થોડા સમય પહેલા હું અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયા હતા, સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી સાથે અમે ગાંધી ખોલીમાં ગયા , જયા મહાત્મા ગાંધીને કેદી તરીકે રાખવામાં આવ્યા હતા, તે બે ત્રણ કેદીઓ પોતાની નાનકડી કોટડીમાં કોઈક કામ કરી રહ્યા હતા, મને આશ્ચર્ય થયુ મેં તે ખોલી તરફ ઈશારો કરતા પુછયુ ત્યાં શુ ચાલી રહ્યુ છે, સુનીલ જોશીના ચહેરા ઉપર એક સ્મીત આવ્યુ તેમણે અમને તે કેદીઓ તરફ જવાનો ઈશારો કર્યો, અમે ત્યા ગયા તો આંખો જોતી જ રહી ગઈ, કેદીઓ કેનવાસ ઉપર ચીત્રો દોરી રહ્યા હતા. કોઈ તેમાં રંગ ભરી રહ્યુ હતું.
સુનીલ જોશીએ કહ્યુ આ કેદીઓ કેટલાંય વર્ષોથી જેલની બહાર ગયા નથી કદાચ દસ બાર વર્ષથી તો અંદર જ છે, તેમનો નાતો બહારની દુનિયાથી તુટી જ ગયો છે, છતાં તેમના મનમાં થતી ઉથલપાથલોને કેનવાસ ઉપર લાવે છે. મેં પુછયુ તો પછી તમે આ ચીત્રોનું શુ કરો છો, તેમણે કહ્યુ આ જેલ છે, એટલે તેમના ચીત્રો જોવા માટે કોઈને અંદર તો બોલાવી શકાય નહીં, બસ તેઓ પોતાનું કામ કર્યા કરે છે. વિવેક દેસાઈએ કહ્યુ બહારની કોઈ વ્યકિત જેલની અંદર આવી શકે નહીં, પણ ચીત્રો તો બહાર આવી શકેને, સુનીલ જોશી જોઈ રહ્યા, વિવેકે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યુ નવજીવન ટ્રસ્ટમાં આ ચિત્રોનું પ્રદર્શન થઈ શકે જો તમે મંજુરી આપો તો..
સુનીલ જોશી વિચાર કરવા લાગ્યા અને તેમણે કહ્યુ વાત તો સાચી છે, જો આવુ થાય તે મને બહુ સારૂ લાગશે, કારણ જેલમાં રહેલા કેદીઓની કલા લોકો સુધી જાય તો આ કેદીઓને બહુ પ્રોત્સાહન મળશે, તેમણે તરત ચીત્રો દોરી રહેલા કેદીઓને બોલાવી પુછયુ. તમે વધુ સંખ્યામાં ચીત્રો દોરી શકો.. કેદીઓએ હા પાડતા તેમણે કહ્યુ આપણે જલદી તમારા ચીત્રોનું પ્રદર્શન કરીશુ, તમે કામ શરૂ કરો. અને પેન્સીલ રંગ અને પીછી લઈ પાંચ કેદીઓ ચીત્રો બનાવવા લાગ્યા, જેલના નિયમ પ્રમાણે કેદીઓને દિવસ દરમિયાન તો તેમને સોંપવામાં આવતુ કામ પણ કરવાનું હતું, પણ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશીએ આ કેદીઓને પોતાની બેરેકમાં પણ ચીત્રો તૈયાર કરવાની મંજુરી આપી હતી.
ત્યાર બાદ હું સુનીલ જોશી સાથે કેદીઓના ચીત્રો જોવા માટે બે ત્રણ વખત ગયો, તેમના ચીત્રો જોઈ કયારેક સુનીલ જોષી કેદીને પુછતાં યહ કયા બનાયા હૈ. તો કેદીઓ શાંત થઈ જતા, તેઓ પોતે પણ પોતાની ચીત્રમાં શુ કહેવા માગે છે તે અંગે કહી શકતા ન્હોતા, એકાદ વખત તો સુનીલ જોષીએ કેદીઓને કહ્યુ અરે ભાઈ સભી પેઈન્ટીંગમાં દર્દ કયો હે, કુછ પોઝીટીવ ભી બનાવો, કેદીઓ માત્ર જી સર કહી ઉભા રહેતા હતા, પણ પછી પણ તેમના ચીત્રમાં પણ તેમની જ વાત આવતી હતી. ચીત્રો ત્યાર થવા આવ્યા હતા, સુનીલ જોશીએ કહ્યુ ચીત્રોના પ્રદર્શન સાથે વેચાણ પણ થાય તો સારૂ, જે ચીત્રનું વેચાણ થાય તેના તમામ પૈસા તે જ કેદીને જેણે ચીત્ર દોર્યુ છે તેને આપી દેવામાં આવે તો તેમને પોતાની જાત ઉપર ભરોસો થશે.
બે દિવસ પહેલા કેદીઓએ તૈયાર કરેલા તમામ ચીત્રો આપવા માટે જેલના અધિકારીઓ નવજીવન ઉપર આવ્યા, ચીત્ર મારો વિષય નથી, પણ મારા નવજીવન ટ્રસ્ટના સાથી અને સત્ય આર્ટ ગેલેરીનો કાર્યભાર સંભળાત હિમાંશુએ ચીત્રો જોઈ કહ્યુ કેટલાંક ચીત્રો ઉત્તમ છે, જો કેદી ચીત્રકારની સહી હટાવી કોઈ નામી ચીત્રકારની સહી કરી દેવામાં આવે તો ખબર જ ના પડે આ ચીત્રકાર એક કેદી છે ચીત્રો જોઈ હિમાંશુ કહ્યુ કેદીઓના ઘણા બધા ચીત્રોમાં માનસીક બંધનની વાત છે, તેમને આકાશમાં ઉડવુ છે તેનો ભાસ છે અને કયાંક તેમની અંદર રહેલો ધર્મ આ ત્રણે બાબતનું કેનવાસ ઉપર સમનવ્ય થયુ છે.
નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં આ ચીત્રોનું પ્રદર્શન જાણિતા ચીત્રકાર વૃંદાવન સોંલકી તા 27 સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે ખુલ્લુ મુકશે, જે 2 ઓકટોબરના રાત નવ સુધી ખુલ્લુ રહેશે, સાબરમતી જેલની દિવાલ પાછળના કલાકારને ઓળખવો હોય તો તમારે પ્રદર્શન જોવુ પડશે, અને કદાચ તેમાંનું એકાદ પેઈન્ટીગ તમારા ઘર અથવા ઓફિસની દિવાલ માટે પણ પસંદ કરી શકો છે, જે કેદીઓમાં રહેલા કલાકારને જીવતો રાખવા માટે તમારી તરફનો એક નાનકડો પ્રયાસ હશે.
સુનીલ જોશીએ કહ્યુ આ કેદીઓ કેટલાંય વર્ષોથી જેલની બહાર ગયા નથી કદાચ દસ બાર વર્ષથી તો અંદર જ છે, તેમનો નાતો બહારની દુનિયાથી તુટી જ ગયો છે, છતાં તેમના મનમાં થતી ઉથલપાથલોને કેનવાસ ઉપર લાવે છે. મેં પુછયુ તો પછી તમે આ ચીત્રોનું શુ કરો છો, તેમણે કહ્યુ આ જેલ છે, એટલે તેમના ચીત્રો જોવા માટે કોઈને અંદર તો બોલાવી શકાય નહીં, બસ તેઓ પોતાનું કામ કર્યા કરે છે. વિવેક દેસાઈએ કહ્યુ બહારની કોઈ વ્યકિત જેલની અંદર આવી શકે નહીં, પણ ચીત્રો તો બહાર આવી શકેને, સુનીલ જોશી જોઈ રહ્યા, વિવેકે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યુ નવજીવન ટ્રસ્ટમાં આ ચિત્રોનું પ્રદર્શન થઈ શકે જો તમે મંજુરી આપો તો..
સુનીલ જોશી વિચાર કરવા લાગ્યા અને તેમણે કહ્યુ વાત તો સાચી છે, જો આવુ થાય તે મને બહુ સારૂ લાગશે, કારણ જેલમાં રહેલા કેદીઓની કલા લોકો સુધી જાય તો આ કેદીઓને બહુ પ્રોત્સાહન મળશે, તેમણે તરત ચીત્રો દોરી રહેલા કેદીઓને બોલાવી પુછયુ. તમે વધુ સંખ્યામાં ચીત્રો દોરી શકો.. કેદીઓએ હા પાડતા તેમણે કહ્યુ આપણે જલદી તમારા ચીત્રોનું પ્રદર્શન કરીશુ, તમે કામ શરૂ કરો. અને પેન્સીલ રંગ અને પીછી લઈ પાંચ કેદીઓ ચીત્રો બનાવવા લાગ્યા, જેલના નિયમ પ્રમાણે કેદીઓને દિવસ દરમિયાન તો તેમને સોંપવામાં આવતુ કામ પણ કરવાનું હતું, પણ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશીએ આ કેદીઓને પોતાની બેરેકમાં પણ ચીત્રો તૈયાર કરવાની મંજુરી આપી હતી.
ત્યાર બાદ હું સુનીલ જોશી સાથે કેદીઓના ચીત્રો જોવા માટે બે ત્રણ વખત ગયો, તેમના ચીત્રો જોઈ કયારેક સુનીલ જોષી કેદીને પુછતાં યહ કયા બનાયા હૈ. તો કેદીઓ શાંત થઈ જતા, તેઓ પોતે પણ પોતાની ચીત્રમાં શુ કહેવા માગે છે તે અંગે કહી શકતા ન્હોતા, એકાદ વખત તો સુનીલ જોષીએ કેદીઓને કહ્યુ અરે ભાઈ સભી પેઈન્ટીંગમાં દર્દ કયો હે, કુછ પોઝીટીવ ભી બનાવો, કેદીઓ માત્ર જી સર કહી ઉભા રહેતા હતા, પણ પછી પણ તેમના ચીત્રમાં પણ તેમની જ વાત આવતી હતી. ચીત્રો ત્યાર થવા આવ્યા હતા, સુનીલ જોશીએ કહ્યુ ચીત્રોના પ્રદર્શન સાથે વેચાણ પણ થાય તો સારૂ, જે ચીત્રનું વેચાણ થાય તેના તમામ પૈસા તે જ કેદીને જેણે ચીત્ર દોર્યુ છે તેને આપી દેવામાં આવે તો તેમને પોતાની જાત ઉપર ભરોસો થશે.
બે દિવસ પહેલા કેદીઓએ તૈયાર કરેલા તમામ ચીત્રો આપવા માટે જેલના અધિકારીઓ નવજીવન ઉપર આવ્યા, ચીત્ર મારો વિષય નથી, પણ મારા નવજીવન ટ્રસ્ટના સાથી અને સત્ય આર્ટ ગેલેરીનો કાર્યભાર સંભળાત હિમાંશુએ ચીત્રો જોઈ કહ્યુ કેટલાંક ચીત્રો ઉત્તમ છે, જો કેદી ચીત્રકારની સહી હટાવી કોઈ નામી ચીત્રકારની સહી કરી દેવામાં આવે તો ખબર જ ના પડે આ ચીત્રકાર એક કેદી છે ચીત્રો જોઈ હિમાંશુ કહ્યુ કેદીઓના ઘણા બધા ચીત્રોમાં માનસીક બંધનની વાત છે, તેમને આકાશમાં ઉડવુ છે તેનો ભાસ છે અને કયાંક તેમની અંદર રહેલો ધર્મ આ ત્રણે બાબતનું કેનવાસ ઉપર સમનવ્ય થયુ છે.
નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં આ ચીત્રોનું પ્રદર્શન જાણિતા ચીત્રકાર વૃંદાવન સોંલકી તા 27 સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે ખુલ્લુ મુકશે, જે 2 ઓકટોબરના રાત નવ સુધી ખુલ્લુ રહેશે, સાબરમતી જેલની દિવાલ પાછળના કલાકારને ઓળખવો હોય તો તમારે પ્રદર્શન જોવુ પડશે, અને કદાચ તેમાંનું એકાદ પેઈન્ટીગ તમારા ઘર અથવા ઓફિસની દિવાલ માટે પણ પસંદ કરી શકો છે, જે કેદીઓમાં રહેલા કલાકારને જીવતો રાખવા માટે તમારી તરફનો એક નાનકડો પ્રયાસ હશે.
વાહ...
ReplyDeletePositive and creative officer and reporter👍goodluck 4 exhibition
ReplyDeleteએકદમ નવો જ વિષય.વાહ દાદા...
ReplyDeleteએકદમ નવો જ વિષય.વાહ દાદા...
ReplyDeletesuper wah wah.......
ReplyDeleteJordar sir ji
ReplyDeleteSuch type of planning I think implemented by Kiran Bedi then IGP Tihar jail with a view to improve prisoners and she got success in the planning though that planning was some what different however she got success.I think this is good begin our best wishes are with prisoners trustees and you also.
ReplyDeleteVAAH
ReplyDeleteprashantbhai....mane sabrmati lai gaya hot to bahuj gamyu hot...kemke mane gamto subject hato....mara amuk seva bhavi mitro je painting kharidi shake am 6...amne show jova lavish....kalakar ne mare malvu 6 to yogya karsho.....mane ava kam karva game 6....thxxxxx.....
ReplyDelete2 ઓકટોબરના રોજ નવજીવનમાં કેટલાંક કેદીઓ જેમણે ચીત્રો તૈયાર કર્યા છે તે આવવાના છે, ત્યારે મળી શકાશે, તેમજ તમારા મીત્રો કેદીઓના ચીત્રો ખરીદી તો ખરેખર તેમને મદદ પણ થશે
DeleteVaah saras prayas che prashantbhai
ReplyDeleteVaah saras prayas che prashantbhai
ReplyDelete