Sunday, October 2, 2016

આજે તેમના સ્મશાન પણ અલગ છે.


 
 તાજેતરમાં દલિત યુવાન નેતા જીજ્ઞેશ મેવાણી ઉપર બે પોસ્ટ લખી, તેની સાથે જ હું જોઈ રહ્યો હતો કે કેટલાંક મીત્રો અનામતના મુદ્દા ઉપર ચર્ચા કરવા લાગી રહ્યા હતા, કાયમની જેમ મારી પોસ્ટ ઉપર થતી કોમેન્ટ ઉપર જવાબ આપી વિવાદ કરવા માગતો નથી માટે તે પ્રમાણે કોઈ જવાબ આપ્યો નહીં, મારા મીત્રોનો મત હતો કે દેશને અનામત પ્રથાને કારણે પારવાર નુકશાન થયુ છે, બીજો મત હતો કે માત્ર દલિતો જ ગરીબ છે તેવુ નથી, અન્ય જાતીઓના લોકો પણ ગરીબ છે. તો શા માટે માત્ર દલિતોના અધિકારની વાત થાય છે, જીજ્ઞેશે વાત કરવી હોય તો ગરીબોની કરવી જોઈએ. વગેરે વગેરે કોમેન્ટ હતી, હું એક એક કોમેન્ટનો જવાબ આપી શકુ તેના કારણો અને તર્ક મારી પાસે હતો, છતાં હું શાંત રહ્યો , હું તેવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યો હતો કે તમામ કોમેન્ટને સરળતાથી સમજાવી શકુ.

આજે સવારે જ એક ગુજરાતી અખબાર ખોલી જોયુ તો તેના પાના નંબર  2  ઉપર એક પોઝીટીવ સ્ટોરીની વ્યાખ્યામાં આવે તેવી સ્ટોરી હતી. વાત અમદાવાદની જ હતી, તે સારૂ છે નહીંતર મારા મીત્રો તેવી પણ દલીલ કરે કે શહેરોમાં તો આવુ થતુ નથી. સ્ટોરી પ્રમાણે અમદાવાદના શીલજ વિસ્તાર જયાં મોટી સંખ્યામાં શિક્ષીત અને શ્રીમંતો વધારે રહે છે. આ વિસ્તારમાં દલિતોનું એક સ્મશાન આવેલુ છે, જે સુવિધાઓના અભાવે અત્યંત ખરાબ દશામાં હતું,  દલિતો આ અંગે સરકારમાં રજુઆત કરી થાકી ગયા હતા, આ અંગે અખબારમાં સમાચાર પ્રસિધ્ધ થતાં એક મોટા વેપારીએ દલિતોને પૈસા આપી તેમના સ્મશાનની મરામત કરાવી સુંદર બનાવી દીધુ. આખી સ્ટોરીનો હાર્દ એવો હતો કે સરકારે પૈસા ના આપ્યા પણ ગામ લોકો અને વેપારીની મદદથી દલિતોનું સ્મશાન સુંદર થઈ ગયુ.

પણ મને આ સમાચાર વાંચતા ખટકી ગયા, કારણ માણસ જીવતો હોય ત્યાં સુધી તેને તેનો ધર્મ અને જાતી તો નડતી હોય છે, પણ મૃત્યુ પછી પણ તે દલિત હોવાની વાત તેના અગ્ની સંસ્કારમાં આડે આવી રહી હતી. મને આજે પણ સમજાતુ નથી કે વિકાસશીલ ગુજરાતમાં આજે હજારો ગામમાં દલિતો અને સવર્ણના સ્મશાન અલગ અલગ છે, આજે ખુદ રાજય સરકાર દલિતોને અલગ સ્મશાન બનાવી આપે છે. ખરેખર તો માણસના જન્મ સાથે મળતો ધર્મ અને જાતી તેના મૃત્યુ સાથે સમાપ્ત થવી જોઈએ, પણ તેવુ થતુ નથી. શીલજના જે વેપારી અને ગામ લોકોએ દલિતોને મદદ કરી નવુ સ્મશાન બનાવી આપ્યુ તેના બદલે તેવુ પણ કહી શકતા હતા કે ભાઈ જીવ્યા ત્યાં સુધી તો આપણે અલગ રહ્યા પણ મૃત્યુ પછી તો તમે અમારા સ્મશાનમાં અગ્ની સંસ્કાર કરો તો પણ વાંધો નથી, પણ તેવુ થયુ નહીં અને થતુ પણ નથી.

હવે જે મીત્રો મને કહે છે કે ગરીબ દલિત અને ગરીબ બ્રાહ્મણની સ્થિતિ સરખી જ છે તો ખરેખર તેવુ હોતુ નથી, બ્રાહ્ણણ ગરીબ હોય તો પણ લોકો તેને સન્માન આપે છે આવો ભુદેવ કહી સંબોધન કરે છે. જયારે દલિત જીવતા જીવ અને મર્યા પછી પણ દલિત અને આભડછેટનો શિકાર જ રહે છે. અનામત અંગે આપનો વિચાર અલગ હોઈ શકે પણ દલિત હોવાની માનસીક તકલીફ સમજવા માટે થોડીક ક્ષણ દલિત હોઈએ તો આપણી સાથે કેવો વ્યવહાર થાય તેની કલ્પના પણ કરી જોવા જોવી છે. અનામત આપવાનો હેતુ તો દલિત અને બ્રાહ્મણ સરખા થાય તેવો જ હતો, પણ તેવુ થયુ નહીં દલિતનો એક નાનકડો વર્ગ ભણ્યો-પૈસા કમાયો અને મોટો માણસ થયો પણ અનામતને કારણે તેને મળેલા શિક્ષણ અને સમૃધ્ધી બાદ પણ તે આપના સન્માનને પાત્ર થયો નહીં. અને તે મોટો માણસ થયા પછી પણ તેના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર તો દલિતોના સ્મશાનમાં જ થાય છે.

આ તો કેવી વ્યવસ્થા મને વધારે માઠુ તો ત્યારે લાગે છે સમાજ તો ઠીક પણ ખુદ રાજય સરકાર પણ દલિતો માટે અલગ સ્મશાન બનાવી આપે છે. ખરેખર તો રાજય સરકારે સમાજને ફરજ પાડવી જોઈએ કે દલિત હોય કે બ્રાહ્મણ બધાના અંતિમ સંસ્કાર તો એક સ્મશાનમાં થશે. પણ તંત્ર પાસે પણ તેવી સંવેદનશીલતા નથી. દલિત માટે કુવા અલગ હોય, દલિતો માટે તેમનો વાસ અલગ હોય અને દલિતો માટે સ્મશાન પણ અલગ હોય ત્યારે આપણે કેવી રીતે કહી શકીએ કે બધા એક સરખા છીએ. અને ખાસ જયારે અનામતની વાત આવે ત્યારે આપણને ચોક્કસ દલિતો જ યાદ આવી જાય છે. અને અનામતને કારણે દલિતો લાભ લઈ ગયા અને આપણે રહી ગયા તેવી ફરિયાદ હોય છે.

પણ આવી દલિત કરતા મારા શિક્ષીત મીત્રોએ અનામતની ટકાવારી તપાસી જવાની જરૂર છે. આપણે ત્યાં અલગ અલગ પ્રકારની કુલ 49 ટકા અનામત બેઠકો છે, તેમાં દલિતો માટે માત્ર સાત ટકા જ છે જયારે બાકીની 42 ટકા અનામત તો અન્ય જાતીઓને મળે છે, છતાં આપણે તેમની ઉપર કયારેય ગુસ્સો આવતો નથી. ચૌધરી, પંચાલ ઠાકોર બારોટ , તડવી વગેરે જાતીઓને પણ અનામતને લાભ મળતો હોવા આપણે તેમને કયારેય ધીક્કારતા નથી, અને તેમના મૃત્યુ બાદ તેમને અંતિમ સંસ્કાર પણ આપણા જ સ્મશાનમાં થાય છે શુ કામ આપણી નારાજગી પરમાર અને મકવાણા અટક ધરાવતી વ્યકિતઓ સામે છે. આખી ઘટનાને આપણે માત્ર માણસ તરીકે જન્મયા છીએ તેને ધ્યાનમાં રાખી જાતીના કુંડાળા બહાર ઉભા રહીને જોવાની જરૂર છે કદાચ તમને પણ મારી જેમ સમજાઈ જશે અને આપણે જે કરી રહ્યા છીએ તેનું માઠુ પણ લાગશે.

13 comments:

  1. प्रशांतभाई,
    आपना ब्लोग उपर हुं आजे प्रथम वखत कोई कमेन्ट लखी रह्योंछु,कारण हुं ब्राह्मण छुं,सौराष्ट्र मां जन्म्यो होवाने कारण "आभडछेट"ना आडंबर ने खुब नजदीक थी जोयोछे,डब्बा जाजरु ना सडी गयेला ,कांणा पडेला डब्बा मीथी वह्तु " मेलु" हसता माढे माथे उपाडी देडता मारा नानपण ना मित्र "हसु" हसलाना बाप काळुकाका ने जोयाछे,धरनो कोईपण प्रसंग होय के नानो मोटो तहेवार धरनां आंगणा थी लईने पुरा विस्तारने एजरीते हसता मोढे "हसला" ना बापाने जोई मोटो थयो,आज दलितना दिलना दर्दने बहार काढवानो समयछे त्यारे आपडे एना हक्कनी अनामत मांगवानु विचारता पहेला पोताने आ दलित समाजनी सरखामणी ए "उच्च" वर्गना गणांवता लोकोने शर्म थवी जोईए, जेने लोकोना पेटना बगाड जेने सुधड भाषामा "मळ"कहेवानुं पसंद करीए छीए तेने एक वखत माथे उपाडवानुं तो विचारवुं ए पण कठीन लागेछे तो ए व्यक्तिनी थाळी माथी छीनवीने खावुं केटलो योग्य विचार कहेवीय...!!?
    हुं त्यां सुघी कहेता अटकाईस नही के घरतीने स्वच्छ राखतो दलित आ "भू" उपरनो खरो "भूदेव" गणाय,हुं व्यक्तिगत आजथी कोईपण दलितसमाज ना व्यक्तिने "भूदेव" मानवा तैयारछुं,स्वच्छता अभियान ना नामे करोडोनां केम्पीयन करता/स्विकारता आपडे खरा अर्थमां क्यारेय दलित ने घरती उपरनो "स्वच्छ भूदेव" मानी सकीसु..?ज्यां सुघी आ वात मानवा मांटे मन अने मगज पुरी रीत् तैयार थाय नही त्यां सुघी आ "दलित" ने आपडा थी कोई नवो अन्याय ना थाय तेनुं घ्यान राखवुं पडसे...जय हिन्द ।

    ReplyDelete
  2. समाजनी वर्णप्रथा मुजब ब्राह्मण छुं लख्युं छे अने सामाजीक वर्णप्रथानी नजरे न जोवाय तो हुं फक्त अक पत्रकार छुं ।

    ReplyDelete
  3. समाजनी वर्णप्रथा मुजब ब्राह्मण छुं लख्युं छे अने सामाजीक वर्णप्रथानी नजरे न जोवाय तो हुं फक्त अक पत्रकार छुं ।

    ReplyDelete
  4. I agree with Sanjay Dave.
    Pachhatpanu cast saathe jodayelu chhe!
    Udaaharan tarike; Barber! Mochi! Chamaar!

    ReplyDelete
  5. Actually the "Reservation" System is one of the cause of this situation. Reservation does not help any one, not even to the Reserved class. It is merely a cheap tool used by the Politicians. Reservation divides the society and sows the deep seed of hatred between classes.

    ReplyDelete
  6. I think now a days After the death burial can be taken at any burial place.

    ReplyDelete
  7. All should change these Mentality.your eyes of thinking is absolutely positive. I appreciate.Thanks

    ReplyDelete
  8. પ્રશાંતભાઈ, એક factual correction જરૂરી લાગે છે.

    "આપણે ત્યાં અલગ અલગ પ્રકારની કુલ 49 ટકા અનામત બેઠકો છે, તેમાં દલિતો માટે માત્ર સાત ટકા જ છે જયારે બાકીની 42 ટકા અનામત તો અન્ય જાતીઓને મળે છે"

    દલિતો માટે ૧૫ ટકા, આદિવાસીઓ માટે ૭.૫ ટકા અને ઓબીસી માટે ૨૭.૫ ટકા અનામત છે.

    લેખની ભાવના સાથે સંપૂર્ણ સંમત છું. એક દલિત અને એક સવર્ણનો આર્થિક દરજ્જો સમાન હોય તો પણ દલિતનો સામાજિક દરજ્જો નીચે જ રહે છે.

    ReplyDelete
    Replies
    1. Sorry tame khota 6o.. dalito ne 7 % adivasi ne 15 % n obc ne 27% 6e.. u can check..

      Delete
    2. હિતેશભાઈ, આ લિંક જોઈ લેવા વિનંતિ છે. બધા ડૉક્યુમેન્ટ સાચવી રાખવા જેવા છે.

      https://drive.google.com/file/d/0B7KZDHjpwltHR2RHUVNXN3FZTzQ/view?usp=sharing

      Delete
  9. Good prashantbhai, nice article

    ReplyDelete
  10. Good prashantbhai, nice article

    ReplyDelete
  11. થેંક યુ પ્રશાંતભાઈ

    ReplyDelete