Sunday, September 11, 2016

પ્રશાંત દયાળ મુસ્લીમોને બદનામ કરવાનો પ્રયાસ કરે છે

થોડા દિવસ પહેલા મેં પ્રમુખ સ્વામીના નિધન બાદ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસઉદ્દીન શેખએ પ્રમુખ સ્વામીને આપેલી શ્રધ્ધાંજલી અંગે એક પોસ્ટ લખી, જે હજી મારા બ્લોગ ઉપર  છે કોઈને વાંચવી હોય તો વાંચી શકે, પણ આ પોસ્ટને કારણે નારાજ થયેલા કલીમ સિદ્દીકી નામના મીત્રએ લખ્યુ કે પ્રશાંત દયાળે મુસ્લીમોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યાર બાદ તેમણે ઘણુ લખ્યુ છે સામાન્ય રીતે આવી કોઈ વાતે જવાબ નહીં આપવાનો મારો નિર્ણય યથાવત રાખ્યો કારણ વિવાદનો ઉકેલ નથી, પણ કલીમની ટીકા સાંભળી થોડુ વાર પછી સારૂ લાગ્યુ, કારણ મારી ઉપર હમણાં સુધી આરોપ હતો કે હું દલિત અને મુસ્લીમોની  તરફેણ કરૂ છુ અને ભાજપનો વિરોધી છું, પણ હવે કોઈ મુસ્લીમ પણ માને કે હું મુસ્લીમોને પણ બદનામ કરૂ છુ તો તેના મેરીટની ચર્ચા કરતો નથી પણ મને લાગ્યુ કલીમની ટીકાએ હું જે રસ્તે જઈ રહ્યો છુ તે બરાબર છે તેનું સમર્થન આપ્યુ છે. કારણ હિન્દુઓ મને મુસ્લીમ તરફી માને છે અને મુસ્લીમો મને તેમનો વિરોધી માને છે.

મને લાગે છે કે કલીમ સીદ્દીકીએ મારી પોસ્ટ કોઈ થોડુ ઘણુ સારૂ ગુજરાતી સમજી શકતા મુસ્લીમ પાસે વંચાવી લેવાની જરૂર હતી કારણ તેમની પક્કડ ઉર્દુ અને અંગ્રેજીમાં સારી છે, પણ ગુજરાતી કેટલુ સમજે છે તેની મને ખબર નથી, જો કે સિદ્દીકી મારી ચીંતાનો વિષય કયારેય હોઈ શકે નહીં કારણ અમદાવાદ અને ગુજરાતના એક હજાર કરતા વધુ  મુસ્લમાનો મને હું કોણ છુ, તે સારી રીતે જાણે છે, જો કે પછીથી મારા ધ્યાનમાં આવ્યુ કે સિદ્દીકીનો વાંધો મારી સામે નહીં પણ ગ્યાસુદ્દીન શેખ સાથે છે અને તેમના રાજકિય એજન્ડાની વચ્ચે હું આવી ગયો હતો.

પણ આખી વાતમાં મઝા સોશીયાલ મીડીયાની છે, જયારે માત્ર અખબારો જ  હતા ત્યારે પત્રકાર લખીને છુટી જતો, વાચક અથવા જેના અંગે લખાયુ છે, તેમને પોતાનો વાંધો રજુ કરવાનો અવકાશ ન્હોતો, પણ હવે સોશીયલ મીડીયા આવ્યુ તેના કારણે સિદ્દીકી જેવા મીત્રને મારી સામે નારાજગી વ્યકત કરવાની તક મળી, તેમણે મારા મત કરતા વિરોધી મત ફેસબુક અને વોટસઅપ ઉપર મુકી પોતાની નારાજગી વ્યકત કરી, આ સારી નિશાની છે, આપણા કરતા બીજાનો વિચાર અને મત જુદો હોઈ શકે, અને તેને પણ તેની વાત મુકવાનો એટલે જ અધિકાર છે, અને મારી પોસ્ટ પછી કેટલાય મીત્રો મારી ટીકા કરે છે, તેમા મારે નારાજ થવાની જરૂર નથી, કારણ ટીકા કરવાનો તેમને અધિકાર છે.

પણ એક વખત પત્રકારત્વનો ચોલો પહેરી લઈએ પછી તેવુ લાગવા માંડે છે, આપણે કહીએ તે જ પુર્વ દિશા છે, પણ તેવુ દરેક વખતે સાચુ હોતુ નથી, અખબારોની એક હથ્થુ સત્તા હતી તે બદલાઈ રહી છે, માધ્યમોની સત્તાઓ વહેચાઈ રહી છે, કુકડો બોલે તો જ સવાર થાય તે ભુમીકામાંથી અખબારો બહાર જઈ રહ્યા છે. હવે દરેકના ફોનમાં કુકડો આવી ગયો છે હવે કઈ લાંબો સમય સુધી છાનું રહેતુ નથી,છતાં જયારે કોઈ લેખ , પોસ્ટ અથવા અખબારો સામે કોઈ નિવેદન કરે ત્યારે પત્રકારોને માઠુ લાગી જાય છે. કારણ વર્ષોથી પત્રકારોને જ બોલવાની અર્થાત લખવાની ટેવ હતી, હવે બીજા પણ લખવા લાગ્યા છે, તેઓ પોતાની વાત પણ લોકો સુધી પહોંચાડવા લાગ્યા છે.

છેલ્લાં થોડા દિવસથી કોગ્રેસના નેતા ઉમાકાંત માંકડ જે મારા સિનિયર મીત્ર છે, તેમની એક પોસ્ટ ફરી રહી છે, જેમાં તેમણે મન ભરી મીડીયા  સામે નારાજગી વ્યકત કરી છે, કેટલાંક મારા પત્રકાર મીત્ર આ મુદ્દે સંવેદનશીલ થઈ ગયા છે., માંકડ એક કોંગ્રેસી થઈ કઈ રીત આ ભાષામાં માધ્યમો અંગે લખી શકે, પણ મારો આ વ્યકિતગત મત છે હું માંકડની તરફદારી કરતો નથી છતાં ઉમાકાંત માંકડને પણ પોતાની નારાજગી વ્યકત કરવાનો પુરો અધિકાર છે, તેવુ માનું છુ, માધ્યમો દલાલ અથવા ચોર છે, તેવો તેમને મત નિર્માણ થયો તેની પાછળ તેમનો ચાલીસ વર્ષ કરતા વધુ જાહેરજીવનનો અનુભવ છે. તેમણે અનેક મુખ્યમંત્રીઓ અને સરકારોને જોઈ છે. તે સાચા જ છે તેવુ પણ કહેતો નથી છતાં તે સંપુર્ણ ખોટા છે તેવુ પણ માનતો નથી.

માંકડની પોસ્ટને કારણે દુખ પત્રકારોને થયુ છે, પણ તેમની પોસ્ટ મેં ધ્યાનથી  વાંચી તો મને સમજાય છે તેમની નારાજગી પત્રકારો કરતા માધ્યમોના માલિક સામે છે, પણ આવુ તો થાય જ પત્રકારની ભુમીકા ઘરની વહુ જેવી છે વર અને સાસૂ બન્નેના નિશાના ઉપર કાયમ રહે છે, પત્રકાર લોકોની વચ્ચે ફરે છે તેના કારણે માલિક ધંધો કરી જાય તો પણ ચીઠ્ઠી તો પત્રકારના નામે જ ફાટે છે, જેની ઉમાકાંતને ખબર જ હશે. પણ વાત અહિયા કોણ સાચુ અને કોણ ખોટુ તેની કરતા મહત્વનું છે, હવે આપણા લેખ અને સ્ટોરીઓ અંગે લોકો નિવેદન કરશે ગાળો આપશે અને દલાલ જેવા શબ્દોનો પ્રયોગ કરશે, પણ તે એક વાચક અને નાગરિક તરીકે તે તેમનો  અધિકાર સમજી આપણે ઉદારતા દાખવી પડશે

વર્ષો પહેલા મુંબઈમાં ઈન્ડીયન એકસપ્રેસ જુથનું ગુજરાતી અખબાર સમકાલીન બહાર પડતુ હતું તેના તંત્રી હસમુખ ગાંધી વાચકોના પત્ર છાપતા હતા, ત્યારે વાચકો ચ અને ભ શબ્દનો પ્રયોગ કરી પત્ર પાઠવતા હતા, અને ગાંધીસાહેબ પોતાની સામે જ લખાયેલા પત્ર પણ પોતાના અખબારામાં છાપતા હતા, હવે હસમુખ ગાંધી જેવા તંત્રી આપણને મળવાના નથી ત્યારે સોશીયલ મીડીયાના માધ્યમોથી કોઈ આપણને ભાંડે તો મન ઉપર લેવાને બદલે આપણે તેને તેમનો અધિકાર સમજીએ , કયાંક આપણે ખોટા તો નથી તે તપાસી લેવાની જરૂર છે.

સુરતમાં ભાજપના કાર્યક્રમ બાદ મેં મારી પોસ્ટમાં રાવણ શબ્દનો પ્રયોગ કરી એક લેખ લખ્યો હતો, તે સંદર્ભમાં મારા મીત્ર અને ભાજપા પ્રવકતા ભરત પંડયાએ મને વ્યકિતગત વોટસઅપ મેસેજ મોકલી કેટલીક બાબતો તરફ ધ્યાન દોરી નારાજગી વ્યકત કરી હતી. આ મેસેજ ભાજપના પ્રવકતા તરીકેનો નહીં પણ એક નાગરિક તરીકેનો હતો, હું ભરતનો મેસેજ ત્રણ વખત વાંચી ગયો. અને મેં જવાબમાં લખ્યુ ભરત આભાર હું મારી જાતને ફરી તપાસી જઈશ.  બસ આપણે આપણી સામેનો મત વ્યકત કરનાર સાથે પણ આ પ્રકારનો જ વ્યવહાર કરવો પડશે કારણ કોઈ મત આખરી હોતો નથી, આજે આપણને જે સાચુ લાગી રહ્યુ છે તેની સાથે કદાચ આવતીકાલે આપણે જ સંમત્ત ના થઈએ.

13 comments:

  1. When one reporter is publishing somebody or a reader is contradicting it is nothing but right to freedom

    ReplyDelete
  2. રવિવારે તમો હળવુ લખો છો એ રીત રસમ મુજબ મારી ટિપ્પણી એ છે કે તમારા ફોટા ઘણા સારા આવે છે તો આ પોસ્ટ મા આવો ભંગાર ફોટો કેમ મૂક્યો?લેખ ની વાત પછી પહેલા તો ડેસિન્ગ ફોટા હોવા છતા આવો ફોટા કેમ મુક્યો?? - વિનોદ સોલંકી

    ReplyDelete
  3. Ninda thi gusso karvo tena karta damay aave teno jawab apvo e j mantra thi chalvu jene ninda karvi hoy te kare aap bhala to jag bhala

    ReplyDelete
  4. Thank you for reply kam se kam aap ne reply to diya MLA shree ko media use karne me master degree hai agar mai aap ka blog nahi samajh paya to aap bhi MLA gyasuddin shaikh ko nahi samajh paye
    Mujhe lekhak mandal k kai sathiyo ka phon bhi aaya tha sabne mujhe bataya k aap pro dalit muslim journalist hain patrkarita me aap ka ek rutba hai mere paas Hindustan Times delhi edition ki ek cutting jisme likh hai k aksherdham hamle k aatankiyon ki khtna nahi hui thi kya aap bata sakte hain un aatankiyon ka mazhab kya tha al qaida ki ladai arab aur amerikan ki thi isis ki ladai post saddam power hasil karne ki ladai hai pakistani tanzeemen hai kuch jinka indian muslim se kuchh lena dena nahi
    Kya aap bata sakte hain aksherdham

    Aap ne gujrati akhbaro ki chakahaundh me MLA shree ko apni tareef k aage kuchh nahi dikhai deta
    Hindustani musalmano ka kisi dahshat gard tanzim ya dahshat gardi se koi talluk nahi hai media sakaren sanghi k sadyantr se aman pasand musalmano ko dahshat gardi se joda ja raha hai

    ReplyDelete
  5. Is mulk me koi dahshatgard hai to voh LK advani jo aatank rath par baith kar poore mulk hinduon aur musalmano ko baant diya aaj tak yeh nafrat ki deewar nahi giri
    Ab nafrat aur dahshat ki rajniti wale dilli bhi pahunch gaye congress ki maherbani se

    ReplyDelete
  6. Is mulk me koi dahshatgard hai to voh LK advani jo aatank rath par baith kar poore mulk hinduon aur musalmano ko baant diya aaj tak yeh nafrat ki deewar nahi giri
    Ab nafrat aur dahshat ki rajniti wale dilli bhi pahunch gaye congress ki maherbani se

    ReplyDelete
  7. Jo log aksherdham hamle me pakde gaye the sabhi supreme court se baa izzat riha hogaye
    Sir plz mare gaye aatankvadiyon ka mazhab kya tha
    Plz bata dijiye
    Thanks

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete