Thursday, July 21, 2016

ભાઈ મારા દિકરાને કહેજો કે માં ઘરડી થઈ ગઈ છે, કામ થતુ નથી આવીને મને લઈ જા

બપોરના ત્રણ વાગ્યાનો સમય કચ્છના ગાંધીધામ પાસે આવેલુ નાનકડુ રાતડીયા ગામ ભાગ્યે જ કોઈ માણસ તમને બપોરના સમયે નજરે પડે, પણ એક વૃધ્ધ મહિલા બસ સ્ટેન્ડ પાસે શિયાળો-ઉનાળો પછી ચોમાસાનો ભારે વરસાદ હોય ત્યાં અચુક જોવા મળશે, આ મહિલાનો  છેલ્લાં 23 વર્ષથી એક પણ દિવસથી એવો નથી કે આ મહિલા ત્રણ વાગતા પહેલા રાતડીયાના બસ સ્ટેન્ડ ઉપર આવી ના હોય. એસટી બસ આવે એટલે તરત તેની ઉમંરને કારણે નબળી થઈ ગયેલી આંખો અને વૃધ્ધ થઈ ગયેલા હાથ પગમાં નવી તાકાત આવી જાય, લાકડીના ટેકે બસ જોતા  ઉભી થઈ જાય અને સીધી બસ સુધી પહોંચી જાય, બસમાંથી ઉતરતા મુસાફરોને ધ્યાનથી જુવે જેમ જેમ મુસાફરો ઉતરતા જાય તેમ તેમ તેની જીણી થઈ ગયેલી આંખોમાં નિરાશા આવે, બસનો કંડકટર તે મહિલાને રોજની જેમ જોતો હોય, બધા જ મુસાફરો ઉતરી જાય એટલે એટલે મહિલા બારીમાંથી દેખાતા કંડટકરના ચહેરા સામે જોઈ પુછે ભાઈ મારો વિરેન આજે પણ આવ્યો નથી, કંડકટર રોજની જેમ જવાબ આપે ના માડી.. આ વાકય સાંભળતા મહિલાના ચહેરા ઉપર નિરાશોને પડદો ફરી, કંડકટર ડબલ ઘંડટી વગાડે  એટલે ડ્રાઈવર બસના એકસીલેટર ઉપર પગ મુકે, બસના પૈડા ફરવા લાગે. જઈ રહેલી બસ તરફ જોઈ મહિલા બબડે મારા દિકરાને કહેજો મા હવે ઘરડી થઈ ગઈ છે, કામ થતુ નથી, હવે તો તેને આવી લઈ જા...

રાતડીયા ગામમાં રહેતા  વરસીભાઈ રબારી કહે છે 1992માં મારો નાનો ભાઈ વિરેન તેની પત્ની વરજુ અને મા જીવીબહેનને લઈ મુંબઈ ગયો હતો, નોકરી શોધી પણ કઈ મેળ પડયો નહીં, તેણે સાડીઓનો ધંધો શરૂ કર્યો, સુરત જઈ સાડીઓ લઈ આવતો અને મુંબઈમાં ઘરે ઘરે ફરી સાડીઓ વેચતો હતો, નાલાસોપારામાં એક ખોલી ભાડે લીધી હતી, તેમા ત્રણે માણસો રહેતા હતા. 1993 માર્ચ મહિનામાં રાતડીયા ગામમાં એક સંબંધીને ત્યાં લગ્ન હતા, વિરેન પણ આવવાનો હતો, પણ તેને કોઈક કામ આવી ગયુ એટલે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર આવી તે મા જીવીબહેન અને વરજુને કચ્છ આવતી ટ્રેનમાં બેસાડી ગયો. એક અઠવાડીયા પછી તે પોતે પણ રાતડીયા આવવાનો હતો.. તે જમાનામાં તો કોઈ ફોનની ખાસ વ્યવસ્થા ન્હોતી, વિરેન અઠવાડીયા પછી ગામ પહોંચ્યો નહીં તેના કારણે ચીંતા થવા લાગી, ચીંતાનું ખાસ કારણ એવુ હતું કે મુંબઈમાં સિરીયલ બોમ્બ ધડાકા થયા હતા, વિરેન સલામતો હશેને, તેવી ચીંતા અમને બધાને જ થવા લાગી, તેમાં પણ ખાસ કરી મા અને વરજુને વધારે.

માં મને કહેતી તપાસ તો કર વિરેન કેમ ના આવ્યો, તેનો કોઈ ફોન પણ નથી, મેં મુંબઈમાં રહેતા એક પરિચીતને નાલાસોપાર જઈ વિરેનને સંદેશો આપવા વિનંતી કરી, તે જ સાંજે મુંબઈથી પરિચીતનો ફોન આવતા ફાળ પડી, વિરેનના મકાન માલિકે કહ્યુ કે જે દિવસે બોમ્બ ધડાકા થયા, તે સવારે વિરેન રોજ પ્રમાણે સાડીઓનો થેલો લઈ નિકળ્યો હતો, પણ ત્યાર પછી તે ઘરે આવ્યો જ નથી તેના ઘરે તો તાળુ છે. વિરેનને શોધવા વરસીભાઈ મુંબઈ પહોચ્યા દિવસો સુધી શોધ્યો પણ તે ના મળ્યો, મુંબઈ પોલીસને પણ વિનંતી કરી તેમણે બોમ્બ ધડાકામાં મળેલી બીનવારસી લાશો બતાડી પણ તે તેમાં પણ ન્હોતો. દિવસો સુધી વિરેન મળ્યો નહીં, એટલે બધા રાતડીયા પાછા ફર્યા.

આ વાતને પુરા ત્રેવીસ વર્ષ થઈ ગયા, વિરેન આવ્યો જ નહીં તેનો પત્ર અને ફોન પણ નથી, પણ જીવીબહેન કહે છે કે મારો વિરેન જીવે છે, તે મને ખુબ પ્રેમ કરે છે. મારા વગર રહી જ ના શકે, તેની મારી ચીંતા છે, તે આવશે અને મને લઈ જશે. માણસ મૃત્યુ પામે તેના કરતા ગુમ થઈ જવાની પીડા વધારે હોય છે કારણ મૃત્યુ પામનારની કોઈ રાહ જોતુ નથી, પણ ગુમ થયેલી વ્યકિત પાછી ફરશે તેનો ઈંતજાર હોય છે, પણ ઈંતજારનો અંત કયારે આવશે તે કહી શકાતુ નથી, વિરેનના કિસ્સામાં જીવીબહેનની આવી જ પીડા છે.23-23 વર્ષથી મારો વિરેન આવશે તેવી રાહ જોતી જીવીબહેન રોજ બસ સ્ટેન્ડ ઉપર બેસે છે, અને વિરેન વગરની બસને જોતી જઈ નિરાશ થઈ ઘરે પાછી ફરે છે.

જીવીબહેન ભણેલા નથી, ઘડીયાળ જોતા આવડતી નથી, પણ પોતાના ઢોર ચરાવવા નિકળતી જીવીબહેનને કેવી રીતે ખબર પડે છે ત્રણ વાગી રહ્યા છે તેની કોઈને ખબર પડતી નથી, તે રોજ ત્રણ વાગે આવતી બસ પહેલા આવી જાય છે.જીવીબહેનની જેવી જ સ્થિતિ વરજુની છે તે કઈ બોલતી નથી, પણ તેની પીડા પણ જીવીબહેન કરતા ઓછી નથી, તે મુંબઈ પોતાના પતિ વિરેન સાથે ગઈ ત્યારે તેમના લગ્નને માંડ એક વર્ષ જ થયુ હતું. મુંબઈની સ્વપ્ન નગરીમાં તેણે પોતાના પતિ સાથેના અનેક સ્વપ્નાઓ આંખમાં સઘરી રાખ્યા હતા, તે સ્વપ્નાઓ આજે પણ તેની આંખમાં છે તેના કારણે વરજુએ બીજા લગ્ન કર્યા નથી, તે પણ પોતાના પતિની શ્રધ્ધાપુર્વક રાહ જોઈ રહી છે, વિરેન કયાં છે તેની કોઈ ખબર નથી પણ એક માં અને એક પત્ની , બે સ્ત્રીઓની ઈશ્વરમાં રહેલી શ્રધ્ધા જીતે છે કે ઈશ્વર તેમની શ્રધ્ધા સામે પાંગળો પુરવાર થાય છે, તે નક્કી કરવા માટે રાહ જોવી જ જઈએ, પણ રાહ પણ કેટલી જોવી પડશે  તેની ગુમ થયેલા ગોપાલક વિરેનના ભગવાન દ્વારાકાધીશને પણ ખબર નથી

17 comments:

  1. No comments on this...

    Beautiful moving piece

    ReplyDelete
  2. extremely touched...
    aava to ketla Jiviben hashe...!!!

    ReplyDelete
  3. સુંદર...શ્રદ્ધા નો વિષય છે..સાહેબ

    ReplyDelete
  4. DADA AAJ TUMNE RULA DIYA.....
    BAS AAVI J JIVATI VARTA DAR SOMVARE
    DIVYA BHASKAR MA AAVTI,
    DAR SOMVARE MARU RADVU KOI ROKI SHAKE NAI,
    JO BHASKAR KOI PADOSHI A KHOI NAKHYU HOY
    TO ENU KHUN KARI NAKHU ETLO GUSSO AAVI JATO....
    DADA ETLE JENA MA EK MANAS HAJU JIVE 6....
    I LIKE U DADA..
    ANE HAVE FARO HAPTA MA EK VAR FARI BHASKAR MA DARSHAN AAPO EVI AASHA RAKHU 6U...

    ReplyDelete
  5. DADA SIVAY MANE KOI RADAVI SHAKE NAI J, KYAREY NAI....
    I MISS U DADA...GOD BLESS U DADA...

    ReplyDelete
  6. Dada jiviben ni mamta same ishwar ne lachar thavu padse. Jiviben no viru ek divas jarur parat aavshe

    ReplyDelete
  7. We pray God almighty to fulfill the wish of the old mother..

    ReplyDelete
  8. We pray God almighty to fulfill the wish of the old mother..

    ReplyDelete
  9. ખુબ જ સંવેદનશીલ ઘટના...!!!

    ReplyDelete
  10. ખુબ જ સંવેદનશીલ ઘટના...!!!

    ReplyDelete