Thursday, September 29, 2016

વિજયભાઈ તમે તો સરકાર છો, તમે પણ સમાજની જેમ અમારી સાથે અાભડછેટ રાખો છો.

આજે મેં સવારે જીજ્ઞેશ મેવાણીને ફોન કર્યો, હું તેની સાથે મઝાક કરવાના મુડમાં હતો, મેં કહ્યુ કેમ ભાઈ તોફાન  કરો છો, સરકારી વાહનોને નુકશાન પહોંચાડો છો. તે હસવા લાગ્યો, તેણે કહ્યુ  આવી રીતે પણ સરકાર કોઈનું અપમાન કરી શકે તેની મને ખબર ન્હોતી, તેની ઉપર બે દિવસ પહેલા અમદાવાદ પોલીસે પોલીસના વાહનોને નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. તે સંદર્ભમાં તે મારી સાથે વાત કરી રહ્યો હતો. જીજ્ઞેશ કહ્યુ મારી ઉપર સાવ ક્ષુલ્લક ગુનો નોંધ્યો છે કે મેં પોલીસની વાહનોની સીટો ફાડી, પોલીસના વાહનોના કાચ ફોડયા , અરે ગુનો નોંધવો જ હતો રાજદ્રોહ જેવી કોઈ કલમ લગાવી હતી, હું મારી તમામ જાહેર સભાઓ શરૂ કરતા પહેલા કહુ છુ કે પોલીસ સાથે કોઈ દુર વ્યવહાર કરશે નહીં, પોલીસ દંડો ફટકારી તમારી ચામડી પણ ઉતેરડી નાખે તો પણ તમે તેનો જવાબ આપશો નહીં, પોલીસના દંડો તમારા હાથમાં આંબેડરનો ઝંડો. એવુ હું હજારો વખત કહી ચુકયો છુ, ત્યારે પોલીસ કહે કે મેં સરકારી મીલ્કતને નુકશાન પહોચાડયુ આવુ  કરવાનું તો બાજુ ઉપર પણ હું વિચારી પણ શકુ નહીં.

ખેર પોલીસને જે કરવુ હોય તે કરે, પણ દલીતોના મુદ્દે લડતો રહીશ, મેં પુછયુ જીજ્ઞેશ રેલ રોકો કાર્યક્રમનું શુ આયોજન છે. તેણે ઉંડો નિસાસો નાખતા કહ્યુ, હું કયારે પ્રજા પરેશાન થાય તેવા કાર્યક્રમોની તરફેણમાં રહ્યો નથી, આંદોલન તેની જગ્યાએ અને પ્રજાની રોજબરોજની જીંદગી તેના ક્રમ પ્રમાણે ચાલવી જોઈએ, જુલાઈ મહિનાઓથી અમે રેલીઓ કાઢી, આવેદનપત્ર આપ્યા, રજુઆત કરતા રહ્યા, પણ મને દુખ તે વાતનું છે કે બંધારણમાં જોગવાઈ નહીં હોવા છતાં રાજય સરકાર અને ભાજપના નેતાઓ પાટીદાર નેતા સાથે બેઠકો કરતા હતા, પટેલોને સરકાર પેકેજ આપે તેની સામે મને કોઈ વાંધો નથી, પણ આટલા મહિનાઓ પછી રાજય સરકારનો એક નાનો મંત્રી પણ અમારી સાથે વાત કરવા તૈયાર નથી, પ્રજા તો ઠીક સરકાર પણ અમને મળવા તૈયાર થાય નહીં તેનું દુખ થઈ રહ્યુ છે.

તેના કારણે અમે રસ્તા રોકો જેવા કાર્યક્રમ આપી સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ, હું રેલ રોકો આંદોલન પાછુ ખેચવા તૈયાર છુ, પણ કોઈ અમારી સાથે મંત્રણા તો કરે, કોઈક એવુ તે કહે તમારી માગણી ખોટી અથવા મોટી છે, તો તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે, પણ રાજય સરકાર જાણે દલિતોના અસ્તીત્વની સ્વીકારતી નથી, તે બાબત તો હરગીજ મને મંજુર નથી, અમારી તમામ માગણી બંધારણ અને કાયદા અનુસારની છે. અમે કહ્યુ હજી આઝાદીના આટલા વર્ષ બાદ પણ દલિતોને રહેવા  માટે એક નાનકડુ ઘર નથી, અમે કહ્યુ દલિતોને ગરીબી રેખા નીચે જીવે છે તેના કાર્ડ મળતા નથી, અમે કહ્યુ પાંચ એકર જમીન આપો, પણ કોઈ અમારી સાથે વાત કરીને તેમ તો કહે કે ભાઈ પાંચ એકરની માગણી વધારે બે એકર આપી શકીએ... પણ તેવુ પણ કોઈ કહેવા તૈયાર નથી. ત્રણ મહિના બાદ એક પણ વખત રાજય તરફથી અમને બોલાવવામાં આવ્યા નથી.

એક તરફ કરોડો રૂપિયાની સરકારી મીલ્કતને નુકશાન પહોંચાડનાર પાટીદાર નેતાઓ સામેના કેસ પાછા ખેંચી રહી છે જયારે મારી અને મારા સાથીઓ સામે એક પછી એક ખોટા કેસ નોંધાઈ રહ્યા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે સમાજની જેમ સરકાર પણ અમારી સાથે ભેદભાવ રાખે છે. એટલે રેલ રોકો કાર્યક્રમ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી, મેં મારા સાથીઓને કહ્યુ છે પોલીસ મારશે પરેશાન કરશે છતાં માર ખાઈને પણ આપણે શાંત રહેવાનું છે.

3 comments:

  1. Fakirbhai pachi dalitono koi prabhavsali netanathi ane patidar 100 parsent Bjp che mate darlageche.

    ReplyDelete
  2. I think police can't register fake case against anybody and if register it's not fair illegal undemocratic and un constitutional

    ReplyDelete