Sunday, September 18, 2016

નરેન્દ્રભાઈ યુધ્ધ કયારેય કલ્યાણકારી હોઈ શકે નહીં, પણ જવાબ તો આપવો જ પડશે

 કાશ્મીરમાં લશ્કરી થાણા ઉપર થયેલા હુમાલામાં 17 જવાનો શહિદ થયાના સમાચાર મળતા જ નરેન્દ્ર મોદી જયારે વિપક્ષમાં હતા, ત્યારે રજતશર્માની ચેનલ આપકી અદાલતમાં આપેલો 56ની છાતીનો ઈન્ટરવ્યુ  તેમના જ સમર્થકો વાયરલ કરે છે. કારણ તેઓ દુખી છે, તેમને લાગે છે મનમોહનસિંહને પડકારાનો તેમનો નેતા કેમ હવે કઈ બોલતો નથી, વરસાદી ઝાપટુ પડી જાય તેમ ત્રાસવાદી આપણી સરહદમાં આવી આપણા કાન નીચે ખેંચીને મારે તો પણ આપણે કેમ ચુપ બેઠા છીએ.

જયારે પણ વિરોધપક્ષમાં બેઠેલા નેતાઓ સરકારને ગાળો આપે ત્યારે હું કહેતો, સરકારને ગાળો આપવી સહેલી છે, પણ જયારે આપણે વિરોધપક્ષમાં હોઈએ ત્યારે માનસીક રૂપે સરકારની ખુરશીમાં બેસી આપણે જે મુદ્દે ગાળો આપી છીએ તેનો ઉકેલ સરકારમાં આવ્યા પછી આપણી પાસે છે કે નહીં ..? જો જવાબ ના હોય તો ગાળો આપવી નહીં કારણ આજે નહીં તો કાલે પ્રજા જયારે સુકાન સોંપશે ત્યારે કેટલા વિશે સો થાય તેની ખબર પડશે. બરાબર અત્યારે નરેન્દ્ર મોદીની હાલત તેવી જ થઈ છે, યુપીએ સરકાર નકામી છે પાકિસ્તાનને જવાબ આપતી નથી, 56ની છાતી જોઈએ તેવા ભાષણો કરી નરેન્દ્રભાઈ વડાપ્રધાન તો થઈ ગયા પણ એક વખત તે ખુરશીમાં બેઠા પછી ખબર પડે છે કે દેશ અખાડો નથી, અહિયા ફ્રી સ્ટાઈલ કુસ્તી શકય નથી. દેશને પોતાના અને આંતરાષ્ટ્રીય નિયમોમાં ચાલવુ પડે છે.

વાત માત્ર નરેન્દ્ર મોદી પુરતી સિમીત નથી, ત્રાસવાદ અને યુધ્ધ જેવો મુદ્દાનો ઉકેલ વોટસઅપ થવા ફેસબુકથી આવી શકે તેમ નથી, તે આપણે પણ સમજી લેવાની જરૂર છે. એટલે આપણે નરેન્દ્ર મોદીનો જુનો વિડીયો વાયરલ કરીએ અથવા શહિદોના ફોટા મુકી લાઈક કરો તેવુ લખીએ તે આપણી બાલીશતા છે, કદાચ ટાઈમ પાસ કરવા માટે અથવા નરેન્દ્ર મોદી આપણને ગમતા નથી તેના કારણે આપણે તેમને  ગાળો આપી આપણી દેશ ભકિત સાબીત કરીએ તે જુદી વાત છે. વાત જયારે ભારતના કોઈ પણ લશ્કરી થાણા  ઉપર હુમલાની છે ત્યારે નરેન્દ્ર મોદી સાથે તમામ પ્રકારના અણગમા ભુલી અમે તમારી સાથે છીએ તેવુ પ્રજા અને તમામ વિરોધપક્ષે કહેવુ પડશે.

યુધ્ધની વાત કરનાર નરેન્દ્ર મોદીને પણ હવે સમજાયુ હશે કે યુધ્ધ કયારેય કલ્યાણકારી હોઈ શકે નહીં, કારણ યુધ્ધ માત્ર  ભારતની 13 લાખ સેના અને પાકિસ્તાનની છ લાખ સેના વચ્ચે થતુ નથી, પરોક્ષ રીતે બન્ને દેશોની પ્રજા પણ યુધ્ધનો ભાગ બની જાય છે.પાકિસ્તાનને ગાળો આપતા પહેલા આપણે તેનો ઈતિહાસ તપાસી જવાની જરૂર છે. ભારત પાકિસ્તાનનું વિભાજન થયુ ત્યારે પાકિસ્તાનના પાયામાં ભારત તરફની નફરત હતી, પછી પાકિસ્તાનીઓની પણ કમનસીબી રહી કે તેમને કોઈ શાસક પ્રેમ અને દોસ્તી પણ થઈ શકે તેવુ કહેવાની હિંંમત કરી શકયો નહીં. પાયામાં જ ભારત તરફની નફરત હોવાને કારણે જે નેતા ભારતને ગાળો આપે પ્રજાને તેને જ સત્તા સોંપે તે પરંપરા ચાલતી રહી. અને નફરત કેટલુ નુકશાન કરી શકે તેની પાકિસ્તાન ખુદને ખબર છે.

નફરતના બીજમાં પાકિસ્તાનના ગર્ભમાં ત્રાસવાદનો જન્મ થયો, અને જે હવે તેમના નિયંત્રણ બહાર જઈ રહ્યો છે, કોઈને તેવુ લાગતુ હશે તે ત્રાસવાદને ધર્મ સાથે જ નિસ્બત છે, પણ તે વાત સો ટકા સાચી નથી, હોઈ શકે મુંબઈ હુમલાનો આરોપી અઝમલ કસાબ ધર્મના જડતાની ઝપેટમાં આવી હાથમાં બંદુક સાથે ભારત આવી ગયો, પણ હવે પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશો માટે ત્રાસવાદે એક ઉદ્યોગનું સ્થાન લઈ લીધુ છે. તેમાં ખુબ પૈસા છે. ત્રાસવાદી સંગઠનોના નેતા ખુબ પૈસા કમાય છે. વિશ્વના દેશો તેમને હથિયાર વેંચી ધંધો કરે છે, અને મુર્ખ તો નિદોર્ષ યુવાનોને જેહાદના નામે બનાવવામાં આવે છે. આપણો વિરોધ ત્રાસવાદ સામે જોઈ શકે નહીં કે પાકિસ્તાની સામે.

ગોધરામાં કેટલાંક લોકોએ ટ્રેન સળવાગી તો આપણે અમદાવાદના નરોડા પાટીયા અને મહેસાણાના સરદારપુરામાં લોકો સળગાવી દીધા કારણ તેઓ ટ્રેનનો ડબ્બો સળગાવનારની તેમની  કોમના હતા. જીવતા સળગી દેવાની પીડા કદાચ જેમણે ડબ્બો સળગાવ્યો તેમને આપી હોત તો વાત જુદી હતી પણ તેવુ થતુ નથી.  કિમંત તો દરેક વખતે ગરીબો જ ચુકવતા હોય છે તે પછી કોઈ પણ ધર્મ અથવા દેશનો હોય. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી તેમણે પ્રયત્ન કર્યો જ નથી તેવુ નથી. તેમની દેશ ભકિત અંગે પણ કોઈ શંકા નથી જેવી મને મનમોહનસિંગ ઉપર પણ ન્હોતી. પણ હવે મુશરફની માતાને શાલ આપવાનો કાર્યક્રમ પુરો થયો. મુશરફની માતા આપણી માતા છે.

યુધ્ધ કયારેય ઉપાય હોઈ શકે નહીં તેની મને હવે તો બરાબર ખબર પડે છે, છતાં પાકિસ્તાનની હદમાં ચાલતા ત્રાસવાદી કેમ્પમાં ઘુસી હવે તેમને સમજાય તે રીતે સમજાવવા તો પડશે, અમેરીકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટ્રલ ઉપર થયેલા હુમલા પછી અમેરીકાએ જે કર્યુ તેવુ જો કરવુ જ પડશે. આપણી સહિષ્ણુતાને કાયરતામાં ખપાવવી નથી, પ્રજાએ પણ તેની સાથે સંયમ રાખવો પડશે કારણ કાશ્મીરના થાણામાં શહિદ થયેલા જવાનો અને માર્યા ગયેલા ત્રાસવાદીઓના નામ વોટસઅપ મુકી આપણે શુ સાબીત કરવા માગીએ છીએ, કે મરનાર જવાનો હિન્દુ હતા અને ત્રાસવાદીઓ મુસ્લીમ હતા. આ એક સત્ય હોવા છતાં આવી મુર્ખતા આપણને પરવડે તેમ નથી, કારણ આખરે ત્રાસવાદીઓ પણ તે જ ઈચ્છે છે કે તમે લડી મરો.

આ એક લશ્કરી થાણા ઉપર ઉપર હુમલો નથી આ દેશ ઉપર થયેલો હુમલો છે, નરેન્દ્ર મોદી અને તેમના અધિકારીઓ જેમણે નિર્ણય કરવાનો છે તેમની સાથે આખો દેશ ઉભો છે પછી તેમાં તે કયા પક્ષનો, કઈ જાતી કે ધર્મનો છે તેનું કોઈ મહત્વનું નથી, ભારત અખંડ છે, અને જયારે પણ તેની અંખડતાને કોઈ પડકારે છે ત્યારે આ દેશમાં  અબ્દુલ હમીદો જન્મે છે. ભારતીય લશ્કરના ઈતિહાસ અને વર્તમાનમાં અનેક અબ્દુલ હમીદો છે. જેમના લોહીનો રંગ લાલ નહીં ત્રીરંગો છે.

 જય જય હિન્દ..

13 comments:

  1. जे दिवस थी लोकशाही ने तमे काचघर माँ स्थापी,पत्थरो नी हुकूमत जुओं त्यार थी ज व्यापी ।

    ReplyDelete
  2. जे दिवस थी लोकशाही ने तमे काचघर माँ स्थापी,पत्थरो नी हुकूमत जुओं त्यार थी ज व्यापी ।

    ReplyDelete
  3. Perfect Article,at Right Moment.Dear Nana,every Indian have to Stand behind our P.M.in this matter,Jay Bharat.

    ReplyDelete
  4. Perfect Article,at Right Moment.Dear Nana,every Indian have to Stand behind our P.M.in this matter,Jay Bharat.

    ReplyDelete
  5. Yes That's True Every Indian Have To Stand Behind Our P.M Jai Hind

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. ત્યારે આ દેશમાં અબ્દુલ હમીદો જન્મે છે. ભારતીય લશ્કરના ઈતિહાસ અને વર્તમાનમાં અનેક અબ્દુલ હમીદો છે. જેમના લોહીનો રંગ લાલ નહીં ત્રીરંગો છે.- Wah nice article Bhai.

    ReplyDelete
  8. સમય આવે ત્યારે યુદ્ધ પણ કલ્યાણ કારી હોય છે માટેજ ભગવાન કૃષ્ણ એ કહ્યું "પાર્થ ને કહો ચઢાવે બાણ હવેતો યુદ્ધ એજ કલ્યાણ"

    ReplyDelete
  9. સમય આવે ત્યારે યુદ્ધ પણ કલ્યાણ કારી હોય છે માટેજ ભગવાન કૃષ્ણ એ કહ્યું "પાર્થ ને કહો ચઢાવે બાણ હવેતો યુદ્ધ એજ કલ્યાણ"

    ReplyDelete
  10. Narendra modi e satta par aava mate aap ki adalat ma love letters na banga puchya tyare rajat sharma international rules no questions karyo tyare pan modi e hum 100 caror log hai koi niyam lagu na pade international daban aapde pan lavi sakie tevi damfaco mari tali o gadgadat thi hall gunjyo hato
    aa hall ma modi rajat ane tali padnara buddhijivi o j betha hata
    aa loko te samaye khabar nahti ke modi khali damfaco mare che
    jevu karo ane kaho tevu bharo
    Modi have aapjo praja ne jawab

    ReplyDelete
  11. The attack is not on Indian army but it is on Indian to break our unity.however it is known to all of us there is unity in diversity and worlds any terrorist organization cannot break it

    ReplyDelete
  12. The attack is not on Indian army but it is on Indian to break our unity.however it is known to all of us there is unity in diversity and worlds any terrorist organization cannot break it

    ReplyDelete
  13. એક જ રસ્તો છે... ભારતીય સેનાને છુટ્ટો દોર આપો..... IS MULK KI SARHAD KO KOI CHU NAHI SAKTA.

    ReplyDelete