાલની સ્થિતિમાં ગુજરાત પોલીસ નાજુક તબ્બકામાં છે, દિશા વિહીન અને નેતા વિહોણી છે, કયારે શુ કરવુ તેની તેને ખબર જ નથી, એટલે મોટા ભાગે તે એકશનમાં આવવાના આદેશની રાહમાં થાકી જાય છે. અને જયારે એકશનમાં આવે ત્યારે આખી વાત પોલીસ એટ્રોસિટીનું રૂપ ધારણ કરી લે છે. આ સ્થિતિ કોઈ પણ સમાજ અને રાજય સરકાર માટે ધાતક પુરવાર થઈ શકે તેમ છે.






13 comments:

  1. બિલકુલ સાચી વાત છે પ્રશાંતભાઇ... નેતાઓ જ આદેશ આપે છે, પોલીસે માત્ર આદેશનું પાલન જ કરવાનું.. આ તો આપણા દેશની કરૂણતા છે.

    ReplyDelete
  2. Agreed Totally Bhai True Reality of our Country

    ReplyDelete
  3. ...વરવી વાસ્તવિકતા ને ઉજાગર કરતો લેખ..! આવા પ્રસંગો અને આવાં અપમાનો નો સરવાળો એટ્લે કરપ્ટ ઓફિસર ! ( ત્રીજા પેરાગ્રાફ માં " નજીક ના ભવિષ્ય માં " ને બદલે " નજીક ના ભુતકાળ " હોવું જોઇએ ) .

    ReplyDelete
  4. I appreciate your efforts to bring clear picture of police and politicians considering the present crucial situation of the state.

    ReplyDelete
  5. I appreciate your efforts to bring clear picture of police and politicians considering the present crucial situation of the state.

    ReplyDelete
  6. prashant bhai ...Rajkarni ne matra satta no nasho hoy che ane ena mate potani wah wah maj ras hoy che ...meto eva pan joya che ke jaher alag bole ane pachi andar gaya pachi pan alag bole ...kharekhar aava loko (10 pass na hoy to pan salah ips/ias ne salaho apta hoy che )ne karne j vatavaran daholay che ..ane ekvar tolu thay pachi te dishavihin bani jay che ....

    ReplyDelete
    Replies
    1. prasant bhai ....nano lalji chavda ...pan shishya mori saheb no...

      Delete