Saturday, September 17, 2016

નરેન્દ્રભાઈ તમે તો કટોકટી તો જોઈ છેને .....

આદરણીય નરેન્દ્રભાઈ

આજે આપનો જન્મ દિવસ છે તેની શુભેચ્છા પાઠવુ છુ, એક ગુજરાતી વડાપ્રધાન થાય તે અમારા સૌનું ગૌરવ છે. પહેલા તો તમારો આભાર માનીશ કારણ તમે થોડા દિવસ પહેલા જ ગુજરાત આવ્યા ત્યારે તમને મેં વાડીયાની સોનલ વતી એક પત્ર લખ્યો હતો, તમે જામનગરથી દિલ્હી પહોંચો તે પહેલા તમારો સંદેશો ગુજરાત સરકાર સુધી પહોંચી ગયો અને ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ત્વરીત તે દિશામાં પગલા પણ લીઘા.તે માટે હું અને સોનલ બંન્ને તમારા રૂણી છીએ.

આજે તમે ટુંકા ગાળામાં બીજી વખત ગુજરાત આવ્યા, જો કે આ વખતે તમે આવ્યા તે પહેલા ગુજરાત પોલીસે બહુ વિચિત્ર વ્યવહાર કર્યો, એક નાનુ ઘર હોય તો પણ બે માણસ તો તેમાં પણ નારાજ રહેતા હોય છે, આ તો એક રાજય છે, જે લોકો નારાજ છે તે પણ તમારા અને મારા જ છે. પછી તે દલિત હોય અથવા પટેલ હોય, પણ તમે ગુજરાત આવો તેના ચોવીસ કલાક પહેલા પોલીસે જીજ્ઞેશ મેવાણી સહિત પાટીદાર નેતાઓની અટકાયત શરૂ કરી , તમે જ કહો આ કેટલુ વાજબી છે. તમે મહામંત્રીથી વડાપ્રધાન થયા ત્યાં સુધી તમે અનેક રાજકિય તડકી છાયડીઓ જોઈ છે જે નારાજ હોય અથવા જે વિરોધપક્ષમાં હોય તેમને પોતાની વાત મુકવાનો પણ એટલો જ અધિકાર  છે તે વાત સાથે તમે પણ સંમત્ત હશો જ.

ઈન્દીરા ગાંધીના કાળમાં કટોકટી લાદવામાં આવી ત્યારે મારી ઉંમર ખુબ નાની હતી, પણ તમારા સહિત અનેક નેતાઓ, પત્રકારો અને યુનિયન લીડરની કેવી હાલત થઈ હતી તેનાથી તમે વાકેફ જ છો તેથી તે અંગે કઈ વધુ  લખતો નથી. પત્રકારત્વને કારણે મને ખબર છે કે દેશના કોઈ એક રાજયના ગૃહ સચિવ અથવા ડીજીપી દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણય માટે તમે જવાબદાર નથી, છતાં તે બાબત તમારા ધ્યાન બહાર રહે  નહીં તે માટે આપને લખી રહ્યો છુ. કોઈ પણ શાસનકર્તાનો પ્રયાસ રાજયના તમામ વર્ગના લોકો ખુશ અને સમૃધ્ધ રહે તેવો જ હોય છે.

તમારો અને તમારા પક્ષનો પણ તેવો જ પ્રયાસ હશે, છતાં કેટલાંક મુદ્દે અમુક વર્ગ નારાજ છે તે વાસ્વીકતા પણ નકારી શકાય તેવી નથી, ત્યારે જેમને કઈક કહેવુ છે તે કઈ રીતે તમારા સુધી વાત પહોંચે તેનો પ્રયાસ કરશે, પણ તેના બદલે કટોકટીમાં થતુ હતુ તેમ વિરોધીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવે તો તે  મને વાજબી લાગતુ નથી, મને ખબર છે આ પ્રકારનો આદેશ અત્યંત સ્થાનિક કક્ષાએ જ લેવાયો હશે, જે તમારી જાણ બહાર જ હશે, તેમ છતાં વિરોધીઓના મનમાં તમારી છબી ખરડાય છે કારણ તેઓ પોતાની સાથે થતા તમામ ખરાબ વ્યવહાર માટે તમને જ દોષીત માને છે. દેશ એક વખત કટોકટી ભોગવી ચુકયો છે. હવે દેશને તેવા ખરાબ દિવસોમંથી પસાર થવુ નથી.

જે લોકો નારાજ છે, તેમની સાથે સંવાદ થાય, જો  કાયદાની જોગવાઈ અનુસાર જે માગણીઓ  સ્વીકારી શકાય  તેમ હોય તો તેમાં  આગળ વધવામાં વાંધો પણ હોવો જોઈએ નહીં, પછી ભલેને કોંગ્રેસના નેતા વિરોધપક્ષ તરીકે પ્રજાની વેદના લઈ રાજય સામે આવતા હોય, પ્રજાના પ્રશ્નને પક્ષના રાજકારણથી દુર રાખવુ જોઈએ, વિરોધ કરનાર આપણા વિરોધી જ છે તેવુ માની પોલીસના બળે આપણે તેમને થોડોક સમય આપણી નજરથી દુર રાખી શકીશુ, પણ તે પ્રશ્નનો ઉકેલ કયારેય થઈ શકે નહીં. રણમાં તોફાન વખતે માટીમાં પોતાનું માથુ છુપાવી દેતુ શાહમૃગ તોફાન નથી તેવુ માની લે છે, બરાબર અત્યારે ગુજરાતમાં આવી જ સ્થિતિ છે. પોલીસના બળે શાસન ચાલી શકે, પણ પોલીસના બળે શાસન લાંબુ  ટકી શકે નહીં.

તમારા જન્મ દિવસે ગુજરાત પોલીસ વિરોધીઓની અટકાયત કરે તે વાત તમને પણ પસંદ પડશે નહીં, છતાં તેવુ થયુ છે તેના કારણે જેઓ નારાજ છે તેમના મનમાં તમારી તરફ રહેલી કડવાશ વધી છે. અને મનની કડવાશનો તમને કે તેમને કોઈ ફાયદો થવાનો નથી. તો શા માટે જેમના વગર આપણને ચાલવાનું નથી તેમની   તરફથી શુ કામ  મોંઢુ ફેરવી લઈએ ?

તમને ખુશ કરવા માગતા અધિકારીઓ તમને  અને તમારા ઈરાદાઓને નુકશાન તો નથી  કરતાને તે જોઈ લેવાની જરૂર છે.કારણ રાજાની આગળ પાછળ સારૂ બોલનારની ફોજ હોય છે, પણ સાચુ કહેનાર હોતા નથી.
એક વખત વિચાર કરજો. ફરી એક વખત જન્મ દિવસની શુભેચ્છા સાથે વિરમુ છુ.

                                                                                         આપની કુશળતાનો અભિલાષી
                                                                                         
                                                                                               પ્રશાંત દયાળ

8 comments:

  1. and thanks to you for highlightening the clear picture during his visit to the state

    ReplyDelete
  2. Sir...mane khbr che k aa aapno vyaktigat mantvya mananiy shri Narendrabhai Modi Sab jode pahochshe j....etle hu pan temne....જન્મ દિવસની શુભેચ્છા સાથે વિરમુ છુ.👍👍👍👍👍

    ReplyDelete
  3. Superb comments. It is so true that those in power should listen to critisism.. it is equally true that those it power have the power to squash all critisism.. and some voices need to be crushed..

    The wisdom of true leader lies in how he identifies the diffrence bw all these and resists temptation to overstep those boundries of wisdom..

    You have given very wise comments . Keep us updated about who oversteps those wisdom parameters

    ReplyDelete
  4. Superb comments. It is so true that those in power should listen to critisism.. it is equally true that those it power have the power to squash all critisism.. and some voices need to be crushed..

    The wisdom of true leader lies in how he identifies the diffrence bw all these and resists temptation to overstep those boundries of wisdom..

    You have given very wise comments . Keep us updated about who oversteps those wisdom parameters

    ReplyDelete
  5. 🌷🌷🌷🌷🌷 4 Modi and 🌻🌻🌻 4 Your visan sir

    ReplyDelete
  6. Many Many Happy Returns Of The Day "HAPPY BIRTHDAY "" mananiye Shree NARENDRA MODI JI.. our best PrimeMinister of India.... We love you and we appreciate your work......

    ReplyDelete
  7. Dear Prashantbhai,

    I appreciate your restrain but this not new trend, Narendrabhai himself has started this while he was CM here. In whatever area he visited, the activists had been detained for raising people's voice. Along with many fellow activists I have been enjoyed detention or prior detention. He used police to suppress people. Once we had to approach Gujarat High Court just to took out a foot march, can say this is un-declared emergency.... I would advised .... learn to enjoy detention, take required rest...!

    ReplyDelete