Sunday, October 23, 2016

એક બાળક ભુખ્યુ છે, અને તમે શીવલીંગ ઉપર દુધ ચઢાવો છો

બે દિવસ પહેલા એક સરકારી નોકરીની જાહેરખબર જોઈ, આ નોકરી માટે તમામ લાયકાત ધરાવતા મારા એક મીત્રને કહ્યુ તારા માટે આ નોકરી ઉત્તમ છે, જો તારી ઈચ્છા સરકારી નોકરી કરવાની હોય તો અરજી કરવી જોઈએ, તે મારી સામે કઈક વિચિત્ર નજરે જોઈ રહ્યો, મેં પુછયુ શુ થયુ, તેણે મને કહ્યુ સરકારી નોકરીમાં હું ફીટ થઈશ કે નહીં તેનો વિચાર કરી રહ્યો છું અને બીજી વાત રોજ એકનું એક કામ કરવાની મઝા પણ શુ આવે. હુ હસ્યો. મેં કહ્યુ આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલા જયારે મારા પિતા મને સરકારી નોકરી કરવી જોઈએ તેવો મત વ્યકત કર્યો, ત્યારે પણ આ જ વાત કરી હતી. સારી વાતે છે. નાની ઉમંરે જે યુવાનને પોતાની શકિત અને આવડત ઉપર ભરોસો હોય તેમને આવો વિચાર આવવો જ જોઈએ. હુ પણ પત્રકાર થયા પછી વર્ષો સુધી એવુ માનતો રહ્યો કે સરકારી અધિકારીઓ કઈ રીતે બીજા કરતા જુદુ વિચારી શકે, તેમને મન નોકરી એટલે ઘડીયાળના કાંટે ચાલતી દસથી છની નોકરી, કદાચ પ્રજા સરકારી બાબુઓની આ જ માનસીકતાને કારણે હેરાન થઈ રહી છે.

પણ પત્રકારત્વના થતાં ખરાબ અનુભવોની સાથે સારા અનુભવો પણ ખુબ થયા, પણ સામાન્ય રીતે આપણે આપણે ખરાબ અનુભવોની ચર્ચા ખુબ કરતા હોઈએ છીએ, પણ કયાંક કોઈ અધિકારી સારૂ કરતો નજરે પડે ત્યારે આપણને લાગે છે કે તે બાબતો તેની નોકરીનો જ ભાગ છે, તેમાં નવુ શુ કર્યુ, થોડા દિવસો પહેલા અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દવેને અબ્દુલ કલામનો ઈનોવેશન એવોર્ડ મળ્યો, ભારતમાં કુલ ચૌદ આઈએએસ અધિકારીઓને આ એવોર્ડ મળ્યા, જેમાં ભાર્ગવી દવે પણ એક છે, જો કે મેં આ ઘટનાને કયા સમાચારના સ્વરૂપમાં જોઈ નહીં. 2007ની બેંચના આઈએએસ અધિકારી ભાર્ગવી દવેને મળવાનું થયુ, મારા મનમાં તેમના એવોર્ડને લઈ અનેક સવાલો હતો, એક સરકારી અમલદાર પોતાન નોકરીમાં શુ નવુ કરી શકે અને તેનો સીધો ફાયદો કેવી રીતે લોકોને થાય તે જાણવામાં મને રસ હતો.

કારણ ભારતીય સેવાનો એક અધિકારી ભારતીય સેવામાં સ્થાન મેળવવા માટે વર્ષો સુધી આકરો અભ્યાસ કરે છે, પછી જયારે તે તેમા સ્થાન મેળવી ભારતીય સેવાનો ભાગ બને છે ત્યારે તેમને  કમનસીબે ઓછુ ભણેલા, અણઆવડતવાળા , બીનસંવેદનશીલ અને બરડ માનસીકતાવાળા નેતાઓ સાથે પનારો પડે છે.જો કે બધા જ નેતાઓ આવા હોતા નથી, છતાં આવા નેતાઓની આપણે ત્યાં બહુમતી છે. આ સ્થિતિમાં કઈક સારૂ કરવાની વાત આવે તો તે વાત વર્ષો સુધી ફાઈલોમાં જ અટવાયા કરે છે. આ સ્થિતિમાં ભાર્ગવી દવે જેવા આઈએએસ અધિકારીએ કલામના નામનો ઈનોવેશન એવોર્ડ મળે તે જ મોટી સિધ્ધી હતી. મેં તમને પુછયુ તમારા ઈનોવેશન શુ છુ. મારો પ્રશ્ન સાંભળી તેમના ચહેરા ઉપર એક હાસ્ય આવ્યુ, તેમણે કહ્યુ મેં ખાસ કરી કર્યુ નથી, છતાં રોજ બરોજ આપણી આંખ સામે જે આવે છે તેમાંથી કઈ રીતે ઉકેલ મળે તે દિશામાં કામ કર્યુ.

શ્રાવણ મહિનો આવતો હતો, મેં મારા જિલ્લાના તમામ તલાટીઓ અને સરપંચને બોલાવી મારી વાત કરી તેઓ સમંત્ત થયા , પહેલા તો મારી વાત તેમને પસંદ પડી હતી, મારા જિલ્લાના તમામ ગામના શીવ મંદિરો ઉપર સ્ટીકર લાગી ગયા, મેં જોયુ છે કે એક તરફ બાળકો કુપોષણનો શીકાર થઈ રહ્યા છે. જયારે આપણે શીવ ભકતિના નામે હજારો લીટર દુધ શીવમંદિરમાં ચઢાવીએ છીએ, લોકો મંદિરમાં ફળો પણ પુષ્કળ પ્રમાણમાં મુકે છે, જે પુજારી ખાઈ પણ શકતો નથી, સાંજ પડે તે ફળો કચરા પેટીમાં જાય છે, તમામ મંદિરોની બહાર મોટા પીપ મુકાઈ ગયા, લોકોની વિનંતી કરી, શીવલીંગ ઉપર પ્રતિકાત્મક પાંચ ચમચી દુધ ચઢાવો, બાકીનું અમને આપી, દો તેવી રીતે ફળ પણ આપો, કારણ આપણા બાળકો ભુખ્યા, લોકોને મારી વાત સ્પર્શી ગઈ, એક માત્ર અમદાવાદ જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન આઠ હજાર લીટર દુધ અને હજારો કિલ ફળ મળ્યા, જે અમે રોજે રોજ આંગણવાડીમાં આવતા બાળકોને સુધી પહોંચાડતા હતા.

ભાર્ગવીએ કહ્યુ અનેક સરકારી કામો એવા છે કે માત્ર સંવેદનશીલતા સાથે તે પ્રશ્નને જોવાની નજર બદલવી પડે, અને તમારી સાથે કામ કરતા કર્મચારીઓને તેવા વિચારમાં સામેલ કરવા પડે, મારી પાસે દસ હજાર કર્મચારીઓ છે, મેં તેમને મળવાનું શરૂ કર્યુ. આપણે ત્યાં હજી પણ પ્રસુતી વખતે માતા-બાળકનું મૃત્યુનું પ્રમાણ વિશેષ જોવા મળે છે, મેં એક નવો વિચાર આપ્યો, રાજય સરકારની મહિલા માટેની મમતા યોજના છે, મેં આશાબહેનો, અને ડૉકટરોની એક મિટીંગ બોલાવી, અને કહ્યુ તમારા વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓ કેટલી છે તેનુી ટેગીંગ કરો, અને જેટલી મહિલાઓ ગર્ભવતી હતી તે તમામની જવાબદારી એક એક અધિકારી અને ડૉકટરોને સોંપી દીધી. જેમાં વ્યકિતગત સંભાળની વાત હતી. ગત વર્ષે 17 હજાર મહિલાઓ ગર્ભવતી હતી, જેમાં આઠસો મહિલા એવી હતી કે જેમનું પ્રસુતી દરમિયાન તેમનું અને બાળકની મૃત્યુ થવાની સંભાવના હતી. મેં ડૉકટરોને બોલાવી કડક સુચના આપી( પછી હસતા હસતા કહ્યુ કયારેક કડક પણ થવુ પડે) કે આ આઠસો મહિલાઓમાંથી એક પણ મહિલા અથવા બાળકનું મૃત્યુ થયુ તો તમારી નોકરીને ખેર નથી.

આ મહિલાઓ ખુબ ગરીબ પણ હોય છે, જેના કારણે પણ કેટલીક સમસ્યાઓ હોય છે. અમે આ મહિલાઓને દર મહિને પાંચ કિલ ખજુર ઘીની બરણીમાં મુકી આપવાની શરૂઆત કરી જેથી માતા અને તેના બાળકને પોષણ મળે, અને આ આશ્ચર્ય વચ્ચે આઠસોમાંથી એક પણ મહિલા અથવા બાળકનું મૃત્યુ ના થયુ, જેનો બીજો લાભ એવો થયો કે સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર મળતી નથી, તેવી જે લાગણ હતી, તેમાં બદલવા આવ્યો અને અમારા દવાખાનામાં બાવન ટકા દર્દી નવા આવ્યા જે ખાનગી દવાખાનાઓમાં  મોંઘી સારવાર લેતા હતા, આવી જ રીતે શિક્ષણમાં કામ કર્યુ, મારી પાસે અઢી લાખ બાળકો અને સાતસો સ્કુલો છે, મારી ચીંતા હતી, શિક્ષણનું સ્તર કેવી રીતે ઉપર આવે.. મે અમદાવાદની પચાસ મોટી સ્કુલો સાથે ઈન્ટર એકસચેન્જ પ્રોગ્રામ માટે એમઓયુ કર્યા, શહેરના બાળકો અને શિક્ષકો ગામડાઓની સ્કુલમાં આવવા લાગ્યા, અને ગામડાના બાળકો અને શિક્ષકો શહેરમાં આવવા લાગ્યા, શહેરના બાળકો પાસે સમૃધ્ધી હતી, જયારે અમારા બાળકો પાસે પ્રકૃત્તી હતી,  બાળકો વારતામાંથી ઘણુ શીખે છે, જે આપણે પંચતંત્રની વારતામાં જોયુ છે, એટલે સાતસો સ્કુલોમાં દર શનિવારે સરપંચથી તલાટી, શિક્ષક, સાહિત્યકાર વગેરે આવે જેને અમે સ્ટોરી ડે કહીએ છીએ. કારણ ગુજરાતી માધ્યમના બાળકોને પોતાની માતૃભાષા ગુજરાતીમાં આવડતી નથી તેવુ અમારા ધ્યાનમાં આવ્યુ છે. ખાનગી શાળામાં તો પેરેન્ટ ડે હોય છે. પણ સરકારી શાળાઓમાં વાલી અને બાળક બંન્ને ગરીબ હોવાને કારણે આવુ કઈ થતુ નથી, પણ હવે અમે તમામ સરકારી શાળાઓમાં વાલીઓને બોલાવવાની શરૂઆત કરી

એક મઝાની વાત, જેને સરકાર સાથે કોઈ લેવા દેવા નથી ગામમાં સાસુ-વહુ સંમેલનની શરૂઆત કરી, કારણ આજે પણ ઘરનો મુખ્ય કમાન્ટન્ડ ટોમ સાસુ જ હોય છે, એટલે નવા સમય સાથે વહુ બદલાવવ તૈયાર હોય તો પણ સાસુ ના પાડે તો તેમાં કોઈ ફેરફાર થતો નથી, અમે સરકારી યોજનાઓની જવાબદારી સાસૂઓને સોંપી, તે અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે. અને અમે શ્રેષ્ઠ સાસુ કોણ હોઈ શકે તેવી શરૂઆત કરી અને તેમને એવોર્ડ આપવા લાગ્યા અને તે માધ્યમાંથી અનેક સરકારી યોજનાઓ લોકો સુધી લઈ ગયા, જેમને ગામની નટખટ ટોળકી, જે  સ્કુલના જ વિધ્યાર્થીઓ છે,. અમદાવાદ જિલ્લામાં  80 હજાર શૌચાલયની જરૂર છે, જેની સામે 60 હજાર બની ગયા છે, છતાં તેમના ઘરે શૌચાલય હોવા છતાં તેઓ જાહેરમાં જ જાય છે કારણ તેમને બંધ બારણે મઝા આવતી નથી. મારી નટખટ ટોળકી ગામની સીમમાં જઈ સવારે ઉભી રહે, જો કોઈ જાહેરમાં શૌચાલય કરવા બેસે તેની સાથે તેમને આપવામાં આવેલી વ્હીસલ વગાડવા લાગે છે. કલ્પના કરી જુવો કોઈ ડબલુ લઈ બેસવા જાય અને વ્હીસલ વાગે તો કેટલો સંકોચ થાય

11 comments:

  1. દાદા કોઈક જ સરકારી અધિકારી આટલા સંવેદનશીલ હોય બેનશ્રી એ સરાહનીય કાર્ય કયુઁ છે અને તમે લોકો આગળ મૂકવાનું ઉમદા કાર્ય કયુઁ છે.અભિનંદન.

    ReplyDelete
  2. દાદા કોઈક જ સરકારી અધિકારી આટલા સંવેદનશીલ હોય બેનશ્રી એ સરાહનીય કાર્ય કયુઁ છે અને તમે લોકો આગળ મૂકવાનું ઉમદા કાર્ય કયુઁ છે.અભિનંદન.

    ReplyDelete
  3. જોરદાર. ...ભાર્ગવીબેનને અભિનંદન. ..સાથે એક જીવંત સરકારી અધિકારીનો પરિચય કરાવવા બદલ દયાળજી તમને સલામ

    ReplyDelete
  4. જોરદાર. ...ભાર્ગવીબેનને અભિનંદન. ..સાથે એક જીવંત સરકારી અધિકારીનો પરિચય કરાવવા બદલ દયાળજી તમને સલામ

    ReplyDelete
  5. Sir good report & thanks to bhargviben

    ReplyDelete
  6. Congrats to Bhargvi Dave madam for doing the excellent work for the welfare of the people

    ReplyDelete
  7. Superb dada Bhargaviben ne mara lakh lakh salam che aava ias adhikari samarg desh ma hoy to hariyali kranti ane digital india thata var nahi lage haal to digital india matra paper par che

    ReplyDelete
  8. વાહ...! ભાર્ગવીબેન... વાહ...!!! આપને અઢળક અભીનન્દન...
    એક જીવંત સરકારી અધીકારીનો પરીચય કરાવવા બદલ ભાઈ પ્રશાંત દયાળને નત મસ્તક સલામ...

    ReplyDelete