Friday, July 29, 2016

ભાજપ મુસલીમનો ખુલ્લો દુશ્મન છે જયારે કોંગ્રેસે પીઠમાં ખંજર મારે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં કોઈ પણ દાઢી અને માથે ટોપીવાળા મુસ્લીમને જુવે ત્યારે અપેક્ષીત હોય છે કે ભાજપને ભાંડશે અને કોંગ્રેસની તરફદારી કરશે, પરંતુ દલિત આંદોલન અંગે  સેન્ટ ઝેવીયર્સ કોલેજના કેમ્પસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં દલિતોના સમર્થનમાં ભરૂચથી આવેલા જમીયતે ઉલેમાએ હિન્દના ગુજરાતના મહામંત્રી અબ્દુલકયુમ હક્કે પત્રકારો સાથેની વાતચીતમાં આકરા શબ્દોમાં કહ્યુ હતું, ગુજરાતમાં દલિત અને મુસ્લીમની સ્થિતિમાં ખાસ કોઈ ફેર નથી, અમારી બન્નેની પીડાઓ સરખી છે, ભાજપ મુસ્લીમનો ખુલ્લો દુશ્મન છે જયારે કોંગ્રેસે અમારી સાથે બેસી અમારી પીઠમાં ખંજર માર્યુ છે.

અબ્દુલકયુમે જણાવ્યુ હતું અમે દલિતોની વેદના સમજી શકીએ છીએ, કારણ અમારી ઉપર પણ અમારા ધર્મને કારણે અત્યાચાર થાય છે.જયાં સુધી ગાયની કતલનો પ્રશ્ન છે, તે મુદ્દે કટ્ટરપંથીઓ ઈચ્છે ત્યારે રાજકારણ રમી શકે છે તેથી અમે પણ મુસ્લીમોને અનેક વખત ગાયની કતલથી દુર રહેવા સમજાવ્યા છે, કારણ આ મુદ્દે દેશ અને રાજયનું વાતાવરણ ડોહળાય છે. ગૌવંશના મુદ્દે એક વ્યવસ્થીત ઘંઘો ચાલી રહ્યો છે, જેમા કહેવાતા  ગૌરક્ષકો અને પોલીસ સાથે મળી કામ કરે છે, અને બદનામીનો ટોપલો મુસ્લીમો ઉપર ઢોળી દેવામાં આવે છે. આ એક સસ્તો  અને સહેલો રસ્તો છે, અમે દલિતો જેવી વેદના અને પીડામાંથી પસાર થયા છીએ, તેથી જ ઉનાની ઘટના બાદ અમે એક સામાજીક જવાબદારી સ્વીકારી દલિતો સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે.

પત્રકાર પરિષદમાં હાજર દલિત મહિલા નેતા રત્ના વોરાએ ઈશ્વર તરફ પોતાની નારાજગી વ્યકત કરતા જણાવ્યુ હતું આઝાદીના સાત દસક થવા આવ્યા છતાં પ્રત્યેક્ષ અને પરોક્ષ આભડછેટનો હું પોતે પણ સામનો કરી રહી છુ, હું કયારેય મંદિરમાં દિવો અથવા અગરબત્તી કરતી નથી કારણ હવે ઈશ્વર પણ કઈ કરી શકે તેમ નથી, અને દલિત સમાજની મહિલાઓએ દલિત  પુરૂષોના ભરોસે બેસી રહેવાની જરૂર નથી કારણ તેઓ પણ કઈ કરતા નથી હવે , પોતાના સ્વમાનની લડાઈ માટે મહિલાઓ બહાર આવવુ પડશે


ઉનાની ઘટના અંગે વ્યથા વ્યકત કરતા રત્નાએ જણાવ્યુ હતું ગાય અન્ય જાનવર જયારે જીવતા હોય ત્યારે તેનું દુધ દહી અને ઘી ખાનાર લોકો મૃત જાનવરને અમારા હવાલે કરે છે, અમે મરેલા જાનવરને ઉપડવાનું કામ કરી સમાજ ઉપર ઉપકાર કરીએ છીએ, પણ તેના બદલે અમને માર અને ધીક્કાર મળે છે. હવે દલિત સમાજનો દરેક વ્યકિત માને છે બસ બહુ થયુ હવે સહન થતુ નથી.

ઉના દલિત અત્યાચાર સમિતિના કન્વીનર જીજ્ઞેશ મેવાણીએ પણ નારાજગી વ્યકત કરતા કહ્યુ હતું ઉનાની ઘટના માત્ર નિમિત્ત છે, પણ વર્ષોથી મનમાં પડેલી અન્યાયની  વ્યથાનો આ ગુસ્સો છે, જે રાજય સરકાર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સભા કરવાની મંજુરી આપે છે, તે જ સરકાર માત્ર અમને જીવવા દો તેવી માગણી કરનાર દલિતોને અમદાવાદમાં 31મી જુલાઈના રોજ સભા કરવાની પોલીસ મંજુરી આપતી નથી.મેવાણીએ કહ્યુ હતું કે પોલીસ મંજુરી નહીં આપે તો પણ અમદાવાદમાં દલિતો મોટી સંખ્યામાં એકત્રીત થશે અને પોલીસ તેમની ધરપકડ કરવા માગતી હોય તો અમારી જેલ ભરવાની પણ તૈયારી છે, બીજી તરફ રાજય સરકારે તમામ કલેકટરો અને ડીએસપીઓને તેમના જિલ્લામાંથી આવનાર દલિતોને ત્યાં જ રોકી દેવા આદેશ આપ્યો છે.

6 comments:

  1. The problem is ..these communities let themselves be lured by false promises and be led by incorrect ideas. Dalit. . Muslim... Patel... et all are bases of division..

    And it is universal truth that divided you fall...
    And when u let youself be divided... it is common logic and historical wisdom that division benifits the divisor. One who divides... never those who let themselves be divided

    ReplyDelete
  2. Abdulqyum no terk mane samjato nathi. Temnu statement mane political lage che avnar divso ma te pan khabar padse
    Gujarat samasya matra dalit ane muslim purti nathi lower ane middle class pan taklif ma che

    ReplyDelete
  3. It's a belief of Abdul quam Haq I have no objection for that but here I should mention that Maulana Mehmud Mandni National leader of the party was nominated as MRS from Rajyasabha from Congrats.Industrialist Sarasvala has been nominated in one of the University.He appreciate Shri Modi as PM

    ReplyDelete
  4. BJP is not against all Muslims, it is against Muslims or even against Hindus who are not loyal to the nation. Journalists should also be responsible and not give biased opinions in press.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete