Friday, October 14, 2016

જેના હાથમાં બોમ્બ હતો, તેના હાથમાં આજે ગાંધીની આત્મકથા છે.

હું અને મારા મીત્ર બીનીત મોદી સાબરમતી સેન્ટ્રલ જેલના દરવાજા પહોચ્યા, અમારી પાસે ભારે બોકસ હતા, દરવાજા ઉપર ઉભા રહેલા સીપાઈ અમને ધ્યાનથી જોઈ રહ્યા હતા, તેમના મનમાં બોકસમાં શુ હશે તેવો પ્રશ્ન હતો, જો કે અમે પહોંચીએ તે પહેલા અમારા આગમનની જાણકારી જેલ સીપાઈ સુધી પહોંચી ગઈ હતી, તેના કારણે તેમણને અમને  બોકસ સાથે જેલના લોંખડી દરવાજાની અંદર પ્રવેશ આપ્યો, તેની સાથે જ એક કેદી અમને એક ચેમ્બરમાં તરફ લઈ ગયો તેણે કહ્યુ બેસો સાહેબ હમણાં આવે છે.. થોડીક જ વારમાં જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી ત્યાં આવી પહોંચ્યા, તેમણે અમને પુછયુ લઈ આવ્યા બધુ અમે હા પાડી, તેમણે તરત જેલના વેલ્ફેર ઓફિસરને બોલાવી લીધા.

જેલ વેલ્ફેર ઓફિસરે આવતા જોશીએ કહ્યુ જુઓ સાડા છસો ગાંધીની આત્મકથા આવી ગઈ છે. બેરેકમાં જઈ જેઓ પરિક્ષા આપી રહ્યા છે, તેમને પહોંચાડી દો. મને ત્યારે યાદ આવ્યુ કે મેં કહ્યુ 200 ખોલીની આત્મકથાનું બંડલ અલગ જ છે. 200 ખોલી શબ્દ કાને પડતા સુનીલ જોશીએ તરત મારી સામે જોયુ, તે હસ્યા, તેમણે વેલ્ફેર ઓફિસરને જવાની સુચના આપી, પછી તેમણે મારી સામે જોતા કહ્યુ ગાંધી પરિક્ષા તો નિમિત્ત છે, પણ કેદીઓ ગાંધીની આત્મકથા વાંચે તે જ મારી માટે મોટુ કામ છે. તેમાં પણ 200 ખોલીની કેદીઓ, આ સાંભળી મારા મનમાં ઉંડાણમાં પણ કઈક સારૂ જ થશે તેવી અહેસાસ થયો.

સામાન્ય માણસ માટે 200 ખોલી શબ્દનું કોઈ મહત્વ નથી, પણ જેલ સત્તાવાળાઓ માટે 200 ખોલી શબ્દ ઉંઘમાં  પણ કાને પડે તો ઉંઘ ઉડી જાય છે. કારણ સાબરમતી સેન્ટ્રલ જેલની 200 ખોલીમાં 2008માં બોમ્બ ધડાકા કરનાર ખુંખાર 80 કરતા વધુ  કેદીઓને રાખવામાં આવ્યા છે, જેમણે જેલમાં પણ સુરંગ ખોદી ભાગી છુટવાનો પ્રયત્ન કર્યો હતો, તેઓ ધોળા દિવસે પણ જેલ સીપાઈ ઉપર હુમલો કરતા ખચકાતા નથી. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી વચ્ચે જયારે પહેલી વખત આ મુદ્દે મિટીંગ થઈ હતી, ત્યારે મને  યાદ છે.સાબરમતી જેલના કેદીઓ આત્મકથા વાંચીને ગાંધી પરિક્ષા આપશે તે વાતે જ બધાને રોમાંચીત કરી દીધા હતા. સાબરમતી જેલમાં 3000 કેદીઓ છે,

જયારે ગાંધી પરિક્ષાની વાત આવી ત્યારે 650 કેદીઓએ પરીક્ષા આપવા માટેના ફોર્મ ભર્યા છે. જેમાં બોમ્બ ધડાકા કરનાર 17 કેદીઓ પણ છે, જેમની ઉપર હજી આરોપ છે , તેઓ ન્યાયની અદાલતમાં કસુરવાર સાબીત થયા નથી, તેઓ પોતાની ઈરાદાઓમાં મક્કમ છે, તેમને મન જેદાહ જ બધા પ્રશ્નોનો ઉકેલ છે. તેઓ  અંતિમવાદી છે, મેં ઘણા પોલીસ અધિકારીઓ સાથે અગાઉ પણ વાત કરી હતી, તેમના કહેવા પ્રમાણે આ તમામ આરોપી જે કર્યુ તે અંગે તેમની પાસે પોતાના તર્ક છે. તે સાચો છે કે ખોટો તે અંગે ભીન્ન મત હોઈ શકે પણ તેઓ ખુબ શિક્ષીત છે. છતાં પણ તેમને મન આ અંતિમવાદ જ શ્રેષ્ઠ માર્ગ છે.જયારે 200 ખોલીમાં આત્મકથા પહોચાડી દેજો તેવુ જોશી કહ્યુ ત્યારે મનમાં એક કલ્પના આવી કે સફદર પણ હવે ગાંધીને વાંચશે, કદાચ તે ગાંધીને વાંચ્યા પછી તેમની સાથે સંમત્ત ના પણ થાય છતાં પણ તેના સુધી ગાંધી પહોંચે તે જરૂરી હતું.

મનમાં સારૂ લાગી રહ્યુ હતું, જે સફદર નાગોરીએ  2008માં અમદાવાદના તબાહ કરી નાખવા માટે હાથમાં બોમ્બ પકડયો હતો,તેના હાથમાં ગાંધીની આત્મકથા હોવી તે જ વાત અદ્દભુત છે. ત્યાં ફોટોગ્રાફી થઈ શકતી નથી પણ જો ફોટો થાય તો તે એક ઉત્તમ ફોટો સ્ટોરી થઈ શકે તેમ છે. પણ 200 ખોલીના કેદીઓ ગાંધીને વાંચે તે વાત મારે મન બહુ મોટી છે. ગાંધીની વાંચ્યા પછી તેમના જીવનમાં ફેર પડે છે અથવા કોઈ જ ફેર પડતો નથી તેના માટે સમયને તેનું કામ કરવા દેવુ પડશે, છતાં સાબરમતી જેલની ગાંધી ખોલીથી( આઝાદીની લડાઈમાં ખુદ ગાંધીજીને જયા રાખ્યા હતા તે જગ્યાને ગાંધી ખોલી કહે છે) ગાંધીજી  200 ખોલી સુધી પહોંચ્યા તેનું મહત્વ છે.

હું બહાર નિકળી જ રહ્યો હતો ત્યારે એક દાઢી વધી ગયેલો કેદી મારી સામે જોઈ હસ્યો, મને તરત તેનો ચહેરો યાદ આવી ગયો, તેનું નામ સુરેશ તે લગભગ દોઢ દાયકાથી જેલમાં હતો, નવજીવન ટ્રસ્ટમાં જયારે કેદીઓના ડ્રોઈંગ મુકાયા તેમાં સુરેશના પણ કેટલાંક ચીત્રો હતા, 2 ઓકટોબરે ગાંધીજીના પ્રિય ભજન ગાવા માટે પણ સુરેશ નવજીવન આવ્યો હતો, મેં તેને પુછયુ કેમ છે સુરેશ .. તેના ચહેરા ઉપર એક હાસ્ય આવી ગયુ, તેણે મને એક સમાચાર આપતા કહ્યુ આવતીકાલે મારી સજા પુરી થઈ રહી છે, હું આવતીકાલે બહાર નિકળીશ  તે સાંભળી    મને ખુબ સારૂ લાગ્યુ.. મેં તેને કહ્યુ બહાર આવી તુ ચીંતા કરતો નહીં, નવજીવન ઉપર આવીને મને મળજે.

અગાઉ મારી અને વિવેક દેસાઈની  સુનીલ જોશીની હાજરીમાં ચર્ચા થઈ હતી, જેલમાંથી જે કેદીઓ છુટે તેને ફરી કામ મળે તે માટે પણ નવજીવન કામ કરશે, કારણ કામની સાથે સમાજમાં તેમને સ્વીકાર્યાતા મળે તે પણ એટલુ જ જરૂરી છે, સુરેશ બહાર આવશે અને કદાચ નવજીવન પરિવારનો સભ્ય પણ બની જશે, તે આપણો જ હતો થોડા સમય માટે આપણાથી વિખુટો પડયો હતો, તેવી જ રીતે સફદર અને તેના સાથીઓ પણ એક વખત આપણા થઈ જશે કારણ હવે ગાંધી ત્યાં પહોંચ્યો છે.મારા કેટલાંક મીત્રો મને કહે છે તેઓ કયારે બદલાશે નહીં પણ હું કહુ છુ મારા એકસો ખરાબ અનુભવો પછી પણ હું 101મી વખત માણસ ઉપર ભરોસો કરવાનું પસંદ કરીશ.

11 comments:

  1. Really gr8....dada!!! N interested work also!!!

    ReplyDelete
  2. Great job but please don't try to compare that which is great either "Gandhiesm" or "Jehadiesm"? If anybody change and come on walk through the way of Gandhi it's a great!

    ReplyDelete
  3. Appreciable thinking line and action too.

    ReplyDelete
  4. Dada Vanjara no photo Kem ? Ityhas gavah hai Valiyo Valmiki thaigayo . Abhinandan vivekbhai joshi. Saheb you and all young briged of Navjivan 💐💐💐💐💐👍

    ReplyDelete
  5. good nobal work. i hope your dream will come true.

    ReplyDelete
  6. 1-2 experience Modi saheb na pan share karo...CM pehlana CM pachina and PM Pachina..je tamara drashti thi hoi...

    ReplyDelete