પહેલાના સમયમાં બ્રાહ્મણોમાં લાડુ ખાવાની હરિફાઈ થતી હતી, હોસ્ટેલમાં કોઁણ વધુ ગુલાબજાંબુ ખાશે તેવી શરતો લાગતી હતી, પણ હવે સમય બદલાયો છે, હવે આપણા રાજનેતાઓમાં દલિતના ઘરે કોણે વધુ ચ્હા પીધી તેની હોડ લાગી હોય તેવુ લાગે છે.એક જમાનો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદાર નેતા દિનકર ભટ્ટ હતો, જન્મે બ્રાહ્ણણ હતા, પણ તેમના એક અવાજ ઉપર અમદાવાદના બધા જ સફાઈ કામદાર હડતાળ પાડી દેતા હતા, કોઈ પણ સફાઈ કામદારને કયારે શંકા પણ થઈ ન્હોતી કે આપણો નેતા બ્રાહ્મણ કેવી રીતે હોઈ શકે. પણ હવે સમય બદલાયો છે, આપણા નેતાઓ માટે તમામ વર્ગના લોકો એક સરખા છે હોવો જોઈએ, આ બાબત શ્વાસ લેવા જેટલી સહજ હોવી જઈએ, પણ તેવુ નથી, તેના કારણે તમે જે નથી તે બતાડવા ડોળ કરવો પડે છે. રાહુલ ગાંધી કોઈ બ્રાહ્મણના ઘરે ગયા અને ચ્હા પીધી તે સમાચાર કેમ બનતા નથી , પણ દલિતના ઘરે જાય અને ચ્હા પીવે તો સમાચાર મને તેવુ રાહુલ સહિતના તમામ નેતાઓ ઈચ્છે તેવુ કેમ...
રાહુલ ગાંધી ઉના ગયા અને પીડીતના ઘરે ગયા અને ચ્હા પીધી, બસ આ તસ્વીરો ટીવી અને અખબારમાં ચાલી, તમે આ તસ્વીર ધ્યાનથી જોઈ લેજો, રાહુલ ગાંધીની સાથે ચ્હા પીનાર માથે પાટો બાંઘેલો પીડીત વ્યકિત તમને તમામ નેતાઓ સાથે જોવા મળશે, રાહુલની સાથે તેણે પણ ચ્હા પીધી હતી, કારણ તો જ રાહુલના ફોટોની વેલ્યુ વધે છે
આ બીજી તસવીર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની છે, રાહુલ ઉનામાં ચ્હા પી ગયા એટલે તેમને પણ આવવુ પડે કારણ રાહુલ સાથે તેમનો વિશેષ પ્રેમ છે, કેજરીવાલ પણ પીડીતોને મળ્યા અને પાટો બાંઘેલા પીડીત સાથે તેમણે પણ ચ્હા પીધી, કેજરીવાલે ખાસતા ખાસતા જે કઈ કહ્યુ હશે , પેલા ભાઈ શુ સમજયા હશે તે જુદી વાત છે પણ કેજરીવાલે પણ ચ્હા પીધી અને ફોટો ટીવી અને અખબારમાં ચાલી ગયો તે જ બહુ છે, કારણ વાત તો અમે દલિતોને પ્રેમ કરીએ છીએ એટલી જ કહેવી હતી, આખરે હવે કેજરીવાલ પણ બીજા રાજકારણી કરતા ઓછા દાવ જાણતા હોય તો પણ બેઝીક દાવ તો તેમને પણ આવડી ગયા છે.
રાહુલ ગાંધી અને કેજરીવાલ આવી ગયા એટલે ભાજપને લાગ્યુ કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળી આવ્યા પણ ચ્હા પીવાની રહી ગઈ, એટલે ભાજપે ચ્હા પીવા માટે પુરૂષોત્તમ રૂપાલાને મોકલ્યા, રૂપાલા બોલવામાં ગુજરાતના લાલુપ્રસાદ છે, તેમને બોલવુ હોય તે જ બોલે છે, કોડાફાડ છે, પણ પોતાના લાભનું હોય તે જ બોલે છે, પણ તેમની ગુજરાતી લાલુની સ્ટાઈલ સામાન્ય માણસને સ્પર્શી જાય છે, અને રૂપાલા પણ ચ્હા પી પાછા આવ્યા , આ ત્રણ નેતા પછી અનેક નેતાઓ ચ્હા પી ગયા બધા જ દલિતોને પ્રેમ કરે છે, તો પછી જો આટલા બધા દલિત પ્રેમી નેતાઓ છે તો આ બનાવ કેમ બન્યો તે મને સમજાતુ નથી.
પણ આ ત્રણે તસવીરોમાં સુચક બાબત પેલી પાટો બાંધેલી વ્યકિત છે, કદાચ એટલા બધા નેતાઓ તેના ઘરે ચ્હા પી ગયા કે તેની સારવાર કરતા ચ્હાનું બીલ વધુ આવશે તેવુ મને લાગે છે.. વાત બહુ સામાન્ય છે જો નેતાઓ છેવાડાના ઘરના માણસના ઘરે માત્ર ચુંટણીમાં જવાને બદલે વાર તહેવારે જતા થશે તો તેમના ઉપર થતાં અત્યાચાર તો દુરની વાત પણ અન્ય સમાજ તેમને માન આપતો થશે પછી કોઈને ચ્હા પીતા ફોટો સેશનની જરૂર પડશે નહીં.
રાહુલ ગાંધી ઉના ગયા અને પીડીતના ઘરે ગયા અને ચ્હા પીધી, બસ આ તસ્વીરો ટીવી અને અખબારમાં ચાલી, તમે આ તસ્વીર ધ્યાનથી જોઈ લેજો, રાહુલ ગાંધીની સાથે ચ્હા પીનાર માથે પાટો બાંઘેલો પીડીત વ્યકિત તમને તમામ નેતાઓ સાથે જોવા મળશે, રાહુલની સાથે તેણે પણ ચ્હા પીધી હતી, કારણ તો જ રાહુલના ફોટોની વેલ્યુ વધે છે
આ બીજી તસવીર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની છે, રાહુલ ઉનામાં ચ્હા પી ગયા એટલે તેમને પણ આવવુ પડે કારણ રાહુલ સાથે તેમનો વિશેષ પ્રેમ છે, કેજરીવાલ પણ પીડીતોને મળ્યા અને પાટો બાંઘેલા પીડીત સાથે તેમણે પણ ચ્હા પીધી, કેજરીવાલે ખાસતા ખાસતા જે કઈ કહ્યુ હશે , પેલા ભાઈ શુ સમજયા હશે તે જુદી વાત છે પણ કેજરીવાલે પણ ચ્હા પીધી અને ફોટો ટીવી અને અખબારમાં ચાલી ગયો તે જ બહુ છે, કારણ વાત તો અમે દલિતોને પ્રેમ કરીએ છીએ એટલી જ કહેવી હતી, આખરે હવે કેજરીવાલ પણ બીજા રાજકારણી કરતા ઓછા દાવ જાણતા હોય તો પણ બેઝીક દાવ તો તેમને પણ આવડી ગયા છે.
રાહુલ ગાંધી અને કેજરીવાલ આવી ગયા એટલે ભાજપને લાગ્યુ કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળી આવ્યા પણ ચ્હા પીવાની રહી ગઈ, એટલે ભાજપે ચ્હા પીવા માટે પુરૂષોત્તમ રૂપાલાને મોકલ્યા, રૂપાલા બોલવામાં ગુજરાતના લાલુપ્રસાદ છે, તેમને બોલવુ હોય તે જ બોલે છે, કોડાફાડ છે, પણ પોતાના લાભનું હોય તે જ બોલે છે, પણ તેમની ગુજરાતી લાલુની સ્ટાઈલ સામાન્ય માણસને સ્પર્શી જાય છે, અને રૂપાલા પણ ચ્હા પી પાછા આવ્યા , આ ત્રણ નેતા પછી અનેક નેતાઓ ચ્હા પી ગયા બધા જ દલિતોને પ્રેમ કરે છે, તો પછી જો આટલા બધા દલિત પ્રેમી નેતાઓ છે તો આ બનાવ કેમ બન્યો તે મને સમજાતુ નથી.
પણ આ ત્રણે તસવીરોમાં સુચક બાબત પેલી પાટો બાંધેલી વ્યકિત છે, કદાચ એટલા બધા નેતાઓ તેના ઘરે ચ્હા પી ગયા કે તેની સારવાર કરતા ચ્હાનું બીલ વધુ આવશે તેવુ મને લાગે છે.. વાત બહુ સામાન્ય છે જો નેતાઓ છેવાડાના ઘરના માણસના ઘરે માત્ર ચુંટણીમાં જવાને બદલે વાર તહેવારે જતા થશે તો તેમના ઉપર થતાં અત્યાચાર તો દુરની વાત પણ અન્ય સમાજ તેમને માન આપતો થશે પછી કોઈને ચ્હા પીતા ફોટો સેશનની જરૂર પડશે નહીં.
Bilkul sachi vat che psashantbhai
ReplyDeleteBilkul sachi vat che psashantbhai
ReplyDeleteya this charcha pe chai not chai pe charcha ......
ReplyDeleteI can say that one politician has taken tea at Dalits residence almost all other politicians have accepted same path to take Dalits into their confidence.
ReplyDeleteખુબજ સરસ અને મજાની વાત છે આપની સાહેબ.
ReplyDeleteપ્રજાને મુર્ખ બનવુ છે,તો બનાવનારની ક્યા કમી છે?
ReplyDeleteપ્રજાને મુર્ખ બનવુ છે,તો બનાવનારની ક્યા કમી છે?
ReplyDelete