Thursday, December 29, 2016

હું રોજ તમારી રાહ જોતી હોઉ છુ

થોડા દિવસ પહેલા અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પ્રસંગે જવાનું થયુ, હું તો નવજીવન  ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે ગયો હતો. નવજીવન ટ્રસ્ટ તરફથી પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધીની મોટી તસવીરો પોલીસ સ્ટેશનને ભેટમાં આપવામાં આવી હતી, ઉદ્દઘાટન સમારંભ પુરો થયા પછી ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર એ કે સિંઘ હજી સ્ટેજ ઉપર મુલાકાતીઓની મળી રહ્યા હતા, ત્યારે પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા ઉપર હું અને ડેપ્યુટી પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદ્દી ઉભા હતા, અમારી વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક તેમનું ધ્યાન મહાત્માની તસવીર તરફ ગયુ, તે એક ક્ષણ કઈક વિચારવા લાગ્યા, પછી મારી સામે જોતા ઓશો રજનીશના ભાષણને ટાંકતા તેમણે કહ્યુ રજશીનના મતે મહાત્માએ દેશ માટે ઘણુ કર્યુ, પણ પોતાના પરિવારને અન્યાય કર્યો હતો. હું તેમને સામે જોઈ રહ્યો.

મેં કહ્યુ સર પરિવારને અન્યાય થઈ રહ્યો છે તે વાત મારા અને તમારા પરિવારને પણ લાગુ પડે તેમ છે, હું સુભાષ ત્રિવેદ્દીને છેલ્લાં પચ્ચીસ વર્ષથી ઓળખુ છુ, તેઓ સીસ્ટમની અંદર હોવા છતાં તેમના ભાગે સીસ્ટમ સામે લડવાનું અનેક વખત આવ્યુ છે. તેમના માટે પોલીસની નોકરી નથી, નોકરી નથી, વર્ષો પહેલા ફરજમાં બેદરકારી દાખવનાર એક કોન્સટેબલને ઠપકો આપતા સાંભળ્યા હતા, તેમણે કોન્સટેબલને કહ્યુ હતું તારા અને મારા માથા ઉપર જે ટોપી છે, તેમાં અશોકસ્તંભ છે, બીજા બધા કરતા આપણા શીરે દેશે વધુ જવાબદારી મુકી છે.મારૂ વાકય સાંભળી સુભાષ ત્રિવેદ્દી હસવા લાગ્યા , તેમના એક આછા સ્મીતમાં  તેમનો હકાર હતો. આ દેશનો કોઈ પણ માણસ પોતાનું કામ થોડુ પ્રમાણિકપણે કરે  એટલે તે મહાત્મા ગાંધીની કતારમાં આવી ઉભો રહી જાય છે. અને જયારે માણસ પોતાના કામ પ્રત્યે પ્રમાણિક રહે ત્યારે તેની કિમંત તેના પરિવારે ચુકવવાની હોય છે.

થોડા દિવસ પહેલા હું ભાવનગર રોટરી કલબમાં એક લેકચર માટે ગયો હતો, મેં મારા ક્રાઈમ રીપોર્ટીંગના લેકચરમાં કહ્યુ હતું, હું જે કઈ કરી શકયો તેમાં મારા પરિવારની ભુમીકા મહત્વની છે.બીજા દિવસે ઘરે આવ્યા પછી મેં મારી પત્ની શીવાની સાથેની ચર્ચામાં લેકચરની વાત કરી ત્યારે તેણે મને કહ્યુ, તમે રોજ આખા દિવસ તમારા કામ માટે દોડયા કરો છો, સારૂ કામ કરો છો, મને તમારૂ કામ અને તમે બંન્ને ગમો છો, પણ કયારેક તો અમારો વિચાર કરો. રોજ સાંજ પડે અને અમે તમારી રાહ જોતા બેસી રહીએ છીએ, મને તેની વેદના સમજાતી હતી, મેં તેનો હાથ પકડતા કહ્યુ મને ખબર છે, પણ હવેથી હું ધ્યાન રાખીશ કે તમને સમય આપી શકુ, પણ હું જાણુ છુ આવી ફરિયાદ તેણે મને પહેલી વખત કરી નથી અને હું સમય આપીશ તેવુ પણ મેં પહેલી વખત કહ્યુ નથી, છેલ્લાં વીસ વર્ષથી અમારી વચ્ચે દરમહિને આ સંવાદ થાય અને હું કામમાં તે રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે.

કોઈ પણ સારી બાબતનું નિર્માણ કિમંત ચુકવ્યા વગર થતી નથી, પણ જે માણસ બીજા કરતા કઈક જુદુ કરવા નિકળે છે ત્યારે તે તેનું પોતાનું ઝનુન હોય છે, તે કામ સાથે તેના પરિવારને કોઈ નીસ્બત હોતી નથી, તેના કારણે એક માણસના ઝનુનની કિમંત અચુક તેના પરિવારને જ ચુકવવી પડતી હોય છે.તેથી ગાંધીએ પોતાના પરિવારને અન્યાય કર્યો તેવો આક્ષેપ સાચો હોય તો પણ તે આક્ષેપ માત્ર ગાંધી સુધી સિમીત નહી રહેતા પોતાનું કામ ઘડીયાળ સામે જોયા વગર પ્રમાણિકપણે કામ કરનાર અત્યંત સામાન્ય માણસને પણ એટલો લાગુ પડે છે.

6 comments:

  1. बहुत जोरदार बात कही है सर
    मैं आप प्रणाम करता हुँ।

    ReplyDelete
  2. Honesty gives justice duty not to family members

    ReplyDelete
  3. Honesty gives justice to the duty not to family members.

    ReplyDelete