Sunday, July 31, 2016

આનંદીબહેન ગુજરાતનો યુવાના ગુસ્સામાં નહીં પણ નારાજ છે કયારેક તો તેની સામે જુવો

આજે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં દલિતોનું એક મહાસંમેલન યોજાઈ ગયું, તમારી નજર તેની ઉપર જ હશે, પણ સાચુ  કહુ આનંદીબહેન તમારી આસપાસના લોકોમાં સાચુ બોલવાની હિમંત રહી નથી, કારણ તમને પસંદ ના પડે તેવી વાત સાંભળીને તમે નારાજ થઈ જાવ છો, તમારા સ્વભાવની મને ખબર છે, તમને પસંદ હોય તેવુ જ તમારે સાંભળવુ છે. એટલે તમારી ઓફિસમાં બેસતા તમારા સરકારી સલાહકારોએ તમને કહ્યુ હશે ચીંતા કરવા જેવુ કઈ નથી, પાંચ-સાત હજાર લોકો દલિતો  હતા.

તમને યાદ હશે આવુ જ આ સલાહકારો તમને પાટીદાર આંદોલન વખતે પણ કહેતા હતા, કાયમ ગુસ્સાનો ગુણાકાર થાય છે , વિસનગરમાં જયારે પહેલી વખત પાટીદારોની રેલી નિકળી ત્યારે પટેલો પાસે ભાજપ સિવાય કયા વિકલ્પ છે તેવુ તમને સમજાવવામાં તમારા લોકો સફળ રહ્યા હતા, પણ પછી શુ થયુ તેની ચર્ચા કરવા માગતો નથી, એક વાત સ્પષ્ટ કરી દેવામાં માગુ છુ કે તમારો વ્યકિતગત અને ભાજપના નેતાઓ લોકસંપર્ક તુટી ગયો છે, પ્રજા તમારા અંગે શુ માને છે તેની સાચી વાત તમારી સુધી પહોંચતી જ નથી, અને સતત સત્તામાં રહેવાને કારણે જે બદીઓ આવી તેમાંથી તમારી પાર્ટી બાકાત રહી શકી નથી. જયારે કેટલાંક તુંડમીજાજી નેતાઓને પ્રજાની નાડની ખબર છે પણ તેઓ પણ અમને કોઈ ફેર પડતો નથી તેવા તૌરમાં છે.

તમે તો જુના જમાનાના નેતા છો, તમે ઈન્દીરાગાંધીનો કરિશ્મા પણ જોયો હતો, એક માત્ર ઈન્દીરાના નામે કોંગ્રેસ તરી ગઈ, આજે ભાજપ નરેન્દ્ર મોદીના નામે ચાલી રહી છે, પણ સમયને બદલાતા વખત લાગતો નથી, નરેન્દ્ર મોદીને અહંકાર કરવો પરવડતો હતો, કારણ તેમનો સાચો કે ખોટો કરિશ્મા છે, તે પક્ષથી મોટા નેતા થઈ ગયા, જયારે હવે માત્ર ગુજરાતની વાત કરીએ તો આપણી પાસે કરિશ્માવાળો કોઈ નેતા પણ નથી તમે પણ નહીં.

પહેલા પટેલ આંદોલન થયુ પછી ઓબીસી આંદોલન અને હવે  દલિત આંદોલનના મંડાણ થયા છે, તમને શંકા હશે કે અમીત શાહ તમને ડીસ્ટર્બ કરવા માટે પાછલા બારણે કામ કરતા હશે, તમને  લાગતુ હશે કે કોંગ્રેસ પ્રેરીત આંદોલન છે, અને તમને લાગતુ હશે કે કેટલાંક અખબાર માલિકો પોતાનો હિસાબ સરભર કરવા આંદોલનને પવન ફુકતા હશે. આ બધી જ શંકાઓ સાચી પણ હોય તેમ છતાં જમીનની વાસ્વીકતા છે કે  ગુજરાતનો યુવાન નારાજ છે, પછી તે પટેલ હોય અથવા દલિત હોય.કદાચ તે રસ્તા ઉપર આવી તોડફોડ કરતો હશે, પણ તેના ગુસ્સા પાછળ રહેલી નારાજગી સમજવી પડશે.

તમારો જે મતદાર પચાસી વટાવી ગયો છે, તે તમામ પરિસ્થિતિને નસીબ માની બેસી રહે છે, પણ યુવાન મતદાર તૈયાર નથી, કારણ તેની વ્યથા એવી છે કે તેના પિતાએ હજારો અને લાખો રૂપિયા ખર્ચી સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ કોલેજમાં ભણાવ્યો છે, પણ જયારે તે હજારો રૂપિયા ખર્ચીને મળેલી ડીગ્રી લઈ બહાર નિકળે છે ત્યારે તેને મહિને કોઈ દસ હજારની પણ નોકરી આપતુ નથી, તમે તો શિક્ષક છો, તમે જે સ્કુલમાં ભણ્યા અને તમે પ્રિન્સીપાલ તરીકે મોહીની બા સ્કુલમાં ભણાવતા હતા ત્યાં કેટલી ફિ હતી, અને આજે તમારી પૌત્રીઓ જે સ્કુલમાં શિક્ષણ મેળવ્યુ ત્યાં કેટલી ફિ છે.

પહેલા માણસને મહિનાની આખરમાં વાંધા પડતા હતા પણ આજે તો રોજ સાંજે ઘરનું બજેટ ફેઈલ થઈ જાય છે, કારણ બધાનું જ ખાનગીકરણ થઈ ગયુ, સ્કુલ-કોલેજ-અને હોસ્પિટલ , આ સ્થિતિમાં આજનો યુવાન પોતાના માતા-પિતાને ઘરના હિસાબોમાં પિસાતા જુવે છે, પણ તે યુવાન પિસાવવા તૈયાર નથી, બીજી તરફ ખાનગીકરણને કારણે તેને નોકરી આપનાર તેનું પણ શોષણ કરે છે, તમે વિચાર કર્યો તમે સરકારી નોકરીઓ પણ પાંચ વર્ષ સુધી સાડા  ચાર હજાર રૂપિયા આપો છો, તો સાડા ચાર હજાર રૂપિયામાં અમદાવાદમાં રહેનાર માણસ ઘર ભાડુ ભરે, કરિયાણુ લાવે, પોતાના બાળકોને ભણાવે અને વૃધ્ધ માતા-પિતા બીમાર પડે તો તેની દવા પણ કરાવે, આ શકય છે.

આ તમામ આંદોલન ભલે કોઈ પણ નામે અથવા કોઈ પણ કારણે  ચાલતા હોય, મુળમાં તો આ આંદોલન એન્ટી એસ્ટાબલીશમેન્ટ છે. અને અત્યારે એસ્ટાબલીશમેન્ટમાં તમે બેઠા છો, એટલે તમારે એક મુખ્યમંત્રી તરીકે, એક શિક્ષક અને એક માતા તરીકે યુવાનો સાથે વાત કરવી પડશે. લોકોનો ગુસ્સો શાંત કરવા તમે ટોલટેકસ માફ કરો છો, તમને આવી સલાહ કોણ આપે છે તેની ખબર નથી, ટોલટેકસ માફીનો લાભ તો કાર હોય તેને જ મળે છે, અને કાર તો ઉચ્ચ મધ્યવર્ગ પાસે જ હોય છે. પણ હું તો સામાન્ય માણસ છુ, હું તો ગરીબ છુ, તમે મારા માટે શુ કર્યુ તેવો પ્રશ્ન દરેક આમ માણસને થઈ રહ્યો છે.. સામાન્ય યુવાન માણસ નારાજ છે તેની નારાજગી સમજો સારૂ છે નહીંતર તખ્ત બદલાઈ જતા સમય નહીં લાગે, કારણ સમયની ઝડપ માણસની ઝડપ કરતા વધારે છે.

16 comments:

  1. So true... the entire bjp on Gujarat, seems to have taken the state that propelled it to power, for granted... it's leaders..And also leaders of its think tank.. that till recently claimed to be a fully non political body, should realise that would be at their own peril ... politics is not a game of use and throw, but long term memories too

    ReplyDelete
  2. Adbhut vaat kari chhe..kaaash anandiben ne tamara jeva sacha ane doorandesi salahkar malya hot

    ReplyDelete
  3. Adbhut vaat kari chhe..kaaash anandiben ne tamara jeva sacha ane doorandesi salahkar malya hot

    ReplyDelete
  4. Dada me Ben ne kamkarta joyache 100 taka vadhare kam kareche pan time menejment matlab kayu kam karvathi vadhare prasiddhi malse te karvani Samaj nathi matlab sacha salakar ni jarur che. Tamari vat sathe sahmat chu . Mardana post

    ReplyDelete
  5. Me pan ben ne kam karta joya che jyare mara janmdin e savare aashirvad leva gayo 7-30 e file work karta.. Rahi vat gujarat na yuva dhan sari rite jane che ke kaune emna mate su karu gana example aapi sakay em che ha tamara jevva media na master kahi sakay ke vajir ni jarur che e nakki.. bec e emna karela kam no prachar nathi karta..

    ReplyDelete
  6. Absolutely right and must have to think about youth.

    ReplyDelete
  7. What about their family business... South Bopal Builder, Govt. transfer, construction and development work everywhere family has share

    ReplyDelete
  8. DADU... JARDAR... ASARDAR(HOPE SO..)

    ReplyDelete
  9. I don't know at the behest of who's advice the administration of state is functioning.However I heard from my seniors when I was o on duty that before taking any decision pertaining to public our first PM Nehru apart from bureaucratic advice the then PM used hold meeting with reporters and after knowing the action and reaction of the decision at grassroots level from the people of all walks of life Nehru was taking decision.

    ReplyDelete