લગ્ન કરવા વાડીયા છોડી અનીલ સાથે ભાગી નિકળેલી સોનલની કથામાં આવેલો ટર્નીંગ આપણી માટે ચર્ચાનો વિષય હોઈ શકે, પણ તે સોનલ માટે એટલી જ પીડા આપનારો હતો, અનીલ પરણેલો છે તે વાતથી ખુદ સોનલ પણ અજાણ હતા, અનીલને એક પત્ની અને બે બાળકો છે તેવી વાત બહાર આવતા, હવે સોનલની પીડા બાજુ ઉપર મુકાઈ ગઈ અને અનીલએ કાયદાનો અને સામાજીક નિયમોનો ભંગ કર્યો છે તે મુદ્દે નૈતિકતાની ચર્ચા શરૂ થઈ છે. અનીલ પરણિત હોવા છતાં તેણે સોનલ સાથે બીજા લગ્ન કર્યા તે બાબતનો કોઈને વાંધો હોવો જોઈએ તો માત્ર સોનલ અથવા અનિલને પ્રથમ પત્નીને હોવો જોઈએ.
છતાં આ બન્ને સ્ત્રીઓ શુ ઈચ્છે છે તે જાણ્યા વગર આપણે ન્યાયાધીશની ખુરશીમાં બેસી નૈતિકતાના રખેવાળ બની જઈએ છી, હું માનું છુ કે નૈતિકતા સંપુર્ણપણે વ્યકિતગત બાબત છે, મારો શ્વાસ મારે જ લેવો પડે એટલુ જ વ્યકિતગત છે.અનીલએ શુ કરવુ જોઈતુ હતું , તે કહેવામાં મોડુ થઈ ચુકયુ છે, કારણ જો તેણે આપણી પહેલા સલાહ લીધી હોત તો કદાચ કાયદો અને સમાજના નિયમોની યાદી તેને પકડાવી દેતા, પણ મને લાગે છે કે અનીલ હવે સોનલની જીંદગીમાં નથી તેવુ માની લઈએ અને , અનીલ દોષીત જ છે તેની ચર્ચાથી દુર જઈ સોનલ અને વાડીયામાં રહેતી અન્ય સોનલો જો ઈચ્છે તો કઈ રીતે તેને બહાર લાવી શકાય તે દિશામાં વિચારવુ પડે.
સોનલના મામલે કાયદો અને તંત્ર શુ મદદ કરી શકે તે માટે કેટલાંક પ્રયાસો થયા, કયાંક સારો પ્રતિસાદ મળ્યો તો કયાંક કઈ થઈ શકે નહીં, તેવુ કહેવામાં આવ્યુ, આ સ્થિતિમાં સોનલ કયાં સુધી નારી સંરક્ષણગૃહમાં રહે તે પણ એક પ્રશ્ન હતો,. સોનલને બહાર લાવવા માટે પોલીસ રક્ષણ માટેની કાર્યવાહી પણ થઈ, પણ પોલીસ હજી કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોતી હોય તેવુ લાગે છે. આખરે મેં અને મારા મીત્રએ નક્કી કર્યુ, વાડીયાના દલાલોના ડરથી સોનલને ત્યાં જ રાખવાની હવે કઈ જરૂર નથી, સોનલ અમદાવાદમાં છે આપણી જવાબદારી છે, લડવુ પડે તો લડીશુ, અને સોનલ થોડા કલાકોમાં બહાર આવી જશે , કારણ તેણે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે જ વાડીયા છોડયુ હતું,
સોનલને કોઈની દયા અથવા સહાનુભુતીની જરૂર નથી, તેને હિમંતની જરૂર છે, તે લડવા તૈયાર છે, તંત્ર જાગે તો ઠીક નહીંતર હવે વાડીયાના દલાલોને તેમની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરવી પડશે. તેણે કહ્યુ હવે હું તો વાડીયા જઈશ નહીં, પણ ત્યાં રહેલી સોનલને બહાર લાવીશ સોનલ પાસે સારો ફોન નથી, વોટસઅપ નથી અને ફેસબુક એકાઉન્ટ નથી, પણ તેની પાસે હિમંત છે કારણ તેની અંદર પુરૂષોનો ડર રહ્યો નથી, તેને ખબર છે પુરૂષ કેટલો ડરપોક હોય છે. વાડીયામાં છેલ્લાં એક દસકાથી મીત્તલ પટેલ કામ કરે છે, તેમની એક સ્વૈચ્છીક સંસ્થા છે, આજે વાડીયાની સ્થિતિ બદલાશે , આવતીકાલે કઈક સારૂ થશે તેવી આશાએ જીંદગીના દસ વર્ષ વાડીયા માટે ખર્ચી નાખ્યા છે, પણ આખા મામલે તે ખુબ દુખી છે.
મારી મીત્તલ સાથે વાત થઈ મેં કહ્યુ તમે હમણાં સુધી ગામના પુરૂષોને બહુ ભાઈ-બાપા કર્યા, હવે હાથ જોડવાનું બંધ કરો, કારણ આ ગામના પુરૂષોને પોતાની સ્ત્રીઓની દલાલી કરતા શરમ આવતી નથી, સુધારણાની વાત ત્યારે આવે, જયારે ગામની સ્ત્રી સ્વેચ્છાએ આ ધંધામાં આવી હોય અને તેમને બહાર લાવવાની વાત હોય ત્યારે સુધારણનો અર્થ સરે છે, પણ અહિયા તો સ્ત્રીને પરાણે આ ધંધો કરી રહી છે ત્યારે કાયદો હાથ ઉપર હાથ રાખી બેસી રહે તો કાયદાને પણ ફરજ પાડી શકાય છે અને તેના પણ રસ્તાઓ છે, મીત્તલ પટેલ હવે તે માટે તૈયાર છે.
બનાસકાંઠામાં અનેક વર્ષોથી કામ કરનાર મારા મુરબ્બી મીત્ર હસમુખ પટેલ સાથે પણ વાત થઈ તેમણે કહ્યુ વાડીયામાં અનેક પ્રયત્ન પછી પણ કઈ સારૂ થતુ નથી તેના કારણે એક તબ્બકે નિરાશા આવે છે, પણ હવે બહુ થઈ સુધારણાની વાત બનાસકાંઠાના લોકો પણ તમને આ પ્રકરણનો કાયમી અંત આવે તે દિશા થતાં પ્રયત્નોમાં મદદ કરશે.બનાસકાંઠાના અનેક મીત્રએ ફોન કરી કહ્યુ, હવે અમારા જિલ્લામાં આવેલા વાડીયા ગામ ઉપર લાગેલુ વેશ્યાનું ગામ તે પાટીયા ઉતારી લેવુ છે. કારણ હવે ફરી આ ગામમાં કોઈ સોનલને જન્મ થાય નહીં તે પણ એટલુ જ જરૂરી છે.
છતાં આ બન્ને સ્ત્રીઓ શુ ઈચ્છે છે તે જાણ્યા વગર આપણે ન્યાયાધીશની ખુરશીમાં બેસી નૈતિકતાના રખેવાળ બની જઈએ છી, હું માનું છુ કે નૈતિકતા સંપુર્ણપણે વ્યકિતગત બાબત છે, મારો શ્વાસ મારે જ લેવો પડે એટલુ જ વ્યકિતગત છે.અનીલએ શુ કરવુ જોઈતુ હતું , તે કહેવામાં મોડુ થઈ ચુકયુ છે, કારણ જો તેણે આપણી પહેલા સલાહ લીધી હોત તો કદાચ કાયદો અને સમાજના નિયમોની યાદી તેને પકડાવી દેતા, પણ મને લાગે છે કે અનીલ હવે સોનલની જીંદગીમાં નથી તેવુ માની લઈએ અને , અનીલ દોષીત જ છે તેની ચર્ચાથી દુર જઈ સોનલ અને વાડીયામાં રહેતી અન્ય સોનલો જો ઈચ્છે તો કઈ રીતે તેને બહાર લાવી શકાય તે દિશામાં વિચારવુ પડે.
સોનલના મામલે કાયદો અને તંત્ર શુ મદદ કરી શકે તે માટે કેટલાંક પ્રયાસો થયા, કયાંક સારો પ્રતિસાદ મળ્યો તો કયાંક કઈ થઈ શકે નહીં, તેવુ કહેવામાં આવ્યુ, આ સ્થિતિમાં સોનલ કયાં સુધી નારી સંરક્ષણગૃહમાં રહે તે પણ એક પ્રશ્ન હતો,. સોનલને બહાર લાવવા માટે પોલીસ રક્ષણ માટેની કાર્યવાહી પણ થઈ, પણ પોલીસ હજી કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોતી હોય તેવુ લાગે છે. આખરે મેં અને મારા મીત્રએ નક્કી કર્યુ, વાડીયાના દલાલોના ડરથી સોનલને ત્યાં જ રાખવાની હવે કઈ જરૂર નથી, સોનલ અમદાવાદમાં છે આપણી જવાબદારી છે, લડવુ પડે તો લડીશુ, અને સોનલ થોડા કલાકોમાં બહાર આવી જશે , કારણ તેણે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે જ વાડીયા છોડયુ હતું,
સોનલને કોઈની દયા અથવા સહાનુભુતીની જરૂર નથી, તેને હિમંતની જરૂર છે, તે લડવા તૈયાર છે, તંત્ર જાગે તો ઠીક નહીંતર હવે વાડીયાના દલાલોને તેમની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરવી પડશે. તેણે કહ્યુ હવે હું તો વાડીયા જઈશ નહીં, પણ ત્યાં રહેલી સોનલને બહાર લાવીશ સોનલ પાસે સારો ફોન નથી, વોટસઅપ નથી અને ફેસબુક એકાઉન્ટ નથી, પણ તેની પાસે હિમંત છે કારણ તેની અંદર પુરૂષોનો ડર રહ્યો નથી, તેને ખબર છે પુરૂષ કેટલો ડરપોક હોય છે. વાડીયામાં છેલ્લાં એક દસકાથી મીત્તલ પટેલ કામ કરે છે, તેમની એક સ્વૈચ્છીક સંસ્થા છે, આજે વાડીયાની સ્થિતિ બદલાશે , આવતીકાલે કઈક સારૂ થશે તેવી આશાએ જીંદગીના દસ વર્ષ વાડીયા માટે ખર્ચી નાખ્યા છે, પણ આખા મામલે તે ખુબ દુખી છે.
મારી મીત્તલ સાથે વાત થઈ મેં કહ્યુ તમે હમણાં સુધી ગામના પુરૂષોને બહુ ભાઈ-બાપા કર્યા, હવે હાથ જોડવાનું બંધ કરો, કારણ આ ગામના પુરૂષોને પોતાની સ્ત્રીઓની દલાલી કરતા શરમ આવતી નથી, સુધારણાની વાત ત્યારે આવે, જયારે ગામની સ્ત્રી સ્વેચ્છાએ આ ધંધામાં આવી હોય અને તેમને બહાર લાવવાની વાત હોય ત્યારે સુધારણનો અર્થ સરે છે, પણ અહિયા તો સ્ત્રીને પરાણે આ ધંધો કરી રહી છે ત્યારે કાયદો હાથ ઉપર હાથ રાખી બેસી રહે તો કાયદાને પણ ફરજ પાડી શકાય છે અને તેના પણ રસ્તાઓ છે, મીત્તલ પટેલ હવે તે માટે તૈયાર છે.
બનાસકાંઠામાં અનેક વર્ષોથી કામ કરનાર મારા મુરબ્બી મીત્ર હસમુખ પટેલ સાથે પણ વાત થઈ તેમણે કહ્યુ વાડીયામાં અનેક પ્રયત્ન પછી પણ કઈ સારૂ થતુ નથી તેના કારણે એક તબ્બકે નિરાશા આવે છે, પણ હવે બહુ થઈ સુધારણાની વાત બનાસકાંઠાના લોકો પણ તમને આ પ્રકરણનો કાયમી અંત આવે તે દિશા થતાં પ્રયત્નોમાં મદદ કરશે.બનાસકાંઠાના અનેક મીત્રએ ફોન કરી કહ્યુ, હવે અમારા જિલ્લામાં આવેલા વાડીયા ગામ ઉપર લાગેલુ વેશ્યાનું ગામ તે પાટીયા ઉતારી લેવુ છે. કારણ હવે ફરી આ ગામમાં કોઈ સોનલને જન્મ થાય નહીં તે પણ એટલુ જ જરૂરી છે.