દિવાળી નિમિત્તે કેટલાં મીત્રોને ફોન ઉપર નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યો હતો, ત્યારે મને મુંબઈ રહેતા પત્રકાર મીત્ર દિપક સોલીયાની યાદ આવી, અને મેં ફોન જોડયો અને લંબાણપુર્વક વાત કરી, હું દિપક અભિયાનમાં સાથે કામ કરતા હતા, ત્યારે દિપક અભિયાનમાં ચીફ રીપોર્ટર હતો અને હું અમદાવાદ ઓફિસમાં હતો, જો કે અમારી પહેલી મુલાકાત બહુ રસપ્રદ હતી. હું જયારે અભિયાનની મુંબઈ ઓફિસમાં નોકરી માટે ગયા ત્યારે તંત્રી કેતન સંઘવીને મળ્યા પછી નોકરી પાક્કી થયા પછી તેમણે મને કહ્યુ ચાલો બધાની તમને ઓળખાણ કરાવુ, તે મને ઓફિસમાં લઈ ગયા, બધા પોતાનું કામ કરી રહ્યા હતા, કારણ અંક પુરો કરાવાનો સમય હતો, એક પછી એકનો પરિચય કરાવ્યો, મારી નજર એક માણસ ઉપર પડી, બધા ખુરશી ઉપર બેસીને કામ કરતા હતા. જયારે એક માણસ મોટા રાઈટીંગ ટેબલ ઉપર બેસી કઈક લખી રહ્યો હતો, અને તેણે જે કપડા પહેર્યા હતા, તે જોઈ મને વધુ આશ્ચર્ય થયુ તેણે પેન્ટ પહેરી હતી અને ઉપર માત્ર ગંજી હતી.
મુંબઈ જેવા શહેરમાં કોઈ માણસ આવી રીતે કામ કરે મને બહુ વિચિત્ર લાગ્યુ, એક તો ટેબલ ઉપર કોઈ માણસ ,ચઢી બેસે અને તે પણ માત્ર ગંજીમાં કામ કરે કેવુ હાસ્યસ્પદ લાગે. કેતન સંઘવી મને તે માણસ પાસે જ લઈ ગયા, અને ઓળખાણ કરવાતા કહ્યુ આ અમારા ચીફ રીપોર્ટર છે દિપસ સોલીયા.. આ સાંભળતા મને લાગ્યુ આવો થોડો ચીફ રીપોર્ટર હોય. અમદાવાદમાં તો ચીફ રીપોર્ટર એકદમ એટીકેટમં રહે અને મુખ્યમંત્રી કરતા પણ વધુ રૂવાબ કરે, મારૂ ધ્યાન પડયુ દિપકની બાજુમાં રહેલા બીડીના બંડલ તરફ. અરે આટલા મોટા સામાયીકનો ચીફ રીપોર્ટપ બીડી પીવે.. પણ પછી જેમ જેમ દિપક સાથે વાત થતી ગઈ અને તેને વાંચતો ગયો તેમ તેમ સમજાયુ કે દિપકના પહેરવેશ અને તેની બધી સ્ટાઈલ ગૌણ છે, તે સારો પત્રકાર એટલા માટે છે , કારણ પહેલા તે સારો માણસ છે. અને હું તેના પ્રેમમાં પડયો અને આજે પણ છુ.
એટલે દિપક સાથે વાત કરવાનું મને આજે પણ એટલુ જ ગમે છે.લગભગ મેં અને દિપકે લાંબી વાત કરી, તેના કારણે મારી પત્નીને શંકા પણ ગઈ કદાચ સામે છેડે કોઈ મહિલા હોવી જોઈએ, ખેર તે વાત જવા દઈ પણ, દિપકે વાત પુરી થતાં કહ્યુ આવને યાર કોઈ દિવસ મુંબઈ.. મુંબઈ નથી આવતો. મેં કહ્યુ ના દિપક પહેલી અને છેલ્લી વખત 1995માં મુંબઈ નોકરી લેવા માટે આવ્યો હતો, પણ પછી કયારેય આવ્યો નથી. હું મરાઠી ભાષી હોવાને કારણે ઘણાને આશ્ચર્ય થાય છે કે હું કોઈ દિવસ મુંબઈ ગયો જ નથી. દિપકે પણ મને પુછયુ કેમ મુંબઈમાં તારા કોઈ સગા રહેતા નથી, મેં કહ્યુ દિપક હું ગુજરાતમાં આઠમી પેઢી છુ, હવે મુંબઈ તો ઠીક પણ આખા મહારાષ્ટ્રમાં પણ સમખાવા પુરતો કોઈ સગો નથી.
આ સાંભળી દિપક હસવા લાગ્યો તેણે કહ્યુ પ્રશાંત તુ મરાઠી હોવા છતાં મુંબઈમાં તારૂ કોઈ સગુ નથી, પણ આપણે તો વારે ઘડીએ કઈ પણ થાય એટલે સહજતાથી કહી દઈએ છી કે મુસલામ પાકિસ્તાન જતા રહે, પણ ભારતના મુસલમાન પાકિસ્તાન કોની પાસે જાય, ત્યાં હવે તેમનું કોણ છે. મને દિપકની વાત સાચી લાગી, ભારતની મુસલામાનોની કુલ વસ્તીના સીત્તેર ટકા તો આઝાદી પછી જનમ્યા છે. જેમને પાકિસ્તાનના જન્મ સાથે પણ કોઈ લેવાદેવા નથી છતાં આપણે તેમને સતત યાદ અપાવીએ છીએ કે તેમણે પાકિસ્તાન જતા રહેવુ જોઈએ, પણ કયાં અને કોની પાસે જતા રહેવુ જોઈએ તે તો કોઈ કહેતુ નથી.
Dada paherves to tamaropan evojche 💐. Chal aavavu che 👍
ReplyDeleteJordar sir ji
ReplyDeleteI think almost all the Hindu of the nation should understand that it's not possible to send all the Muslims to Pakistan because when partion took place all Hindus could not come back to India due to one or another reason and at present they don't want to comeback.MAjority of Muslims Introducing themselves as Muslims but Hindustani Muslims
ReplyDeleteJordar
ReplyDeleteઅમદાવાદમાં તો ચીફ રીપોર્ટર એકદમ એટીકેટમં રહે અને મુખ્યમંત્રી કરતા પણ વધુ રૂવાબ કરે,
ReplyDeleteસાહેબ આવું બધેજ છે
" સાહેબ દિપક સર માં તેમના નાંમ પ્રમાણે ગુણ છે એવું મને લાગ્યું છે"
Sadai lekhako na jivan no ek bhag hoy ena karno anek chhe
ReplyDeleteYou also simple men but your writing is effectively sir
ReplyDeleteદિપક સોલીયા ની વાત ગમી બંને !!
ReplyDelete1 તમે કરેલુ વર્ણન
2 દિપક સોલીયા એ કહેલી વાત "મુસ્લિમો પાકિસ્તાન મા કયા જાય ?"
When Indians are immigrated to other countries since 4-5 decades.Still they are loyal to parent country[Motherland] India.Matter is not only residency but loyalty to the motherland.
ReplyDelete