Sunday, September 18, 2016

પ્રજાને કાયદા અને સરકાર કરતા ગુંડો વધારે ભરોસાપાત્ર લાગે છે

બીહારની જેલમાંથી જામીન ઉપર છુટેલા ગેંગસ્ટર મહંમદ શાહબુદ્દીનને જેલની બહાર લેવા માટે હજારો લોકો ઉમટી પડયા, અને 1300 કારનો કાફલો શાહબુદ્દીનની કાર પાછળ જોડાઈ ગયો, તો આ ઘટના નેશનલ સ્ટોરી બની ગઈ. કોઈ એક ગુંડાની વઘામણી કરવા માટે હજારો લોકો કેમ એકઠા થાય તેવો એક પ્રશ્ન કોઈને  પણ થાય, કદાચ કોઈ કહેશે કે બીહારમાં તો આવુ જ થાય, પણ મને તેમાં કઈ અસ્વાભાવીક લાગતુ નથી, આખા ભારતમાં સમયની તવારીખ સાથે થયેલા ગુંડાઓનો દબદબો કાયમ આવો જ રહ્યો છે, કારણ કે  ગુંડાના સંપર્કમાં આવેલા લોકોને સમજાયુ કે કાયદા અને સરકાર કરતા એક ગુંડો વધારે તાકાતવર અને ભરોસાપાત્ર છે. તે બંધારણના સોંગદ લેતો નથી છતાં તે પોતાનું બોલેલુ પાળે છે.તે કોઈને મારી નાખવાની ધમકી આપે છે તો મારીને બતાવે છે, તે કોઈને મદદ કરવાની વાત કરે છે, તો કોઈ પણ પ્રકારના કાગળીયા કર્યા વગર તરત મદદ કરે છે.

વાત માત્ર બીહાર પુરતી સિમીત નથી દેશમાં જયાં પણ શાહબુદ્દીન જેવા ગુંડાઓનો ઉદ્દભવ થયો ત્યાં તેમની પાછળ હજારો લોકો રહ્યા છે, વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં અબ્દુલ લતીફના નામથી ભાગ્યે જ કોઈ અપરિચીત હશે, 1980ના દસકમાં મંજુરઅલી નામના બુટલેગરને ત્યાં નોકરીથી શરૂઆત કરનાર લતીફને બે નંબરના ધંધાની રમત અને તેની માયાજાળ બહુ જલદી સમજાઈ ગઈ, અને તેણે માત્ર પાંચ વર્ષના ગાળામાં પોતાનું અલગ સામ્રાજય ઉભુ કરી સ્થાનિક લોકોના હ્રદયમાં લતીફભાઈનું સ્થાન લઈ લીધુ.તેનો મુળ ધંધો દારૂનો  હતો, ત્યાર બાદ તેની સામે હત્યાના ગુનાઓ પણ નોંધાયા છતાં તેના દરવાજે જઈ ઉભા રહેનારને મદદ કરવા કયારેય તેનો હાથ પાછળ પડતો ન્હોતો

ખરેખર પોતાના પ્રશ્ન  લતીફના દરવાજે લઈ જનાર લોકો પોલીસ કોર્ટ અને કચેરીમાં જઈ આવ્યા હતા, કેટલાંક પોતાના બાળકોને ભણાવવા માટે કે પછી દિકરીના લગ્ન માટે લોન લેવા બેંકના પગથીયા ઘસી કાઢયા હતા, પણ જયારે બધેથી નિરાશા સાપડી ત્યારે તેમને લતીફમાં મસિહા દેખાયો. ખરેખર જે કામ સરકારે અને તંત્રએ કરવુ જોઈતુ હતું, તે કામ લતીફ કરવા લાગ્યો તેના કારણે લોકોનો ભરોસોમાં   વધતો ગયો તેના પરિણાસ સ્વરૂપ 1987માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં જેલમાં રહેલો લતીફ પાંચ બેઠકો ઉપર ચુંટણી લડયો અને પાંચે-પાંચ બેઠકો ઉપરથી ચુંટણી જીતી ગયો હતો.

આ જ પ્રકારે નેવુના દસકમાં વડોદરામાં રાજુ રીસાલદારનું નામ સામે આવ્યુ, શીવસેના નામે તેણે પોતાનું સામ્રાજય વડોદરામાં ઉભુ કર્યુ, અને તે પણ વડોદરાના લોકોનો હિરો બની ગયો, કોર્ટમાં કેસ કરી ન્યાયની રાહ જઈ થાકી ગયેલા લોકો રાજુ રીસાલદારના બંગલામાં રોજ ભરાતી કોર્ટમાં આવવા લાગ્યા અને ત્યાં મિનીટોમાં તે ફેસલો આપી દેતો હતો. તે બન્ને પક્ષો માટે બંધનકર્તા રહેતો હતો, તેની સામે પણ હત્યા અને ખંડણી સહિતના અનેક પોલીસ કેસ નોંધાયા હોવા છતાં ન્યાય અને મદદ માટે કેમ લોકો જતા હતા, તેવો પ્રશ્ન થાય, પણ તેનો અર્થ સ્પષ્ટ હતો કે વડોદરાની પ્રજાને કાયદા અને તંત્ર કરતા રીસાલદાર ઉપર વધુ ભરોસો હતો. આજે તેવુ જ બીહારમાં પણ છે. ત્યાં શાહબુદ્દીને એકલો નથી ત્યાં અનેક શાહબુદ્દીનો છે કદાચ તેમનો ધર્મ કોઈ પણ હોઈ શકે, જેવી રીતે ઉત્તર પ્રદેશમાં રાજુ ભૈયા અને મુંબઈમાં ભાઈ ઠાકુર છે, જો કે આ  ગુંડાઓ મદદ અને ન્યાય કરવામાં કોમ જોતા નથી, તેઓ આપણા નેતાઓ અને ધર્માધીકારીઓ કરતા વધુ બીનસાંપ્રદાઈક છે.

વાત લતીફ અને રાજુ રીસાલદારની હોય તેમના કામને ન્યાયી ઠેરવી શકાય નહીં કારણ ક્રમશ લોકોની તેમના તરફની આસ્થા અને ભીડ જોઈ તેઓ પોતાને સરકાર માનવા લાગે છે, તેના કારણે રાજુ રીસાલદારનું  પત્રકાર દિનેશ પાઠક હત્યા કેસમાં અને લતીફનું સગીરઅહેમદ હત્યા કેસ બાદ પોલીસ એન્કાઉન્ટરમાં મોત નિપજયુ હતું. ટુંકા રસ્તો અને ટુંકા સમયમાં શહેનશાહ થયેલી ગયેલા ગેંગસ્ટરનો અંત ફિલ્મી સ્ટોરીની જેમ બહુ જલદી આવતો જ હોય છે. શાહબુદ્દીનના મુદ્દે બીહારનું રાજકારણ ગરમાયુ છે, પણ સવાલ માત્ર એક શાહબુદ્દીન પુરતો સિમીત નથી, આખી ઘટનાને બહુ વિશાળ ફલક ઉપર જોવાની જરૂર છે, લોકો કાયદા અને સરકારમાં વિશ્વાસ ગુમાવી ગુંડાઓ ઉપર ભરોસો કરવા લાગે તે સ્થિતિ કયારેય સારી કહી શકાય નહીં, છતાં તે વાસ્વીકતાનું રૂપ લઈ રહી છે.

ગાંધીના ગુજરાતમાં પણ એક ડઝન કરતા વધુ ધારાસભ્ય એવા છે કે જેમની સામે વિવિધ પ્રકારના ગુનાઓ  નોંધાયા હોવા છતાં તેઓ નીશંકપણે ચુંટણી જીતે જ છે. કારણ તેમના મતદારોને તેમના ધારાસભ્યની રાજકિય લાયકાત  કરતા તેની અંદર રહેલું ગુંડાતત્વ વધુ આકર્ષીત કરે છે. આ નેતાઓ પ્રજાનું કામ નહીં કરતા સરકારી અધિકારીઓને જાહેરમાં ફટકારે છે, તેના કારણે  પ્રજાને લાગે છે કે એક પ્રમાણિક અને સાલસ નેતા કરતા ગુંડો ધારાસભ્ય વધુ અસરકારક છે. આ સ્થિતિમાં શાસન કરતા અને ન્યાય પ્રણાલિકામાં નિર્ણય લેનારે વિચાર કરવો પડશે નહીંતર દરેક મહોલ્લોમાં એક શાહબુદ્દીન અને ભાઈ ઠાકુર  હશે તે દિવસો દુર નથી.

10 comments:

  1. Adbhut...gunda o rajkarni karta vachan palvama ma dradh hoy chhe a vaat tame bahu saras rite samjavi.

    ReplyDelete
  2. Adbhut...gunda o rajkarni karta vachan palvama ma dradh hoy chhe a vaat tame bahu saras rite samjavi.

    ReplyDelete
  3. Dada,what we understand,why Governments are not ready to accept the Truth?

    ReplyDelete
  4. Dada,what we understand,why Governments are not ready to accept the Truth?

    ReplyDelete
  5. Jena loho ma na mardangi ni badbu aavti hoy teva loko gunda no saharo leta hoy che
    gunda ni madad thi nyay pamnar loko jyre aa gunda no bhog bane che tyre temni pase koi rasto nathi rehto
    gunda banvu aasan kam che pan samaj ma sari vykti tarike jivan jivavu mushkel che
    aapna desh ma gunda o nu jor vadhare che tenu karan loko nabri mansikta dharave che
    Govrrment ane neta o aava tatvo same karyvahi karva ni jagya e temna musals power no upyog karvanu vichari lidhu che

    ReplyDelete
  6. From the article I understand that any person he may antisocial or simple but get elected when he gets support from the people

    ReplyDelete
  7. From the article I understand that any person he may antisocial or simple but get elected when he gets support from the people

    ReplyDelete
  8. very realistic analysis,sir...made me contemplate the present day situation.

    ReplyDelete